મોંઘવારી આસમાને, ગૃહિણીઓનું બજેટ બગડશે! આ બે કારણોથી પરિસ્થિતી વણસી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 20:14:54


દેશના કેટલાક રાજ્યોમાં આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મુશળધાર વરસાદ થયો છે. આ વરસાદથી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ડાંગરના પાક પર ખુબ ખરાબ અસર થઈ છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં થયેલા વરસાદને કારણે ડાંગરના 20 થી 30 ટકા પાકને નુકસાન થયું છે. એટલું જ નહીં, સરકારનો રાશનનો સ્ટોક પણ ગત વર્ષની તુલનામાં અડધો થઈ ગયો છે.



ઉત્તર ભારતમાં વરસાદથી કૃષિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન


ઉત્તર ભારતમાં ભારે વરસાદથી કૃષિ પાકને નુકસાન થતા અનાજની અછત સર્જાશે, તેના કારણે  ખાદ્ય મોંઘવારી ખુબ વધી શકે છે, જે બે વર્ષની ટોચે છે. આ ઉપરાંત શાકભાજી, દૂધ, કઠોળ અને તેલના ભાવમાં પણ જોરદાર વધારો થયો છે. આ વસ્તુઓ કન્ઝ્યુમર ઈન્ડેક્સમાં ચોથા ભાગનું યોગદાન આપે છે. આનો અર્થ એ થયો કે આગામી મહિનાઓમાં મોંઘવારીના ઈન્ડેક્સમાં પણ ઉછાળો આવશે.


'મોંઘવારી આસમાને પણ પગારમાં વધારો નહીં'


આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે આવી સ્થિતિમાં રિઝર્વ બેંક દ્વારા દરમાં થોડો વધારો કરવામાં આવી શકે છે. જો કે આનાથી મોંઘવારી કેટલી ઘટશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. ખાસ કરીને, આ પગલાંથી ખાદ્યપદાર્થોના ફુગાવાને નિયંત્રિત કરવું મુશ્કેલ બનશે. નિષ્ણાતો માને છે કે નબળા વર્ગની આવકની સરખામણીમાં મોંઘવારી ખુબ જ ઝડપથી  વધી છે. ક્રિસિલના રિપોર્ટ અનુસાર, ગ્રામીણ ગરીબો માટે સપ્ટેમ્બરમાં મોંઘવારીનો દર 8.1 ટકા રહ્યો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 20 ટકા અમીર લોકો માટે તે 7.2 ટકા છે. આના પરથી આપણે સમજી શકીએ છીએ કે મોંઘવારીથી કયા વર્ગને સૌથી વધુ નુકસાન થયું છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.