દિવાળી ટાણે સતત વધતી મોંઘવારી, શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 13:09:06

દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. પેટ્રોલ-ડિઝલ તેમજ રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. દૂધની કિંમતોમાં પણ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજી ઉપરાંત ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. માત્ર એક અઠવાડિયાની અંદર શાકભાજીના કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. 

શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તહેવારને લઈ લોકો અનેક પ્લાનિંગ કરતા હોય છે ત્યારે આ વખતે મધ્યમ પરિવાર માટે દિવાળીની ઉજવણી મોંઘી પડી શકે છે. એક બાદ એક ચીજ વસ્તુની કિંમતમાં ભારે વધારો થઈ રહ્યો છે. ખાદ્યતેલ, દૂધ તેમજ શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. સપ્તાહ પહેલા ટીંડોરા રૂા.40 થી 70ના કિલોના ભાવે મળતા હતા તે અત્યારે રૂા.80 થી 120ના ભાવે મળી રહ્યા છે. તુરીયાની કિંમતમાં પણ વધારો થયો છે. તુરીયા રૂા.60ના કીલોના ભાવે મળતા હતા તે અત્યારે રૂા.80, દૂધી રૂા.30ની કિલો વાળી હાલ 80 રૂપિયે મળી રહી છે. ટામેટા પણ 40 થી 60 રુ. વચ્ચે વેચાઈ રહ્યા છે. ભીંડાની કિંમતમાં પણ વધારો થઈ ગયો છે. દરેક શાકભાજીના ભાવ વધતા થાળીમાંથી શાકભાજી ગાયહ થઈ રહી છે. 

Kamrup (M) Admin Allowed 21 Guwahati Locations to Sell Fruits & Vegetables  via Van - Sentinelassam 

વધતા ભાવને કારણે ખોરવાતું ગૃહિણીનું બજેટ

વધતી મોંઘવારીને કારણે મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવાઈ જતું હોય છે. મોંઘવારીને કારણે સામાન્ય માણસે લાફો મારી ગાલ લાલ રાખવા પડે છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દિવાળી ટાંણે મહેમાનોની અવર-જવર વધતી હોય છે તેવા સમયે શાકભાજી તેમજ દૂધની કિંમતમાં ભાવ વધારો થતા ગૃહિણીની ચિંતામાં વધારો થયો છે.    




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે