આ દાદાએ 96 વર્ષની ઉંમરે બાપ બનીને ગીનિસ બૂકમાં રેકોર્ડ લખાવી લીધો, એકને તો 21 બાળકો છે


  • Published By :
  • Published Date : 2023-03-15 16:47:44

જો તમને એવી ખબર પડે કે હરિયાણાના રામજીત રાઘવ પાસે દુનિયામાં સૌથી મોટી ઉંમરે એટલે કે 96 વર્ષની ઉંમરે બાપ બનવાનો રેકોર્ડ છે તો આ જાણીને તમને શું થાય?? એવો સવાલ થશે કે આ દાદા ખાતા શું હશે.... એવું પણ થાય કે તો બીજા કોણ એવા લોકો છે જે આટલી મોટી ઉંમરે બાપ બન્યા હોય.... ચાલો જાણીએ કોણ દુનિયાના સૌથી મોટી ઉંમરમાં બાપ બન્યા અને તે શું કરતા હતા...  

ब्रह्मचर्य तोड़कर 96 साल में पिता बनकर सबको चौंकाने वाले इस शख्स का खौफनाक  अंत | The oldest father of the country Ramjit Raghav died in a suspicious  condition kpa

દુનિયાના સૌથી મોટી ઉંમરના બાપ બનવાના ટોપ ફાઈવ લોકોની વાત કરીએ તો પાંચમાંથી બે તો ભારતના છે.... સૌથી મોટી ઉંમરમાં બાપ બનવામાં સૌથી પહેલા નંબર પર ભારતના હરિયાણાના રામજીત રાઘવ છે. 96 વર્ષની ઉંમરે રામજીત રાઘવ બીજા બાળકના પિતા બન્યા હતા. મજૂરી કરીને જીવન ગુજારતા રામજીત રાઘવ શુદ્ધ શાકાહારી ભોજન લેતા. 2010માં તે પહેલીવાર બાપ બન્યા હતા અને 2012માં રામજીતના પત્ની શકુંતલાએ બીજા બાળકને જન્મ આપ્યો.

રામજીત પહેલા ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં રહેતા લેસ કોલે સૌથી મોટી ઉંમરના પિતા. 92 વર્ષની ઉંમરે તે નવમા બાળકના પિતા બન્યા હતા અને ગીનીસ બુકમાં દુનિયાના સૌથી મોટી ઉંમરના બાપ તરીકે પોતાનું નામ લખાવ્યું હતું. પણ તે હવે દુનિયાના સૌથી બીજા નંબરના મોટી ઉંમરના બાપ છે.

World's oldest Indian Father – Nanu Ram Jogi

દુનિયાના ત્રીજા સૌથી મોટી ઉંમરના વ્યક્તિ પણ ભારતના છે. 2007માં રાજસ્થાનના નાનુરામ જોગી 90 વર્ષની ઉંમરે 21મા બાળકના પિતા બન્યા. દુનિયાના સૌથી મોટી ઉંમરના બાપ રામજીત રાઘવ શાકાહારી હતા પણ નાનુરામ જોગી માંસાહારી હતા. નાનુરામ 12 છોકરા અને 9 છોકરીઓના બાપ હતા. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે સસલું, ઘેટાના બચ્ચા, ઉંટડીનું દૂધ, ચિકન અને જંગલી જનાવરોને ખાતા હતા. 

I 2005 døde Julio Iglesias Sr., 90 år gammel mens hans kone på 42 år var  gravid med deres andet barn. – Unyttige Historiefacts

ત્યાર બાદ સ્પેનના જુલિયો ઈગ્લિયાસ સીનિયરનું નામ આવે છે. તમે પેલા બાઈલેન્દો સોંગ વાળા સિંગર એનરિક એગ્લેસિયસને સાંભળ્યા હતા. તેના દાદા એટલે જુલિયો ઈગ્લિયાસ સીનિયર. તમને જાણીને નવાઈ લાગશે કે 90 વર્ષની ઉંમરે 2005માં એગ્લેશિયસ ગુજર્યા તેના સાત મહિના પછી તે પિતા બન્યા હતા. એક રીતે જોવા જઈએ તો તે 90 વર્ષની ઉઁમરે ચોથા બાળકના બાપ બન્યા ત્યારે તે આ દુનિયામાં હતા જ નહીં. 

10 Oldest Fathers in the World - Oldest.org

દુનિયાના પાંચમાં નંબરના સૌથી મોટી ઉંમરના બાપ એટલે રશિયાના અર્માઈસ નજારોવ. જે નેવ્યાશી વર્ષની ઉંમરે ચોથા બાળકના પિતા બન્યા હતા. 89 વર્ષની ઉંમરે તે પિતા બન્યા ત્યારે તેમના પત્ની 34 વર્ષના હતા. બંનેની ઉંમર વચ્ચે 55 વર્ષનું અંતર હતું. અર્માઈસ નજારોવ વર્લ્ડ વોર બેમાં પણ ભાગ લઈ ચુક્યા છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.