લગ્ન પાછળ લાખો ખર્ચ કરવાને બદલે IPS-IASએ કર્યા સાદગીથી લગ્ન, 2000 રુપિયામાં સંપન્ન કરી લગ્નની વિધી, આ રાજ્યમાં નિભાવે છે ફરજ


  • Published By :
  • Published Date : 2023-08-26 15:15:25

લગ્ન પાછળ અનેક લોકો લાખો રૂપિયા ખર્ચતા હોય છે. એક દિવસના જશ્ન પાછળ લાખો રૂપિયા વાપરવામાં આવે છે. પરંતુ હવે અનેક લોકો એવા છે જે લગ્ન પાછળ ઓછા પૈસા ખર્ચ કરે છે. ધામધૂમમાં નહીં પરંતુ સાદાઈથી લગ્ન કરવાનું પસંદ કરી રહ્યા છે. આજની યુવા પેઢી શિક્ષિત પેઢી છે, જાગૃત છે માટે તેમના પ્રેરણાસ્ત્રોત કોઈ હિરો કે હિરોઈન નથી. તેમના પ્રેરણાસ્ત્રોત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે. આજે એવા જ આઈએએસ અને આઈપીએસ અધિકારીની વાત કરવી છે જેમણે ખોટો ખર્ચો કરવાનું ટાળ્યું હતું અને સાદગીથી લગ્ન કર્યા. છત્તિસગઢના આઈએએસ અધિકારી યુવરાજ મરમટે આઈપીએસ મોનિકા સાથે કોર્ટરૂમમાં માત્ર 2 હજાર રૂપિયામાં લગ્ન કર્યા. 


સાદાઈથી આઈએએસ અને આઈપીએસ અધિકારીએ કર્યા લગ્ન 

વિગતવાર વાત કરીએ તો 2022 બેચના છત્તીસગઢ કેડરના IAS અધિકારી અને રાયગઢ જિલ્લામાં મદદનીશ કલેક્ટર તરીકે તૈનાત યુવરાજ મરમટે તેલંગાણા કેડરના IPS પી. મોનિકા સાથે લગ્ન કર્યા. પી. મોનિકા તેલંગાણા કેડરની 2022 બેચના પોલીસ અધિકારી છે. આ દંપતીએ લગ્નમાં ધૂમાડાબંધ ઉજવણી ન કરતા સોમવારે સાવ સાદાઈથી કોર્ટ મેરેજ કર્યા. રાયગઢના કલેક્ટર તરણ પ્રકાશ સિન્હાએ નવદંપતીને અભિનંદન પાઠવ્યા હતા. 


નવદંપત્તિને અધિકારીઓએ પાઠવ્યા અભિનંદન 

જિલ્લા પંચાયતના CEO જીતેન્દ્ર યાદવે નવદંપતી અધિકારીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. આઈએએસના યુવરાજ મરમટ અને આઈપીએસના પી. મોનિકાએ એડિશનલ કલેક્ટર સંતન દેવી જાંગડે પાસેથી લગ્નનું લાઇસન્સ મેળવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી હતી.


IAS યુવરાજ મરમટ આ બેચના છે અધિકારી  

IAS યુવરાજ મરમટ છત્તીસગઢ કેડરના 2022 બેચના IAS અધિકારી છે. તે મૂળ રાજસ્થાનના જયપુર જિલ્લાના મલારના ચૌધના રહેવાસી છે. તેમના પિતા સીતારામ મીણા નિવૃત્ત નાયબ નિયામક - જનસંપર્ક અધિકારી છે. યુવરાજે IIT BHUમાંથી સિવિલ બ્રાન્ચમાં B.Tech ડિગ્રી મેળવી છે. તેણે 2013માં ગેટની પરીક્ષા પણ પાસ કરી હતી. તે ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ માટે પણ પાસ થયા હતા. આ પછી, તેમણે કામ કરતી વખતે UPSC માટે તૈયારી કરી અને 2022 માં છઠ્ઠા પ્રયાસમાં 458 રેન્ક સાથે IAS અધિકારી બન્યા.


દેખાદેખીને કારણે લોકો લગ્નમાં કરે છે લાખોનો ખર્ચો! 

અત્યારની પેઢી માટે આઈએએસ અને આઈપીસે અધિકારીઓ પ્રેરણાસ્ત્રોત છે તો વિદ્યાર્થીઓએ પણ તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને લગ્નમાં ખોટા ખર્ચ ન કરવા જોઈએ. લગ્ન એક બંધન છે ભલે એકવાર થાય પણ કોઈને દેખાડી દઉં એવા લગ્ન કરવા છે એ ભાવ તો મનમાં ન જ હોવો જોઈએ. એક એ છે અને એક આપણે છીએ ક્યારેક એવું બને છે કે ક્ષમતા ન હોવા છતાં દેખાદેખીમાં લાખો રૂપિયાનો ધૂમાડો કરી દઈએ છીએ



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.