ભાજપે જવાબદારી સ્વીકારવાની જગ્યાએ ઢોળવાની રાજનીતિ શરૂ કરી


  • Published By :
  • Published Date : 2022-10-31 11:53:09

ગજબ છે યાર ભાજપનું આઈટી સેલ આટલી કરુણ ઘટના પર આવી પ્રતિક્રિયાઓ કેમ આપી શકે. ગુજરાતના 130થી વધુ લોકોના મોત થયા છે. કમ સે કમ આ દુર્ઘટના મામલે તો પોતાની કલા કૌશલ્યતા ના દેખાડે. સોશિયલ મીડિયા પર એક ફોટો સતત વાયરલ થઈ રહ્યો છે જે મામલે સોશિયલ મીડિયા પર પંકજ શુક્લા નામના વ્યક્તિએ એક ટ્વીટ કરી છે. ગુજરાત ભાજપના IT સેલના ડોક્ટર પંકજ શુક્લાએ ટ્વીટ કરી આક્ષેપની રાજનીતિ શરૂ કરી છે. સરકારની જવાબદારી હોય છે, લોકોએ તેમને ચૂંટીને વિધાનસભા ગૃહ મોકલ્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટના મામલે જવાબદારી સ્વિકારવાની જગ્યાએ ભાજપનું આઈટી સેલ વિચારી રહ્યું છે કે જવાબદારી બીજા પર કેવી રીતે ઢોળી શકાય. અંતે સોશિયલ મીડિયામાં પ્રશંસાની જગ્યાએ ડોક્ટર સાહેબની ફજેતી થતાં તેમણે ટ્વીટ ડિલિટ કરી દીધી હતી.


ભાજપના આઈટી સેલની કરુણ ઘટના પર ગંદી ક્રિએટિવિટી 

ભાજપના આઈટી સેલના ડોક્ટર પંકજ શુક્લાએ ટ્વીટ કરી છે કે આ ઘટના છે કે કાવતરું? તેમણે ફોટો લગાવ્યો છે જેમાં લખાયું છે કે તો શું દિલ્લીની જેમ ગુજરાતમાં પણ રાજકીય લાભ માટે આગ લગાડવામાં આવી રહી છે? આ ફોટો અંદર વંદે ભારત એક્સપ્રેસ સાથે પશુ અથડાયું હોય તેવો ફોટો છે, દિવાળીમાં વડોદરામાં જે સાંપ્રદાયિક ઘટના ઘટી હતી તેનો ફોટો છે. મોરબી બ્રીજનો અકસ્માત છે અને ચોથો આમ આદમી પાર્ટીના નેતા મામલે લખાયું છે કે અકસ્માત પછી તરત જ વીડિયો પોસ્ટ કરવા માટે આપના નેતા તૈયાર બેઠેલા હોય છે. 


આ નેતાઓ એક થઈ કામગીરી કેમ નથી કરતા?

અત્યારે સમય છે તમામ પક્ષો એક થઈ ઈજાગ્રસ્તો અને મૃત્યુ પામેલા લોકોના પરિવારને સંવેદના મળે તેવી કોઈ કામગીરી કરવાનો. કોઈ પણ પાર્ટી હોય રાજકીય લાભ લેવા માટે પહોંચી જતી હોય છે. ત્યાં રાજકીય નિવેદનો ના આપે ત્યાં સુધી બધુ સારું હોય છે પણ ત્યાં જો ભાજપ-કોંગ્રેસની કે ભાજપ-આપની કે ભાજપ-આપની કે કોંગ્રેસ-આપની રાજનીતિ શરૂ કરી દેય છે. આ તો મૃતકોનું અપમાન કહેવાય. ભાજપનું આઈટી સેલ સરકારની સારી યોજનાનો પ્રચાર પ્રસાર કરે ત્યાં સુધી બધુ ઠીક છે પણ આવી કરુણ ઘટના પર રાજનીતિ? શરમ આવવી જોઈએ, ગુજરાતની અંદર 130થી વધુ નિર્દોષ લોકોના મોત થઈ ગયા છે. કોઈ નાની સૂની વાત હોય તો ઠીક છે પણ આટલી મોટી દુર્ઘટનાનો મજાક બનાવવામાં આવી રહ્યો છે. નેતાઓ જે પોતે જવાબદાર છે તેઓ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળી રહ્યા છે. કોઈની બેન નથી મળી રહી, કોઈના પતિ નથી મળી રહ્યા, કોઈના ભાઈ ગુમ છે, કોઈના મા-બાપ નથી મળી રહ્યા, કોઈને બ્લડ નહોતું મળી રહ્યું, કોઈને એમ્બ્યુલન્સની જરૂર હતી, સારવાર માટે સહાય જાહેર કરી છે પરંતુ નાના લોકો જે ઈજા પામ્યા છે તેમની પાસે સારવાર ના રૂપિયા નહોતા, આ બધા મામલે કામગીરી કરવાની જગ્યાએ આટલું ગંદુ રાજકારણ કેમ કરવામાં આવી રહ્યું છે તે આશ્ચર્યની વાત છે. આવી કરૂણ ઘટના જેમાં મોરબી આખું ઉંઘી નથી શક્યું, ગુજરાત નથી ઉંઘી શક્યું તે દરમિયાન જવાબદારને જવાબદારી સ્વીકારવી જોઈએ અને કસૂરવારને કડકમાં કડક દંડ કરવો જોઈએ. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.