International Day of Democracy: શું છે આ 'ખાસ દિવસ'નું મહત્વ, કેટલા દેશમાં નથી લોકશાહી? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-15 19:36:24

અમેરિકાના પૂર્વ પ્રમુખ લિંકને કહ્યું હતું "લોકશાહી એટલે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસનવ્યવસ્થા". આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ છે. દર વર્ષે 15 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં International Day of Democracy મનાવવામાં આવે છે. વિશ્વમાં લોકશાહી મૂલ્યોની સ્થાપના અને જાળવણી વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2007 માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારથી વિશ્વના તમામ લોકશાહી દેશોમાં આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ(International Day of Democracy)ની ઉજવણી કરવામાં આવે છે.


લોકશાહી શા માટે?


સંયુક્ત રાષ્ટ્ર(UN)માં પસાર કરાયેલા ઠરાવ મુજબ, લોકશાહી સમાજમાં જ માનવ અધિકાર અને કાયદાના નવા શાસનનું હંમેશા રક્ષણ થાય છે. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસના અસ્તિત્વનો સંપૂર્ણ શ્રેય સાર્વત્રિક ઘોષણાપત્રને જાય છે. 15 સપ્ટેમ્બર, 1997ના રોજ ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU) દ્વારા જાહેર કરાયેલા ઘોષણા પત્રમાં આ દિવસે International Day of Democracy તરીકે મનાવવાની વાત સ્વીકારવામાં આવી હતી.


આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનું શું છે મહત્વ?


આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ એ વિશ્વભરના લોકોમાં લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ જગાડવાનો પ્રયાસ છે. વિશ્વભરમાં ઘણા લોકો અને સંસ્થાઓ આ દિવસને અલગ અલગ રીતે ઉજવે છે. દર વર્ષે, 15મી સપ્ટેમ્બરના આ ખાસ દિવસે, લોકશાહી જાગૃતિ વધારવા અને સામાજિક કાર્યકરો ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે વિવિધ સ્થળોએ ચર્ચાઓ, ગોષ્ઠીઓ અને પરિષદો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આપણા દેશની લોકશાહીનું સુંદર નિરૂપણ તેમની કવિતા દ્વારા રામધારી સિંહ દિનકરે કર્યું હતું. 


सदियों की ठंढी-बुझी राख सुगबुगा उठी, 

मिट्टी सोने का ताज पहन इठलाती है; 

दो राह, समय के रथ का घर्घर-नाद सुनो, 

सिंहासन खाली करो कि जनता आती है। 


सब से विराट जनतंत्र जगत का आ पहुंचा, 

तैंतीस कोटि-हित सिंहासन तय करो 

अभिषेक आज राजा का नहीं, प्रजा का है, 

तैंतीस कोटि जनता के सिर पर मुकुट धरो। 


फावड़े और हल राजदण्ड बनने को हैं, 

धूसरता सोने से श्रृंगार सजाती है; 

दो राह, समय के रथ का घर्घर-नाद सुनो, 

सिंहासन खाली करो कि जनता आती है। 


આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનો ઇતિહાસ


વિશ્વમાં લોકશાહી પ્રણાલીને પ્રોત્સાહિત કરવા અને મજબૂત કરવા માટે 8 નવેમ્બર 2007ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવ દ્વારા આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની સ્થાપના કરવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સ (UN)અનુસાર, સમાજમાં માનવ અધિકારો અને કાયદાના નવા નિયમોનું હંમેશા રક્ષણ થવું જોઈએ. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તેનું અસ્તિત્વ લોકશાહીના યુનિવર્સલ ઘોષણા પત્રને (Universal Declaration of Democracy)ને આભારી છે, જેને ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU) દ્વારા 15 સપ્ટેમ્બર, 1997ના રોજ અપનાવવામાં આવ્યું હતું.


વિશ્વના કેટલા દેશોમાં લોકશાહી?


વિશ્વના ક્યા દેશોએ લોકશાહી પ્રણાલી સ્વિકારી છે તે અંગે દુનિયાના નકશા પર એક નજર કરીએ હાલ દુનિયાના લગભગ 56 દેશોમાં જ લોકશાહી છે. લોકશાહી અને માનવ અધિકારો મુદ્દે કામ કરતી વિશ્વની અગ્રણી રિસર્ચ સંસ્થા પ્યૂ રિસર્ચના એક રિપોર્ટ મુજબ લગભગ 43 દેશોમાં રાજાશાહી છે. ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા સહિત માત્ર 56 દેશોમાં લોકતાંત્રિક પ્રક્રિયાનું પાલન થાય છે. 


અઝરબૈજાન, બહેરીન, બેલારુસ, ચીન, ક્યુબા, એરિટ્રિયા, ઈરાન, કઝાકિસ્તાન, કુવૈત, લાઓસ, ઉત્તર કોરિયા, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સ્વાઝીલેન્ડ, સીરિયા, તુર્કમેનિસ્તાન, યુએઈ, રશિયા, વિયેતનામ, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં નિરંકુશ શાસન છે. જો કે કેટલાક દેશો એવા પણ છે જ્યારે લોકશાહી અને સરમુખત્યાર શાહી પ્રણાલી વચ્ચે સંઘર્ષ થતો રહે છે, જેમ કે બાંગ્લાદેશમાં ઘણા વર્ષો સુધી સેનાનું શાસન રહ્યા બાદ હાલ લોકશાહી છે. જ્યારે પાકિસ્તાન અને મ્યાનમારમાં નેતાઓ અને સેનાના જનરલો વચ્ચે સંઘર્ષ થતો રહે છે. દુ:ખદ બાબત એ છે કે ભારતના પાડોશી દેશોમાં આંશિક લોકશાહી જ છે, નેપાળ અને શ્રીલંકામાં પણ સંપુર્ણ લોકશાહી કહીં શકાય નહીં. પ્યૂ રિસર્ચના રિપોર્ટમાં એક રસપ્રદ બાબત એ બહાર આવી કે યુરોપ અને અમેરિકાના દેશોમાં લોકશાહી વિકસી છે જ્યારે મોટોભાગના ઈસ્લામિક દેશોમાં હજુ પણ રાજાશાહી અને સરમુખત્યારી જ છે.



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.