International Day of Democracy: શું છે આ 'ખાસ દિવસ'નું મહત્વ, કેટલા દેશમાં નથી લોકશાહી? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-15 19:36:24

અમેરિકાના પૂર્વ પ્રમુખ લિંકને કહ્યું હતું "લોકશાહી એટલે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસનવ્યવસ્થા". આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ છે. દર વર્ષે 15 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં International Day of Democracy મનાવવામાં આવે છે. વિશ્વમાં લોકશાહી મૂલ્યોની સ્થાપના અને જાળવણી વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2007 માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારથી વિશ્વના તમામ લોકશાહી દેશોમાં આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ(International Day of Democracy)ની ઉજવણી કરવામાં આવે છે.


લોકશાહી શા માટે?


સંયુક્ત રાષ્ટ્ર(UN)માં પસાર કરાયેલા ઠરાવ મુજબ, લોકશાહી સમાજમાં જ માનવ અધિકાર અને કાયદાના નવા શાસનનું હંમેશા રક્ષણ થાય છે. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસના અસ્તિત્વનો સંપૂર્ણ શ્રેય સાર્વત્રિક ઘોષણાપત્રને જાય છે. 15 સપ્ટેમ્બર, 1997ના રોજ ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU) દ્વારા જાહેર કરાયેલા ઘોષણા પત્રમાં આ દિવસે International Day of Democracy તરીકે મનાવવાની વાત સ્વીકારવામાં આવી હતી.


આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનું શું છે મહત્વ?


આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ એ વિશ્વભરના લોકોમાં લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ જગાડવાનો પ્રયાસ છે. વિશ્વભરમાં ઘણા લોકો અને સંસ્થાઓ આ દિવસને અલગ અલગ રીતે ઉજવે છે. દર વર્ષે, 15મી સપ્ટેમ્બરના આ ખાસ દિવસે, લોકશાહી જાગૃતિ વધારવા અને સામાજિક કાર્યકરો ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે વિવિધ સ્થળોએ ચર્ચાઓ, ગોષ્ઠીઓ અને પરિષદો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આપણા દેશની લોકશાહીનું સુંદર નિરૂપણ તેમની કવિતા દ્વારા રામધારી સિંહ દિનકરે કર્યું હતું. 


सदियों की ठंढी-बुझी राख सुगबुगा उठी, 

मिट्टी सोने का ताज पहन इठलाती है; 

दो राह, समय के रथ का घर्घर-नाद सुनो, 

सिंहासन खाली करो कि जनता आती है। 


सब से विराट जनतंत्र जगत का आ पहुंचा, 

तैंतीस कोटि-हित सिंहासन तय करो 

अभिषेक आज राजा का नहीं, प्रजा का है, 

तैंतीस कोटि जनता के सिर पर मुकुट धरो। 


फावड़े और हल राजदण्ड बनने को हैं, 

धूसरता सोने से श्रृंगार सजाती है; 

दो राह, समय के रथ का घर्घर-नाद सुनो, 

सिंहासन खाली करो कि जनता आती है। 


આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનો ઇતિહાસ


વિશ્વમાં લોકશાહી પ્રણાલીને પ્રોત્સાહિત કરવા અને મજબૂત કરવા માટે 8 નવેમ્બર 2007ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવ દ્વારા આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની સ્થાપના કરવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સ (UN)અનુસાર, સમાજમાં માનવ અધિકારો અને કાયદાના નવા નિયમોનું હંમેશા રક્ષણ થવું જોઈએ. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તેનું અસ્તિત્વ લોકશાહીના યુનિવર્સલ ઘોષણા પત્રને (Universal Declaration of Democracy)ને આભારી છે, જેને ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU) દ્વારા 15 સપ્ટેમ્બર, 1997ના રોજ અપનાવવામાં આવ્યું હતું.


વિશ્વના કેટલા દેશોમાં લોકશાહી?


વિશ્વના ક્યા દેશોએ લોકશાહી પ્રણાલી સ્વિકારી છે તે અંગે દુનિયાના નકશા પર એક નજર કરીએ હાલ દુનિયાના લગભગ 56 દેશોમાં જ લોકશાહી છે. લોકશાહી અને માનવ અધિકારો મુદ્દે કામ કરતી વિશ્વની અગ્રણી રિસર્ચ સંસ્થા પ્યૂ રિસર્ચના એક રિપોર્ટ મુજબ લગભગ 43 દેશોમાં રાજાશાહી છે. ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા સહિત માત્ર 56 દેશોમાં લોકતાંત્રિક પ્રક્રિયાનું પાલન થાય છે. 


અઝરબૈજાન, બહેરીન, બેલારુસ, ચીન, ક્યુબા, એરિટ્રિયા, ઈરાન, કઝાકિસ્તાન, કુવૈત, લાઓસ, ઉત્તર કોરિયા, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સ્વાઝીલેન્ડ, સીરિયા, તુર્કમેનિસ્તાન, યુએઈ, રશિયા, વિયેતનામ, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં નિરંકુશ શાસન છે. જો કે કેટલાક દેશો એવા પણ છે જ્યારે લોકશાહી અને સરમુખત્યાર શાહી પ્રણાલી વચ્ચે સંઘર્ષ થતો રહે છે, જેમ કે બાંગ્લાદેશમાં ઘણા વર્ષો સુધી સેનાનું શાસન રહ્યા બાદ હાલ લોકશાહી છે. જ્યારે પાકિસ્તાન અને મ્યાનમારમાં નેતાઓ અને સેનાના જનરલો વચ્ચે સંઘર્ષ થતો રહે છે. દુ:ખદ બાબત એ છે કે ભારતના પાડોશી દેશોમાં આંશિક લોકશાહી જ છે, નેપાળ અને શ્રીલંકામાં પણ સંપુર્ણ લોકશાહી કહીં શકાય નહીં. પ્યૂ રિસર્ચના રિપોર્ટમાં એક રસપ્રદ બાબત એ બહાર આવી કે યુરોપ અને અમેરિકાના દેશોમાં લોકશાહી વિકસી છે જ્યારે મોટોભાગના ઈસ્લામિક દેશોમાં હજુ પણ રાજાશાહી અને સરમુખત્યારી જ છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી