Vadodaraમાં Instagramનાં Liveએ બબાલ ઊભી કરી! બે કોમ વચ્ચે પથ્થરમારો, જાણો કેવી રીતે થઈ આ બબાલ?


  • Published By :
  • Published Date : 2024-02-23 16:11:45

સોશિયલ મીડિયા આમ તો લોકોને જોડતું માધ્યમ છે પરંતુ અનેક વખત સોશિયલ મીડિયાના માધ્યમથી પરિસ્થિતિ વણસી જાય છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવતી પોસ્ટને કારણે જૂથ અથડામણ થતી હોય છે. આમ તો લોકો અત્યારે સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂકનો ઉપયોગ કરતાં હોય છે પણ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે એની કોઈ પોસ્ટ કોઈના ઝઘડાનું કારણ બને કે પછી એના કારણે જૂથ અથડામણ થાય એવું ભાગ્યેજ બનતું હશે પણ એવી ઘટના વડોદરાથી સામે આવી છે.   

ધાર્મિક લાગણી દુભાય તેવી કરવામાં આવી પોસ્ટ! 

વડોદરા શહેરમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે.  21 ફેબ્રુઆરીએ જતીનભાઇ અર્જુનભાઈ પટેલ નામના વ્યક્તિ જે મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવે છે તેમણે દુકાનની ઓફરો ગ્રાહકોને જણાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ કર્યું હતું અને ગ્રાહકોને જય શ્રીરામ કહીને શુભેચ્છા પાઠવી ઓફરની જાહેરાત કરી. ત્યારે sahid-patel-7070 નામની ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપરથી કોમેન્ટ કરવામાં આવી. 


પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ!

આ આઈડી પરથી ધાર્મિક લાગણી દુભાય તેવી બિભત્સ ગાળ લખી ત્યારે આ કોમેન્ટ જોઈ જતીનભાઇ પટેલે તપાસ કરતા અભદ્ર ટિપ્પણી કરનાર યુવક પાદરા તાલુકાના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતો સહીદ પટેલ હોવાનું જાણવા મળ્યું પછી સહીદ સાથે ફોન પર વાત કરી તો તેને દાદાગીરી કરી ધાક ધમકી આપતા જતીન ભાઇ પટેલે તેની સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આખો મામલો બહાર આવ્યો

ટોળાને વિખેરવા માટે પોલીસે કર્યો પથ્થરમારો!  

આ ઘટના બાદ હિન્દુ સંગઠનો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા મોડી રાત્રે નવાપુરા પોલીસ મથક બહાર એકઠા થઈ ગયા હતા અને ત્યાં જય શ્રી રામના નારા લગાવી આરોપી સહીદ પટેલની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અહીંથી નહીં જઇએ તેવી જીદ પકડી એટલે વાત વધારે બગડી અને વિરોધ કરી રહેલા લોકો સામે પથ્થરમારો થયો ટોળાને વિખેરી મામલો થાળે પાડીને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે જોવું રહ્યું આ ઘટનામાં આગળ શું થાય છે?  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.