લગ્ન પાછળ લાખો ખર્ચ કરવાને બદલે IPS-IASએ કર્યા સાદગીથી લગ્ન, 2000 રુપિયામાં સંપન્ન કરી લગ્નની વિધી, આ રાજ્યમાં નિભાવે છે ફરજ


  • Published By :
  • Published Date : 2023-08-26 15:15:25

લગ્ન પાછળ અનેક લોકો લાખો રૂપિયા ખર્ચતા હોય છે. એક દિવસના જશ્ન પાછળ લાખો રૂપિયા વાપરવામાં આવે છે. પરંતુ હવે અનેક લોકો એવા છે જે લગ્ન પાછળ ઓછા પૈસા ખર્ચ કરે છે. ધામધૂમમાં નહીં પરંતુ સાદાઈથી લગ્ન કરવાનું પસંદ કરી રહ્યા છે. આજની યુવા પેઢી શિક્ષિત પેઢી છે, જાગૃત છે માટે તેમના પ્રેરણાસ્ત્રોત કોઈ હિરો કે હિરોઈન નથી. તેમના પ્રેરણાસ્ત્રોત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે. આજે એવા જ આઈએએસ અને આઈપીએસ અધિકારીની વાત કરવી છે જેમણે ખોટો ખર્ચો કરવાનું ટાળ્યું હતું અને સાદગીથી લગ્ન કર્યા. છત્તિસગઢના આઈએએસ અધિકારી યુવરાજ મરમટે આઈપીએસ મોનિકા સાથે કોર્ટરૂમમાં માત્ર 2 હજાર રૂપિયામાં લગ્ન કર્યા. 


સાદાઈથી આઈએએસ અને આઈપીએસ અધિકારીએ કર્યા લગ્ન 

વિગતવાર વાત કરીએ તો 2022 બેચના છત્તીસગઢ કેડરના IAS અધિકારી અને રાયગઢ જિલ્લામાં મદદનીશ કલેક્ટર તરીકે તૈનાત યુવરાજ મરમટે તેલંગાણા કેડરના IPS પી. મોનિકા સાથે લગ્ન કર્યા. પી. મોનિકા તેલંગાણા કેડરની 2022 બેચના પોલીસ અધિકારી છે. આ દંપતીએ લગ્નમાં ધૂમાડાબંધ ઉજવણી ન કરતા સોમવારે સાવ સાદાઈથી કોર્ટ મેરેજ કર્યા. રાયગઢના કલેક્ટર તરણ પ્રકાશ સિન્હાએ નવદંપતીને અભિનંદન પાઠવ્યા હતા. 


નવદંપત્તિને અધિકારીઓએ પાઠવ્યા અભિનંદન 

જિલ્લા પંચાયતના CEO જીતેન્દ્ર યાદવે નવદંપતી અધિકારીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. આઈએએસના યુવરાજ મરમટ અને આઈપીએસના પી. મોનિકાએ એડિશનલ કલેક્ટર સંતન દેવી જાંગડે પાસેથી લગ્નનું લાઇસન્સ મેળવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી હતી.


IAS યુવરાજ મરમટ આ બેચના છે અધિકારી  

IAS યુવરાજ મરમટ છત્તીસગઢ કેડરના 2022 બેચના IAS અધિકારી છે. તે મૂળ રાજસ્થાનના જયપુર જિલ્લાના મલારના ચૌધના રહેવાસી છે. તેમના પિતા સીતારામ મીણા નિવૃત્ત નાયબ નિયામક - જનસંપર્ક અધિકારી છે. યુવરાજે IIT BHUમાંથી સિવિલ બ્રાન્ચમાં B.Tech ડિગ્રી મેળવી છે. તેણે 2013માં ગેટની પરીક્ષા પણ પાસ કરી હતી. તે ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ માટે પણ પાસ થયા હતા. આ પછી, તેમણે કામ કરતી વખતે UPSC માટે તૈયારી કરી અને 2022 માં છઠ્ઠા પ્રયાસમાં 458 રેન્ક સાથે IAS અધિકારી બન્યા.


દેખાદેખીને કારણે લોકો લગ્નમાં કરે છે લાખોનો ખર્ચો! 

અત્યારની પેઢી માટે આઈએએસ અને આઈપીસે અધિકારીઓ પ્રેરણાસ્ત્રોત છે તો વિદ્યાર્થીઓએ પણ તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને લગ્નમાં ખોટા ખર્ચ ન કરવા જોઈએ. લગ્ન એક બંધન છે ભલે એકવાર થાય પણ કોઈને દેખાડી દઉં એવા લગ્ન કરવા છે એ ભાવ તો મનમાં ન જ હોવો જોઈએ. એક એ છે અને એક આપણે છીએ ક્યારેક એવું બને છે કે ક્ષમતા ન હોવા છતાં દેખાદેખીમાં લાખો રૂપિયાનો ધૂમાડો કરી દઈએ છીએ



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.