International Day of Democracy: શું છે આ 'ખાસ દિવસ'નું મહત્વ, કેટલા દેશમાં નથી લોકશાહી? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-15 19:36:24

અમેરિકાના પૂર્વ પ્રમુખ લિંકને કહ્યું હતું "લોકશાહી એટલે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસનવ્યવસ્થા". આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ છે. દર વર્ષે 15 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં International Day of Democracy મનાવવામાં આવે છે. વિશ્વમાં લોકશાહી મૂલ્યોની સ્થાપના અને જાળવણી વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2007 માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારથી વિશ્વના તમામ લોકશાહી દેશોમાં આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ(International Day of Democracy)ની ઉજવણી કરવામાં આવે છે.


લોકશાહી શા માટે?


સંયુક્ત રાષ્ટ્ર(UN)માં પસાર કરાયેલા ઠરાવ મુજબ, લોકશાહી સમાજમાં જ માનવ અધિકાર અને કાયદાના નવા શાસનનું હંમેશા રક્ષણ થાય છે. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસના અસ્તિત્વનો સંપૂર્ણ શ્રેય સાર્વત્રિક ઘોષણાપત્રને જાય છે. 15 સપ્ટેમ્બર, 1997ના રોજ ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU) દ્વારા જાહેર કરાયેલા ઘોષણા પત્રમાં આ દિવસે International Day of Democracy તરીકે મનાવવાની વાત સ્વીકારવામાં આવી હતી.


આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનું શું છે મહત્વ?


આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ એ વિશ્વભરના લોકોમાં લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ જગાડવાનો પ્રયાસ છે. વિશ્વભરમાં ઘણા લોકો અને સંસ્થાઓ આ દિવસને અલગ અલગ રીતે ઉજવે છે. દર વર્ષે, 15મી સપ્ટેમ્બરના આ ખાસ દિવસે, લોકશાહી જાગૃતિ વધારવા અને સામાજિક કાર્યકરો ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે વિવિધ સ્થળોએ ચર્ચાઓ, ગોષ્ઠીઓ અને પરિષદો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આપણા દેશની લોકશાહીનું સુંદર નિરૂપણ તેમની કવિતા દ્વારા રામધારી સિંહ દિનકરે કર્યું હતું. 


सदियों की ठंढी-बुझी राख सुगबुगा उठी, 

मिट्टी सोने का ताज पहन इठलाती है; 

दो राह, समय के रथ का घर्घर-नाद सुनो, 

सिंहासन खाली करो कि जनता आती है। 


सब से विराट जनतंत्र जगत का आ पहुंचा, 

तैंतीस कोटि-हित सिंहासन तय करो 

अभिषेक आज राजा का नहीं, प्रजा का है, 

तैंतीस कोटि जनता के सिर पर मुकुट धरो। 


फावड़े और हल राजदण्ड बनने को हैं, 

धूसरता सोने से श्रृंगार सजाती है; 

दो राह, समय के रथ का घर्घर-नाद सुनो, 

सिंहासन खाली करो कि जनता आती है। 


આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનો ઇતિહાસ


વિશ્વમાં લોકશાહી પ્રણાલીને પ્રોત્સાહિત કરવા અને મજબૂત કરવા માટે 8 નવેમ્બર 2007ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવ દ્વારા આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની સ્થાપના કરવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સ (UN)અનુસાર, સમાજમાં માનવ અધિકારો અને કાયદાના નવા નિયમોનું હંમેશા રક્ષણ થવું જોઈએ. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તેનું અસ્તિત્વ લોકશાહીના યુનિવર્સલ ઘોષણા પત્રને (Universal Declaration of Democracy)ને આભારી છે, જેને ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU) દ્વારા 15 સપ્ટેમ્બર, 1997ના રોજ અપનાવવામાં આવ્યું હતું.


વિશ્વના કેટલા દેશોમાં લોકશાહી?


વિશ્વના ક્યા દેશોએ લોકશાહી પ્રણાલી સ્વિકારી છે તે અંગે દુનિયાના નકશા પર એક નજર કરીએ હાલ દુનિયાના લગભગ 56 દેશોમાં જ લોકશાહી છે. લોકશાહી અને માનવ અધિકારો મુદ્દે કામ કરતી વિશ્વની અગ્રણી રિસર્ચ સંસ્થા પ્યૂ રિસર્ચના એક રિપોર્ટ મુજબ લગભગ 43 દેશોમાં રાજાશાહી છે. ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા સહિત માત્ર 56 દેશોમાં લોકતાંત્રિક પ્રક્રિયાનું પાલન થાય છે. 


અઝરબૈજાન, બહેરીન, બેલારુસ, ચીન, ક્યુબા, એરિટ્રિયા, ઈરાન, કઝાકિસ્તાન, કુવૈત, લાઓસ, ઉત્તર કોરિયા, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સ્વાઝીલેન્ડ, સીરિયા, તુર્કમેનિસ્તાન, યુએઈ, રશિયા, વિયેતનામ, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં નિરંકુશ શાસન છે. જો કે કેટલાક દેશો એવા પણ છે જ્યારે લોકશાહી અને સરમુખત્યાર શાહી પ્રણાલી વચ્ચે સંઘર્ષ થતો રહે છે, જેમ કે બાંગ્લાદેશમાં ઘણા વર્ષો સુધી સેનાનું શાસન રહ્યા બાદ હાલ લોકશાહી છે. જ્યારે પાકિસ્તાન અને મ્યાનમારમાં નેતાઓ અને સેનાના જનરલો વચ્ચે સંઘર્ષ થતો રહે છે. દુ:ખદ બાબત એ છે કે ભારતના પાડોશી દેશોમાં આંશિક લોકશાહી જ છે, નેપાળ અને શ્રીલંકામાં પણ સંપુર્ણ લોકશાહી કહીં શકાય નહીં. પ્યૂ રિસર્ચના રિપોર્ટમાં એક રસપ્રદ બાબત એ બહાર આવી કે યુરોપ અને અમેરિકાના દેશોમાં લોકશાહી વિકસી છે જ્યારે મોટોભાગના ઈસ્લામિક દેશોમાં હજુ પણ રાજાશાહી અને સરમુખત્યારી જ છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."