ભાજપે જવાબદારી સ્વીકારવાની જગ્યાએ ઢોળવાની રાજનીતિ શરૂ કરી


  • Published By :
  • Published Date : 2022-10-31 11:53:09

ગજબ છે યાર ભાજપનું આઈટી સેલ આટલી કરુણ ઘટના પર આવી પ્રતિક્રિયાઓ કેમ આપી શકે. ગુજરાતના 130થી વધુ લોકોના મોત થયા છે. કમ સે કમ આ દુર્ઘટના મામલે તો પોતાની કલા કૌશલ્યતા ના દેખાડે. સોશિયલ મીડિયા પર એક ફોટો સતત વાયરલ થઈ રહ્યો છે જે મામલે સોશિયલ મીડિયા પર પંકજ શુક્લા નામના વ્યક્તિએ એક ટ્વીટ કરી છે. ગુજરાત ભાજપના IT સેલના ડોક્ટર પંકજ શુક્લાએ ટ્વીટ કરી આક્ષેપની રાજનીતિ શરૂ કરી છે. સરકારની જવાબદારી હોય છે, લોકોએ તેમને ચૂંટીને વિધાનસભા ગૃહ મોકલ્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટના મામલે જવાબદારી સ્વિકારવાની જગ્યાએ ભાજપનું આઈટી સેલ વિચારી રહ્યું છે કે જવાબદારી બીજા પર કેવી રીતે ઢોળી શકાય. અંતે સોશિયલ મીડિયામાં પ્રશંસાની જગ્યાએ ડોક્ટર સાહેબની ફજેતી થતાં તેમણે ટ્વીટ ડિલિટ કરી દીધી હતી.


ભાજપના આઈટી સેલની કરુણ ઘટના પર ગંદી ક્રિએટિવિટી 

ભાજપના આઈટી સેલના ડોક્ટર પંકજ શુક્લાએ ટ્વીટ કરી છે કે આ ઘટના છે કે કાવતરું? તેમણે ફોટો લગાવ્યો છે જેમાં લખાયું છે કે તો શું દિલ્લીની જેમ ગુજરાતમાં પણ રાજકીય લાભ માટે આગ લગાડવામાં આવી રહી છે? આ ફોટો અંદર વંદે ભારત એક્સપ્રેસ સાથે પશુ અથડાયું હોય તેવો ફોટો છે, દિવાળીમાં વડોદરામાં જે સાંપ્રદાયિક ઘટના ઘટી હતી તેનો ફોટો છે. મોરબી બ્રીજનો અકસ્માત છે અને ચોથો આમ આદમી પાર્ટીના નેતા મામલે લખાયું છે કે અકસ્માત પછી તરત જ વીડિયો પોસ્ટ કરવા માટે આપના નેતા તૈયાર બેઠેલા હોય છે. 


આ નેતાઓ એક થઈ કામગીરી કેમ નથી કરતા?

અત્યારે સમય છે તમામ પક્ષો એક થઈ ઈજાગ્રસ્તો અને મૃત્યુ પામેલા લોકોના પરિવારને સંવેદના મળે તેવી કોઈ કામગીરી કરવાનો. કોઈ પણ પાર્ટી હોય રાજકીય લાભ લેવા માટે પહોંચી જતી હોય છે. ત્યાં રાજકીય નિવેદનો ના આપે ત્યાં સુધી બધુ સારું હોય છે પણ ત્યાં જો ભાજપ-કોંગ્રેસની કે ભાજપ-આપની કે ભાજપ-આપની કે કોંગ્રેસ-આપની રાજનીતિ શરૂ કરી દેય છે. આ તો મૃતકોનું અપમાન કહેવાય. ભાજપનું આઈટી સેલ સરકારની સારી યોજનાનો પ્રચાર પ્રસાર કરે ત્યાં સુધી બધુ ઠીક છે પણ આવી કરુણ ઘટના પર રાજનીતિ? શરમ આવવી જોઈએ, ગુજરાતની અંદર 130થી વધુ નિર્દોષ લોકોના મોત થઈ ગયા છે. કોઈ નાની સૂની વાત હોય તો ઠીક છે પણ આટલી મોટી દુર્ઘટનાનો મજાક બનાવવામાં આવી રહ્યો છે. નેતાઓ જે પોતે જવાબદાર છે તેઓ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળી રહ્યા છે. કોઈની બેન નથી મળી રહી, કોઈના પતિ નથી મળી રહ્યા, કોઈના ભાઈ ગુમ છે, કોઈના મા-બાપ નથી મળી રહ્યા, કોઈને બ્લડ નહોતું મળી રહ્યું, કોઈને એમ્બ્યુલન્સની જરૂર હતી, સારવાર માટે સહાય જાહેર કરી છે પરંતુ નાના લોકો જે ઈજા પામ્યા છે તેમની પાસે સારવાર ના રૂપિયા નહોતા, આ બધા મામલે કામગીરી કરવાની જગ્યાએ આટલું ગંદુ રાજકારણ કેમ કરવામાં આવી રહ્યું છે તે આશ્ચર્યની વાત છે. આવી કરૂણ ઘટના જેમાં મોરબી આખું ઉંઘી નથી શક્યું, ગુજરાત નથી ઉંઘી શક્યું તે દરમિયાન જવાબદારને જવાબદારી સ્વીકારવી જોઈએ અને કસૂરવારને કડકમાં કડક દંડ કરવો જોઈએ. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.