Vadodaraમાં Instagramનાં Liveએ બબાલ ઊભી કરી! બે કોમ વચ્ચે પથ્થરમારો, જાણો કેવી રીતે થઈ આ બબાલ?


  • Published By :
  • Published Date : 2024-02-23 16:11:45

સોશિયલ મીડિયા આમ તો લોકોને જોડતું માધ્યમ છે પરંતુ અનેક વખત સોશિયલ મીડિયાના માધ્યમથી પરિસ્થિતિ વણસી જાય છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવતી પોસ્ટને કારણે જૂથ અથડામણ થતી હોય છે. આમ તો લોકો અત્યારે સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂકનો ઉપયોગ કરતાં હોય છે પણ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે એની કોઈ પોસ્ટ કોઈના ઝઘડાનું કારણ બને કે પછી એના કારણે જૂથ અથડામણ થાય એવું ભાગ્યેજ બનતું હશે પણ એવી ઘટના વડોદરાથી સામે આવી છે.   

ધાર્મિક લાગણી દુભાય તેવી કરવામાં આવી પોસ્ટ! 

વડોદરા શહેરમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે.  21 ફેબ્રુઆરીએ જતીનભાઇ અર્જુનભાઈ પટેલ નામના વ્યક્તિ જે મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવે છે તેમણે દુકાનની ઓફરો ગ્રાહકોને જણાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ કર્યું હતું અને ગ્રાહકોને જય શ્રીરામ કહીને શુભેચ્છા પાઠવી ઓફરની જાહેરાત કરી. ત્યારે sahid-patel-7070 નામની ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપરથી કોમેન્ટ કરવામાં આવી. 


પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ!

આ આઈડી પરથી ધાર્મિક લાગણી દુભાય તેવી બિભત્સ ગાળ લખી ત્યારે આ કોમેન્ટ જોઈ જતીનભાઇ પટેલે તપાસ કરતા અભદ્ર ટિપ્પણી કરનાર યુવક પાદરા તાલુકાના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતો સહીદ પટેલ હોવાનું જાણવા મળ્યું પછી સહીદ સાથે ફોન પર વાત કરી તો તેને દાદાગીરી કરી ધાક ધમકી આપતા જતીન ભાઇ પટેલે તેની સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આખો મામલો બહાર આવ્યો

ટોળાને વિખેરવા માટે પોલીસે કર્યો પથ્થરમારો!  

આ ઘટના બાદ હિન્દુ સંગઠનો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા મોડી રાત્રે નવાપુરા પોલીસ મથક બહાર એકઠા થઈ ગયા હતા અને ત્યાં જય શ્રી રામના નારા લગાવી આરોપી સહીદ પટેલની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અહીંથી નહીં જઇએ તેવી જીદ પકડી એટલે વાત વધારે બગડી અને વિરોધ કરી રહેલા લોકો સામે પથ્થરમારો થયો ટોળાને વિખેરી મામલો થાળે પાડીને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે જોવું રહ્યું આ ઘટનામાં આગળ શું થાય છે?  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.