Vadodaraમાં Instagramનાં Liveએ બબાલ ઊભી કરી! બે કોમ વચ્ચે પથ્થરમારો, જાણો કેવી રીતે થઈ આ બબાલ?


  • Published By :
  • Published Date : 2024-02-23 16:11:45

સોશિયલ મીડિયા આમ તો લોકોને જોડતું માધ્યમ છે પરંતુ અનેક વખત સોશિયલ મીડિયાના માધ્યમથી પરિસ્થિતિ વણસી જાય છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવતી પોસ્ટને કારણે જૂથ અથડામણ થતી હોય છે. આમ તો લોકો અત્યારે સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂકનો ઉપયોગ કરતાં હોય છે પણ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે એની કોઈ પોસ્ટ કોઈના ઝઘડાનું કારણ બને કે પછી એના કારણે જૂથ અથડામણ થાય એવું ભાગ્યેજ બનતું હશે પણ એવી ઘટના વડોદરાથી સામે આવી છે.   

ધાર્મિક લાગણી દુભાય તેવી કરવામાં આવી પોસ્ટ! 

વડોદરા શહેરમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે.  21 ફેબ્રુઆરીએ જતીનભાઇ અર્જુનભાઈ પટેલ નામના વ્યક્તિ જે મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવે છે તેમણે દુકાનની ઓફરો ગ્રાહકોને જણાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ કર્યું હતું અને ગ્રાહકોને જય શ્રીરામ કહીને શુભેચ્છા પાઠવી ઓફરની જાહેરાત કરી. ત્યારે sahid-patel-7070 નામની ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપરથી કોમેન્ટ કરવામાં આવી. 


પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ!

આ આઈડી પરથી ધાર્મિક લાગણી દુભાય તેવી બિભત્સ ગાળ લખી ત્યારે આ કોમેન્ટ જોઈ જતીનભાઇ પટેલે તપાસ કરતા અભદ્ર ટિપ્પણી કરનાર યુવક પાદરા તાલુકાના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતો સહીદ પટેલ હોવાનું જાણવા મળ્યું પછી સહીદ સાથે ફોન પર વાત કરી તો તેને દાદાગીરી કરી ધાક ધમકી આપતા જતીન ભાઇ પટેલે તેની સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આખો મામલો બહાર આવ્યો

ટોળાને વિખેરવા માટે પોલીસે કર્યો પથ્થરમારો!  

આ ઘટના બાદ હિન્દુ સંગઠનો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા મોડી રાત્રે નવાપુરા પોલીસ મથક બહાર એકઠા થઈ ગયા હતા અને ત્યાં જય શ્રી રામના નારા લગાવી આરોપી સહીદ પટેલની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અહીંથી નહીં જઇએ તેવી જીદ પકડી એટલે વાત વધારે બગડી અને વિરોધ કરી રહેલા લોકો સામે પથ્થરમારો થયો ટોળાને વિખેરી મામલો થાળે પાડીને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે જોવું રહ્યું આ ઘટનામાં આગળ શું થાય છે?  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે