મોંઘવારી આસમાને, ગૃહિણીઓનું બજેટ બગડશે! આ બે કારણોથી પરિસ્થિતી વણસી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 20:14:54


દેશના કેટલાક રાજ્યોમાં આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મુશળધાર વરસાદ થયો છે. આ વરસાદથી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ડાંગરના પાક પર ખુબ ખરાબ અસર થઈ છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં થયેલા વરસાદને કારણે ડાંગરના 20 થી 30 ટકા પાકને નુકસાન થયું છે. એટલું જ નહીં, સરકારનો રાશનનો સ્ટોક પણ ગત વર્ષની તુલનામાં અડધો થઈ ગયો છે.



ઉત્તર ભારતમાં વરસાદથી કૃષિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન


ઉત્તર ભારતમાં ભારે વરસાદથી કૃષિ પાકને નુકસાન થતા અનાજની અછત સર્જાશે, તેના કારણે  ખાદ્ય મોંઘવારી ખુબ વધી શકે છે, જે બે વર્ષની ટોચે છે. આ ઉપરાંત શાકભાજી, દૂધ, કઠોળ અને તેલના ભાવમાં પણ જોરદાર વધારો થયો છે. આ વસ્તુઓ કન્ઝ્યુમર ઈન્ડેક્સમાં ચોથા ભાગનું યોગદાન આપે છે. આનો અર્થ એ થયો કે આગામી મહિનાઓમાં મોંઘવારીના ઈન્ડેક્સમાં પણ ઉછાળો આવશે.


'મોંઘવારી આસમાને પણ પગારમાં વધારો નહીં'


આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે આવી સ્થિતિમાં રિઝર્વ બેંક દ્વારા દરમાં થોડો વધારો કરવામાં આવી શકે છે. જો કે આનાથી મોંઘવારી કેટલી ઘટશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. ખાસ કરીને, આ પગલાંથી ખાદ્યપદાર્થોના ફુગાવાને નિયંત્રિત કરવું મુશ્કેલ બનશે. નિષ્ણાતો માને છે કે નબળા વર્ગની આવકની સરખામણીમાં મોંઘવારી ખુબ જ ઝડપથી  વધી છે. ક્રિસિલના રિપોર્ટ અનુસાર, ગ્રામીણ ગરીબો માટે સપ્ટેમ્બરમાં મોંઘવારીનો દર 8.1 ટકા રહ્યો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 20 ટકા અમીર લોકો માટે તે 7.2 ટકા છે. આના પરથી આપણે સમજી શકીએ છીએ કે મોંઘવારીથી કયા વર્ગને સૌથી વધુ નુકસાન થયું છે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે