International Yoga Day 2023: 21મી જૂને જ શા માટે યોગ દિવસ મનાવવામાં આવે છે, તેનો ઇતિહાસ અને આ વર્ષની થીમ શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-19 15:11:56

ભારતને યોગ ગુરૂ કહેવામાં આવે છે. શારીરિક અને માનસિક આરોગ્ય માટે યોગ ખુબ જ જરૂરી છે. યોગનો અભ્યાસ શરીરને રોગમુક્ત રાખે છે અને મનને શાંતિ આપે છે. ભારતમાં ઋષિમુનીઓના સમયથી જ યોગાભ્યાસ થતો આવ્યો છે.  યોગ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, જેનો પ્રચાર આજે વિદેશમાં પણ જોરશોરથી થઈ રહ્યો છે. વિદેશોમાં યોગના પ્રચારનો શ્રેય યોગ ગુરૂઓને જાય છે. ભારતીય  યોગગુરૂએ વિદેશી જમીન પર યોગની ઉપયોગિતા અને મહત્વ અંગે લોકોને જાગૃત કર્યા. આજે સમગ્ર દુનિયામાં લોકોએ યોગને તેમના જીવનમાં સામેલ કરી દીધો છે. લોકો વિવિધ યોગાસનોની પ્રેક્ટિસથી સ્વસ્થ મન અને તનની પ્રાપ્તીનો અભ્યાસ કરી રહ્યા છે. યોગની આ ઉપયોગિતાથી તમામ લોકોને જાગરૂક કરવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રિય સ્તર પર યોગ દિવસ મનાવવામાં આવે છે. જો કે યોગ દિવસ મનાવવાની શરૂઆત કોણે, ક્યારે, કરી તે જાણવું ખુબ જ રસપ્રદ છે. આવો આજે આપણે જાણીએ કે યોગ દિવસના ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ અંગે..... 


સૌપ્રથમ યોગ દિવસ ક્યારે મનાવાયો?


કોરોના કાળ બાદ યોગનું મહત્વ લોકોને સમજાયું છે. સંક્રમણથી લડવા માટે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના હેતુંથી લોકો યોગ અભ્યાસ કરવા લાગ્યા, પરંતું 21 જૂનના રોજ 2015થી યોગ મનાવવાની શરૂઆત થઈ હતી. આ વર્ષથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસ મનાવવાનો શુભારંભ થયો હતો.


યોગ દિવસનો ઈતિહાસ 


ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN)માં દુનિયાના તમામ દેશોને યોગ દિવસ મનાવવાનું આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીના આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સ્વીકારી લીધો અને માત્ર ત્રણ જ મહિનાની અંદર આંતરરાષ્ટ્રિય યોગ દિવસ આયોજીત કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યાર બાદ આગામી વર્ષ 2015માં સૌપ્રથમ વખત સમગ્ર વિશ્વએ યોગ દિવસ મનાવ્યો હતો. 


શા માટે 21 જૂનના રોજ  યોગ દિવસ?


યોગ દિવસને મનાવવા માટે 21 જૂનનો દિવસ જ નક્કી કરવામાં આવ્યો છે. 21 જૂનના રોજ જ યોગ દિવસ શા માટે મનાવવામાં આવે છે તે સવાલ થાય તે સ્વાભાવિક છે.  તેનું  કારણ એ છે કે આ તારીખે જ ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ હોય છે. જેને ગ્રીષ્મ સંક્રાતિ કહેવામાં આવે છે. ભારતીય પરંપરા પ્રમાણે ગ્રીષ્મ સંક્રાંતિ બાદ સુર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે. સુર્ય દક્ષિણાયનનો સમય આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ખુબ જ અસરકારક છે. આ જ કારણે દરેક વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રિય યોગ દિવસ મનાવવામાં આવે છે.


આંતરરાષ્ટ્રિય યોગ દિવસ 2023ની થીમ


યોગ દિવસ 2023ની થીમ ' વસુધૈવ કુટુંબકમ માટે યોગ' (Yoga for Vasudhaiva Kutumbakam) છે. વસુધૈવ કુટુંબકમનો અર્થ થાય છે સમગ્ર ધરતી એક પરિવાર છે. આ થીમનું  તાત્પર્ય એ છે કે ધરતી પર તમામ લોકોના આરોગ્ય માટે યોગ ઉપયોગી છે.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.