દિવાળી ટાણે સતત વધતી મોંઘવારી, શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 13:09:06

દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. પેટ્રોલ-ડિઝલ તેમજ રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. દૂધની કિંમતોમાં પણ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજી ઉપરાંત ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. માત્ર એક અઠવાડિયાની અંદર શાકભાજીના કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. 

શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તહેવારને લઈ લોકો અનેક પ્લાનિંગ કરતા હોય છે ત્યારે આ વખતે મધ્યમ પરિવાર માટે દિવાળીની ઉજવણી મોંઘી પડી શકે છે. એક બાદ એક ચીજ વસ્તુની કિંમતમાં ભારે વધારો થઈ રહ્યો છે. ખાદ્યતેલ, દૂધ તેમજ શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. સપ્તાહ પહેલા ટીંડોરા રૂા.40 થી 70ના કિલોના ભાવે મળતા હતા તે અત્યારે રૂા.80 થી 120ના ભાવે મળી રહ્યા છે. તુરીયાની કિંમતમાં પણ વધારો થયો છે. તુરીયા રૂા.60ના કીલોના ભાવે મળતા હતા તે અત્યારે રૂા.80, દૂધી રૂા.30ની કિલો વાળી હાલ 80 રૂપિયે મળી રહી છે. ટામેટા પણ 40 થી 60 રુ. વચ્ચે વેચાઈ રહ્યા છે. ભીંડાની કિંમતમાં પણ વધારો થઈ ગયો છે. દરેક શાકભાજીના ભાવ વધતા થાળીમાંથી શાકભાજી ગાયહ થઈ રહી છે. 

Kamrup (M) Admin Allowed 21 Guwahati Locations to Sell Fruits & Vegetables  via Van - Sentinelassam 

વધતા ભાવને કારણે ખોરવાતું ગૃહિણીનું બજેટ

વધતી મોંઘવારીને કારણે મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવાઈ જતું હોય છે. મોંઘવારીને કારણે સામાન્ય માણસે લાફો મારી ગાલ લાલ રાખવા પડે છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દિવાળી ટાંણે મહેમાનોની અવર-જવર વધતી હોય છે તેવા સમયે શાકભાજી તેમજ દૂધની કિંમતમાં ભાવ વધારો થતા ગૃહિણીની ચિંતામાં વધારો થયો છે.    




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.