સમગ્ર વિશ્વના ચા ઉત્પાદક દેશો દ્વારા ઉજવામાં આવે છે ઇન્ટરનેશનલ ટી ડે


  • Published By :
  • Published Date : 2022-12-15 10:57:53

15 ડિસેમ્બરને આંતરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ ચા ઉત્પાદક દેશોએ આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. 15 ડિસેમ્બર 2005માં નવી દિલ્હીથી આ દિવસની ઉજવાણીની શરૂઆત થઈ હતી. એક વર્ષ બાદ શ્રીલંકામાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને તે બાદ વિશ્વભરમાં ચા દિવસ ઉજવવામાં આવે છે. ચા ઉત્પાદન અનેક વિકાસશીલ દેશોમાં લાખો પરિવાર માટે આજીવિકાનું સાધન છે. ચાનું ઉત્પાદન કરી લાખો ગરીબ પરિવાર પોતાનું ગુજરાન ચલાવે છે. 


ચા પીવાથી અનેક ફાયદા થાય છે

આંતરરાષ્ટ્રીય ચા દિવસ મુખ્ય ચા ઉત્પાદક દેશો ચીન, ભારત, કેન્યા, વિયેતનામ અને શ્રીલંકા ઉપરાંત તાન્ઝાનિયા, બાંગ્લાદેશ, યુગાન્ડા, ઈન્ડોનેશિયા અને મલેશિયામાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસ વિશ્વભરમાં ચાના મહત્ત્વ વિશે જાગરૂકતા વધારવા માટે મનાવવામાં આવે છે. ચા પીવાના અનેક ફાયદા પણ હોય છે. મસાલા ચામાં વપરાતી સામગ્રીથી શરીરને અનેક ફાયદા મળે છે. ચામાં નખાતી ઈલાઈચી, આદુ, તુલસી, ફૂદીનોનો સમાવેશ થાય છે. 


21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવાય 

મસાલા ચા પીવાથી થાક દૂર થાય છે. ઉપરાંત મસાલા ચા પીવાથી દુખાવામાં પણ રાહત થાય છે. ચામાં રહેલા ટૈનિન શરીરને રાહત આપવાનું કામ કરે છે. આ સિવાય પણ અનેક પ્રકારની ચા આવે છે. ઉપરાંત ભારતની ભલામણથી સંયુક્તરાષ્ટ્રએ 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ જાહેર કર્યો છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.