લગ્ન પાછળ લાખો ખર્ચ કરવાને બદલે IPS-IASએ કર્યા સાદગીથી લગ્ન, 2000 રુપિયામાં સંપન્ન કરી લગ્નની વિધી, આ રાજ્યમાં નિભાવે છે ફરજ


  • Published By :
  • Published Date : 2023-08-26 15:15:25

લગ્ન પાછળ અનેક લોકો લાખો રૂપિયા ખર્ચતા હોય છે. એક દિવસના જશ્ન પાછળ લાખો રૂપિયા વાપરવામાં આવે છે. પરંતુ હવે અનેક લોકો એવા છે જે લગ્ન પાછળ ઓછા પૈસા ખર્ચ કરે છે. ધામધૂમમાં નહીં પરંતુ સાદાઈથી લગ્ન કરવાનું પસંદ કરી રહ્યા છે. આજની યુવા પેઢી શિક્ષિત પેઢી છે, જાગૃત છે માટે તેમના પ્રેરણાસ્ત્રોત કોઈ હિરો કે હિરોઈન નથી. તેમના પ્રેરણાસ્ત્રોત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે. આજે એવા જ આઈએએસ અને આઈપીએસ અધિકારીની વાત કરવી છે જેમણે ખોટો ખર્ચો કરવાનું ટાળ્યું હતું અને સાદગીથી લગ્ન કર્યા. છત્તિસગઢના આઈએએસ અધિકારી યુવરાજ મરમટે આઈપીએસ મોનિકા સાથે કોર્ટરૂમમાં માત્ર 2 હજાર રૂપિયામાં લગ્ન કર્યા. 


સાદાઈથી આઈએએસ અને આઈપીએસ અધિકારીએ કર્યા લગ્ન 

વિગતવાર વાત કરીએ તો 2022 બેચના છત્તીસગઢ કેડરના IAS અધિકારી અને રાયગઢ જિલ્લામાં મદદનીશ કલેક્ટર તરીકે તૈનાત યુવરાજ મરમટે તેલંગાણા કેડરના IPS પી. મોનિકા સાથે લગ્ન કર્યા. પી. મોનિકા તેલંગાણા કેડરની 2022 બેચના પોલીસ અધિકારી છે. આ દંપતીએ લગ્નમાં ધૂમાડાબંધ ઉજવણી ન કરતા સોમવારે સાવ સાદાઈથી કોર્ટ મેરેજ કર્યા. રાયગઢના કલેક્ટર તરણ પ્રકાશ સિન્હાએ નવદંપતીને અભિનંદન પાઠવ્યા હતા. 


નવદંપત્તિને અધિકારીઓએ પાઠવ્યા અભિનંદન 

જિલ્લા પંચાયતના CEO જીતેન્દ્ર યાદવે નવદંપતી અધિકારીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. આઈએએસના યુવરાજ મરમટ અને આઈપીએસના પી. મોનિકાએ એડિશનલ કલેક્ટર સંતન દેવી જાંગડે પાસેથી લગ્નનું લાઇસન્સ મેળવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી હતી.


IAS યુવરાજ મરમટ આ બેચના છે અધિકારી  

IAS યુવરાજ મરમટ છત્તીસગઢ કેડરના 2022 બેચના IAS અધિકારી છે. તે મૂળ રાજસ્થાનના જયપુર જિલ્લાના મલારના ચૌધના રહેવાસી છે. તેમના પિતા સીતારામ મીણા નિવૃત્ત નાયબ નિયામક - જનસંપર્ક અધિકારી છે. યુવરાજે IIT BHUમાંથી સિવિલ બ્રાન્ચમાં B.Tech ડિગ્રી મેળવી છે. તેણે 2013માં ગેટની પરીક્ષા પણ પાસ કરી હતી. તે ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ માટે પણ પાસ થયા હતા. આ પછી, તેમણે કામ કરતી વખતે UPSC માટે તૈયારી કરી અને 2022 માં છઠ્ઠા પ્રયાસમાં 458 રેન્ક સાથે IAS અધિકારી બન્યા.


દેખાદેખીને કારણે લોકો લગ્નમાં કરે છે લાખોનો ખર્ચો! 

અત્યારની પેઢી માટે આઈએએસ અને આઈપીસે અધિકારીઓ પ્રેરણાસ્ત્રોત છે તો વિદ્યાર્થીઓએ પણ તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને લગ્નમાં ખોટા ખર્ચ ન કરવા જોઈએ. લગ્ન એક બંધન છે ભલે એકવાર થાય પણ કોઈને દેખાડી દઉં એવા લગ્ન કરવા છે એ ભાવ તો મનમાં ન જ હોવો જોઈએ. એક એ છે અને એક આપણે છીએ ક્યારેક એવું બને છે કે ક્ષમતા ન હોવા છતાં દેખાદેખીમાં લાખો રૂપિયાનો ધૂમાડો કરી દઈએ છીએ



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.