સમગ્ર વિશ્વના ચા ઉત્પાદક દેશો દ્વારા ઉજવામાં આવે છે ઇન્ટરનેશનલ ટી ડે


  • Published By :
  • Published Date : 2022-12-15 10:57:53

15 ડિસેમ્બરને આંતરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ ચા ઉત્પાદક દેશોએ આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. 15 ડિસેમ્બર 2005માં નવી દિલ્હીથી આ દિવસની ઉજવાણીની શરૂઆત થઈ હતી. એક વર્ષ બાદ શ્રીલંકામાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને તે બાદ વિશ્વભરમાં ચા દિવસ ઉજવવામાં આવે છે. ચા ઉત્પાદન અનેક વિકાસશીલ દેશોમાં લાખો પરિવાર માટે આજીવિકાનું સાધન છે. ચાનું ઉત્પાદન કરી લાખો ગરીબ પરિવાર પોતાનું ગુજરાન ચલાવે છે. 


ચા પીવાથી અનેક ફાયદા થાય છે

આંતરરાષ્ટ્રીય ચા દિવસ મુખ્ય ચા ઉત્પાદક દેશો ચીન, ભારત, કેન્યા, વિયેતનામ અને શ્રીલંકા ઉપરાંત તાન્ઝાનિયા, બાંગ્લાદેશ, યુગાન્ડા, ઈન્ડોનેશિયા અને મલેશિયામાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસ વિશ્વભરમાં ચાના મહત્ત્વ વિશે જાગરૂકતા વધારવા માટે મનાવવામાં આવે છે. ચા પીવાના અનેક ફાયદા પણ હોય છે. મસાલા ચામાં વપરાતી સામગ્રીથી શરીરને અનેક ફાયદા મળે છે. ચામાં નખાતી ઈલાઈચી, આદુ, તુલસી, ફૂદીનોનો સમાવેશ થાય છે. 


21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવાય 

મસાલા ચા પીવાથી થાક દૂર થાય છે. ઉપરાંત મસાલા ચા પીવાથી દુખાવામાં પણ રાહત થાય છે. ચામાં રહેલા ટૈનિન શરીરને રાહત આપવાનું કામ કરે છે. આ સિવાય પણ અનેક પ્રકારની ચા આવે છે. ઉપરાંત ભારતની ભલામણથી સંયુક્તરાષ્ટ્રએ 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ જાહેર કર્યો છે. 




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.