દિવાળી ટાણે સતત વધતી મોંઘવારી, શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 13:09:06

દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. પેટ્રોલ-ડિઝલ તેમજ રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. દૂધની કિંમતોમાં પણ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજી ઉપરાંત ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. માત્ર એક અઠવાડિયાની અંદર શાકભાજીના કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. 

શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તહેવારને લઈ લોકો અનેક પ્લાનિંગ કરતા હોય છે ત્યારે આ વખતે મધ્યમ પરિવાર માટે દિવાળીની ઉજવણી મોંઘી પડી શકે છે. એક બાદ એક ચીજ વસ્તુની કિંમતમાં ભારે વધારો થઈ રહ્યો છે. ખાદ્યતેલ, દૂધ તેમજ શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. સપ્તાહ પહેલા ટીંડોરા રૂા.40 થી 70ના કિલોના ભાવે મળતા હતા તે અત્યારે રૂા.80 થી 120ના ભાવે મળી રહ્યા છે. તુરીયાની કિંમતમાં પણ વધારો થયો છે. તુરીયા રૂા.60ના કીલોના ભાવે મળતા હતા તે અત્યારે રૂા.80, દૂધી રૂા.30ની કિલો વાળી હાલ 80 રૂપિયે મળી રહી છે. ટામેટા પણ 40 થી 60 રુ. વચ્ચે વેચાઈ રહ્યા છે. ભીંડાની કિંમતમાં પણ વધારો થઈ ગયો છે. દરેક શાકભાજીના ભાવ વધતા થાળીમાંથી શાકભાજી ગાયહ થઈ રહી છે. 

Kamrup (M) Admin Allowed 21 Guwahati Locations to Sell Fruits & Vegetables  via Van - Sentinelassam 

વધતા ભાવને કારણે ખોરવાતું ગૃહિણીનું બજેટ

વધતી મોંઘવારીને કારણે મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવાઈ જતું હોય છે. મોંઘવારીને કારણે સામાન્ય માણસે લાફો મારી ગાલ લાલ રાખવા પડે છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દિવાળી ટાંણે મહેમાનોની અવર-જવર વધતી હોય છે તેવા સમયે શાકભાજી તેમજ દૂધની કિંમતમાં ભાવ વધારો થતા ગૃહિણીની ચિંતામાં વધારો થયો છે.    




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.