દિવાળી ટાણે સતત વધતી મોંઘવારી, શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 13:09:06

દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. પેટ્રોલ-ડિઝલ તેમજ રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. દૂધની કિંમતોમાં પણ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજી ઉપરાંત ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. માત્ર એક અઠવાડિયાની અંદર શાકભાજીના કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. 

શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તહેવારને લઈ લોકો અનેક પ્લાનિંગ કરતા હોય છે ત્યારે આ વખતે મધ્યમ પરિવાર માટે દિવાળીની ઉજવણી મોંઘી પડી શકે છે. એક બાદ એક ચીજ વસ્તુની કિંમતમાં ભારે વધારો થઈ રહ્યો છે. ખાદ્યતેલ, દૂધ તેમજ શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. સપ્તાહ પહેલા ટીંડોરા રૂા.40 થી 70ના કિલોના ભાવે મળતા હતા તે અત્યારે રૂા.80 થી 120ના ભાવે મળી રહ્યા છે. તુરીયાની કિંમતમાં પણ વધારો થયો છે. તુરીયા રૂા.60ના કીલોના ભાવે મળતા હતા તે અત્યારે રૂા.80, દૂધી રૂા.30ની કિલો વાળી હાલ 80 રૂપિયે મળી રહી છે. ટામેટા પણ 40 થી 60 રુ. વચ્ચે વેચાઈ રહ્યા છે. ભીંડાની કિંમતમાં પણ વધારો થઈ ગયો છે. દરેક શાકભાજીના ભાવ વધતા થાળીમાંથી શાકભાજી ગાયહ થઈ રહી છે. 

Kamrup (M) Admin Allowed 21 Guwahati Locations to Sell Fruits & Vegetables  via Van - Sentinelassam 

વધતા ભાવને કારણે ખોરવાતું ગૃહિણીનું બજેટ

વધતી મોંઘવારીને કારણે મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવાઈ જતું હોય છે. મોંઘવારીને કારણે સામાન્ય માણસે લાફો મારી ગાલ લાલ રાખવા પડે છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દિવાળી ટાંણે મહેમાનોની અવર-જવર વધતી હોય છે તેવા સમયે શાકભાજી તેમજ દૂધની કિંમતમાં ભાવ વધારો થતા ગૃહિણીની ચિંતામાં વધારો થયો છે.    




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.