મોંઘવારી આસમાને, ગૃહિણીઓનું બજેટ બગડશે! આ બે કારણોથી પરિસ્થિતી વણસી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 20:14:54


દેશના કેટલાક રાજ્યોમાં આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મુશળધાર વરસાદ થયો છે. આ વરસાદથી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ડાંગરના પાક પર ખુબ ખરાબ અસર થઈ છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં થયેલા વરસાદને કારણે ડાંગરના 20 થી 30 ટકા પાકને નુકસાન થયું છે. એટલું જ નહીં, સરકારનો રાશનનો સ્ટોક પણ ગત વર્ષની તુલનામાં અડધો થઈ ગયો છે.



ઉત્તર ભારતમાં વરસાદથી કૃષિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન


ઉત્તર ભારતમાં ભારે વરસાદથી કૃષિ પાકને નુકસાન થતા અનાજની અછત સર્જાશે, તેના કારણે  ખાદ્ય મોંઘવારી ખુબ વધી શકે છે, જે બે વર્ષની ટોચે છે. આ ઉપરાંત શાકભાજી, દૂધ, કઠોળ અને તેલના ભાવમાં પણ જોરદાર વધારો થયો છે. આ વસ્તુઓ કન્ઝ્યુમર ઈન્ડેક્સમાં ચોથા ભાગનું યોગદાન આપે છે. આનો અર્થ એ થયો કે આગામી મહિનાઓમાં મોંઘવારીના ઈન્ડેક્સમાં પણ ઉછાળો આવશે.


'મોંઘવારી આસમાને પણ પગારમાં વધારો નહીં'


આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે આવી સ્થિતિમાં રિઝર્વ બેંક દ્વારા દરમાં થોડો વધારો કરવામાં આવી શકે છે. જો કે આનાથી મોંઘવારી કેટલી ઘટશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. ખાસ કરીને, આ પગલાંથી ખાદ્યપદાર્થોના ફુગાવાને નિયંત્રિત કરવું મુશ્કેલ બનશે. નિષ્ણાતો માને છે કે નબળા વર્ગની આવકની સરખામણીમાં મોંઘવારી ખુબ જ ઝડપથી  વધી છે. ક્રિસિલના રિપોર્ટ અનુસાર, ગ્રામીણ ગરીબો માટે સપ્ટેમ્બરમાં મોંઘવારીનો દર 8.1 ટકા રહ્યો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 20 ટકા અમીર લોકો માટે તે 7.2 ટકા છે. આના પરથી આપણે સમજી શકીએ છીએ કે મોંઘવારીથી કયા વર્ગને સૌથી વધુ નુકસાન થયું છે.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .