સમગ્ર વિશ્વના ચા ઉત્પાદક દેશો દ્વારા ઉજવામાં આવે છે ઇન્ટરનેશનલ ટી ડે


  • Published By :
  • Published Date : 2022-12-15 10:57:53

15 ડિસેમ્બરને આંતરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ ચા ઉત્પાદક દેશોએ આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. 15 ડિસેમ્બર 2005માં નવી દિલ્હીથી આ દિવસની ઉજવાણીની શરૂઆત થઈ હતી. એક વર્ષ બાદ શ્રીલંકામાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને તે બાદ વિશ્વભરમાં ચા દિવસ ઉજવવામાં આવે છે. ચા ઉત્પાદન અનેક વિકાસશીલ દેશોમાં લાખો પરિવાર માટે આજીવિકાનું સાધન છે. ચાનું ઉત્પાદન કરી લાખો ગરીબ પરિવાર પોતાનું ગુજરાન ચલાવે છે. 


ચા પીવાથી અનેક ફાયદા થાય છે

આંતરરાષ્ટ્રીય ચા દિવસ મુખ્ય ચા ઉત્પાદક દેશો ચીન, ભારત, કેન્યા, વિયેતનામ અને શ્રીલંકા ઉપરાંત તાન્ઝાનિયા, બાંગ્લાદેશ, યુગાન્ડા, ઈન્ડોનેશિયા અને મલેશિયામાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસ વિશ્વભરમાં ચાના મહત્ત્વ વિશે જાગરૂકતા વધારવા માટે મનાવવામાં આવે છે. ચા પીવાના અનેક ફાયદા પણ હોય છે. મસાલા ચામાં વપરાતી સામગ્રીથી શરીરને અનેક ફાયદા મળે છે. ચામાં નખાતી ઈલાઈચી, આદુ, તુલસી, ફૂદીનોનો સમાવેશ થાય છે. 


21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવાય 

મસાલા ચા પીવાથી થાક દૂર થાય છે. ઉપરાંત મસાલા ચા પીવાથી દુખાવામાં પણ રાહત થાય છે. ચામાં રહેલા ટૈનિન શરીરને રાહત આપવાનું કામ કરે છે. આ સિવાય પણ અનેક પ્રકારની ચા આવે છે. ઉપરાંત ભારતની ભલામણથી સંયુક્તરાષ્ટ્રએ 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ જાહેર કર્યો છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી