નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓને કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ, જાણો કેટલો વ્યાજદર વધાર્યો


  • Published By :
  • Published Date : 2023-09-29 21:15:54


કેન્દ્ર સરકારે તહેવારોની સીઝનમાં નાની બચતના રોકાણકારોને મોટી ભેટ આપતા વ્યાજદરોમાં વધારો કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રાલયે 5 વર્ષની રિકેરિંગ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નવા વ્યાજ દર 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે. અન્ય સેવિંગ્સ સ્કીમમાં રોકાણ પર અગાઉની જેમ જ વ્યાજ મળતું રહેશે.નાણા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોની જાહેરાત કરી છે. અને માત્ર આ સમયગાળા માટે, પોસ્ટ ઓફિસની 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટના વ્યાજ દરોમાં 20 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ જેમાં રોકાણકારોને 6.5 ટકાનું વ્યાજ મળતું હતું હવે 1 ઓક્ટોબરથી રોકાણ કરનારાઓને 6.7 ટકા જેટલું વ્યાજ મળશે. જો કે  PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત કિસાન વિકાસ પત્રના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.



સરકાર દર ત્રણ મહિને કરે છે વ્યાજ દરમાં ફેરફાર  


કેન્દ્ર સરકારનું નાણા મંત્રાલય દર ત્રણ મહિને નાની બચત યોજનાઓ પર ઉપલબ્ધ વ્યાજની સમીક્ષા કરે છે. આ પછી આગામી ત્રણ મહિના માટે વ્યાજ દરમાં સુધારો કરવામાં આવે છે. છેલ્લા કેટલાક ત્રિમાસિકમાં, સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કિમ (SCSS), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS) ના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. પરંતુ, 1 એપ્રિલ, 2020થી PPFના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


આ સ્કિમના વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં


1 ઓક્ટોબર 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધી સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8 ટકા વ્યાજ મળશે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર વ્યાજ દર 7.7 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારાઓને 7.5 ટકા વ્યાજ મળશે અને તે 115 મહિનામાં પરિપક્વ થશે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર આ ક્વાર્ટરમાં 8.2 ટકા વ્યાજ મળશે. પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમમાં રોકાણ પર તમને 7.4 ટકા વ્યાજ મળશે. એક વર્ષની ટર્મ ડિપોઝિટ પર 6.9% વ્યાજ, 2 વર્ષની ટર્મ ડિપોઝિટ પર 7% વ્યાજ, 3 વર્ષની ટર્મ ડિપોઝિટ પર 7% વ્યાજ અને 5 વર્ષની ટર્મ ડિપોઝિટ સ્કીમ પર 7.5% વ્યાજ મળશે.


PPFનો વ્યાજ દર યથાવત


PPF રોકાણકારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પણ PPF રોકાણકારોને સરકારે સૌથી વધુ નિરાસ કર્યા છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને રોકાણકારોને તેમના પર રોકાણકારોને માત્ર 7.1 ટકા વ્યાજ મળશે. એપ્રિલ 2020 થી પીપીએફના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે આ સમયગાળા દરમિયાન આરબીઆઈએ રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. સરકારે તમામ બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો છે. પરંતુ પીપીએફના વ્યાજદરમાં વધારો ન થતાં  રોકાણ કરનારા રોકાણકારો નિરાશા છે.


કઈ સ્કિમમાં કેટલું મળી રહ્યું છે વ્યાજ?


નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમ મુજબ સેવિંગ્સ એકાઉન્ટ પર રોકાણકારોને 4.0 ટકા વ્યાજ મળી રહ્યું છે. છેલ્લા ત્રિમાસિકમાં પણ આ જ વ્યાજ આપવામાં આવ્યું હતું. ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં પણ તેમાં કોઈ ફેરફાર થયો નથી.


1 વર્ષની ટાઈમ ડિપોઝિટ - 6.9 ટકા વ્યાજ

2 વર્ષની ટાઈમ ડિપોઝિટ - 7.0 ટકા વ્યાજ

3 વર્ષનીટાઈમ ડિપોઝિટ - 7.0 ટકા વ્યાજ

5 વર્ષની ટાઈમ ડિપોઝિટ - 7.5 ટકા વ્યાજ

5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ - 6.7 ટકા વ્યાજ (અત્યાર સુધી તે 6.5 ટકા હતું)

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ – 8.2 ટકા વ્યાજ

મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમ – 7.4 ટકા વ્યાજ

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ – 7.7 ટકા વ્યાજ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ- 7.1 ટકા વ્યાજ

કિસાન વિકાસ પત્ર - 7.5 ટકા વ્યાજ (115 મહિનામાં પાકતી મુદત પર)

સુકન્યા સમૃદ્ધિ યોજના – 8.0 ટકા વ્યાજ



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.