ભાજપે જવાબદારી સ્વીકારવાની જગ્યાએ ઢોળવાની રાજનીતિ શરૂ કરી


  • Published By :
  • Published Date : 2022-10-31 11:53:09

ગજબ છે યાર ભાજપનું આઈટી સેલ આટલી કરુણ ઘટના પર આવી પ્રતિક્રિયાઓ કેમ આપી શકે. ગુજરાતના 130થી વધુ લોકોના મોત થયા છે. કમ સે કમ આ દુર્ઘટના મામલે તો પોતાની કલા કૌશલ્યતા ના દેખાડે. સોશિયલ મીડિયા પર એક ફોટો સતત વાયરલ થઈ રહ્યો છે જે મામલે સોશિયલ મીડિયા પર પંકજ શુક્લા નામના વ્યક્તિએ એક ટ્વીટ કરી છે. ગુજરાત ભાજપના IT સેલના ડોક્ટર પંકજ શુક્લાએ ટ્વીટ કરી આક્ષેપની રાજનીતિ શરૂ કરી છે. સરકારની જવાબદારી હોય છે, લોકોએ તેમને ચૂંટીને વિધાનસભા ગૃહ મોકલ્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટના મામલે જવાબદારી સ્વિકારવાની જગ્યાએ ભાજપનું આઈટી સેલ વિચારી રહ્યું છે કે જવાબદારી બીજા પર કેવી રીતે ઢોળી શકાય. અંતે સોશિયલ મીડિયામાં પ્રશંસાની જગ્યાએ ડોક્ટર સાહેબની ફજેતી થતાં તેમણે ટ્વીટ ડિલિટ કરી દીધી હતી.


ભાજપના આઈટી સેલની કરુણ ઘટના પર ગંદી ક્રિએટિવિટી 

ભાજપના આઈટી સેલના ડોક્ટર પંકજ શુક્લાએ ટ્વીટ કરી છે કે આ ઘટના છે કે કાવતરું? તેમણે ફોટો લગાવ્યો છે જેમાં લખાયું છે કે તો શું દિલ્લીની જેમ ગુજરાતમાં પણ રાજકીય લાભ માટે આગ લગાડવામાં આવી રહી છે? આ ફોટો અંદર વંદે ભારત એક્સપ્રેસ સાથે પશુ અથડાયું હોય તેવો ફોટો છે, દિવાળીમાં વડોદરામાં જે સાંપ્રદાયિક ઘટના ઘટી હતી તેનો ફોટો છે. મોરબી બ્રીજનો અકસ્માત છે અને ચોથો આમ આદમી પાર્ટીના નેતા મામલે લખાયું છે કે અકસ્માત પછી તરત જ વીડિયો પોસ્ટ કરવા માટે આપના નેતા તૈયાર બેઠેલા હોય છે. 


આ નેતાઓ એક થઈ કામગીરી કેમ નથી કરતા?

અત્યારે સમય છે તમામ પક્ષો એક થઈ ઈજાગ્રસ્તો અને મૃત્યુ પામેલા લોકોના પરિવારને સંવેદના મળે તેવી કોઈ કામગીરી કરવાનો. કોઈ પણ પાર્ટી હોય રાજકીય લાભ લેવા માટે પહોંચી જતી હોય છે. ત્યાં રાજકીય નિવેદનો ના આપે ત્યાં સુધી બધુ સારું હોય છે પણ ત્યાં જો ભાજપ-કોંગ્રેસની કે ભાજપ-આપની કે ભાજપ-આપની કે કોંગ્રેસ-આપની રાજનીતિ શરૂ કરી દેય છે. આ તો મૃતકોનું અપમાન કહેવાય. ભાજપનું આઈટી સેલ સરકારની સારી યોજનાનો પ્રચાર પ્રસાર કરે ત્યાં સુધી બધુ ઠીક છે પણ આવી કરુણ ઘટના પર રાજનીતિ? શરમ આવવી જોઈએ, ગુજરાતની અંદર 130થી વધુ નિર્દોષ લોકોના મોત થઈ ગયા છે. કોઈ નાની સૂની વાત હોય તો ઠીક છે પણ આટલી મોટી દુર્ઘટનાનો મજાક બનાવવામાં આવી રહ્યો છે. નેતાઓ જે પોતે જવાબદાર છે તેઓ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળી રહ્યા છે. કોઈની બેન નથી મળી રહી, કોઈના પતિ નથી મળી રહ્યા, કોઈના ભાઈ ગુમ છે, કોઈના મા-બાપ નથી મળી રહ્યા, કોઈને બ્લડ નહોતું મળી રહ્યું, કોઈને એમ્બ્યુલન્સની જરૂર હતી, સારવાર માટે સહાય જાહેર કરી છે પરંતુ નાના લોકો જે ઈજા પામ્યા છે તેમની પાસે સારવાર ના રૂપિયા નહોતા, આ બધા મામલે કામગીરી કરવાની જગ્યાએ આટલું ગંદુ રાજકારણ કેમ કરવામાં આવી રહ્યું છે તે આશ્ચર્યની વાત છે. આવી કરૂણ ઘટના જેમાં મોરબી આખું ઉંઘી નથી શક્યું, ગુજરાત નથી ઉંઘી શક્યું તે દરમિયાન જવાબદારને જવાબદારી સ્વીકારવી જોઈએ અને કસૂરવારને કડકમાં કડક દંડ કરવો જોઈએ. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.