International Yoga Day 2023: 21મી જૂને જ શા માટે યોગ દિવસ મનાવવામાં આવે છે, તેનો ઇતિહાસ અને આ વર્ષની થીમ શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-19 15:11:56

ભારતને યોગ ગુરૂ કહેવામાં આવે છે. શારીરિક અને માનસિક આરોગ્ય માટે યોગ ખુબ જ જરૂરી છે. યોગનો અભ્યાસ શરીરને રોગમુક્ત રાખે છે અને મનને શાંતિ આપે છે. ભારતમાં ઋષિમુનીઓના સમયથી જ યોગાભ્યાસ થતો આવ્યો છે.  યોગ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, જેનો પ્રચાર આજે વિદેશમાં પણ જોરશોરથી થઈ રહ્યો છે. વિદેશોમાં યોગના પ્રચારનો શ્રેય યોગ ગુરૂઓને જાય છે. ભારતીય  યોગગુરૂએ વિદેશી જમીન પર યોગની ઉપયોગિતા અને મહત્વ અંગે લોકોને જાગૃત કર્યા. આજે સમગ્ર દુનિયામાં લોકોએ યોગને તેમના જીવનમાં સામેલ કરી દીધો છે. લોકો વિવિધ યોગાસનોની પ્રેક્ટિસથી સ્વસ્થ મન અને તનની પ્રાપ્તીનો અભ્યાસ કરી રહ્યા છે. યોગની આ ઉપયોગિતાથી તમામ લોકોને જાગરૂક કરવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રિય સ્તર પર યોગ દિવસ મનાવવામાં આવે છે. જો કે યોગ દિવસ મનાવવાની શરૂઆત કોણે, ક્યારે, કરી તે જાણવું ખુબ જ રસપ્રદ છે. આવો આજે આપણે જાણીએ કે યોગ દિવસના ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ અંગે..... 


સૌપ્રથમ યોગ દિવસ ક્યારે મનાવાયો?


કોરોના કાળ બાદ યોગનું મહત્વ લોકોને સમજાયું છે. સંક્રમણથી લડવા માટે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના હેતુંથી લોકો યોગ અભ્યાસ કરવા લાગ્યા, પરંતું 21 જૂનના રોજ 2015થી યોગ મનાવવાની શરૂઆત થઈ હતી. આ વર્ષથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસ મનાવવાનો શુભારંભ થયો હતો.


યોગ દિવસનો ઈતિહાસ 


ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN)માં દુનિયાના તમામ દેશોને યોગ દિવસ મનાવવાનું આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીના આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સ્વીકારી લીધો અને માત્ર ત્રણ જ મહિનાની અંદર આંતરરાષ્ટ્રિય યોગ દિવસ આયોજીત કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યાર બાદ આગામી વર્ષ 2015માં સૌપ્રથમ વખત સમગ્ર વિશ્વએ યોગ દિવસ મનાવ્યો હતો. 


શા માટે 21 જૂનના રોજ  યોગ દિવસ?


યોગ દિવસને મનાવવા માટે 21 જૂનનો દિવસ જ નક્કી કરવામાં આવ્યો છે. 21 જૂનના રોજ જ યોગ દિવસ શા માટે મનાવવામાં આવે છે તે સવાલ થાય તે સ્વાભાવિક છે.  તેનું  કારણ એ છે કે આ તારીખે જ ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ હોય છે. જેને ગ્રીષ્મ સંક્રાતિ કહેવામાં આવે છે. ભારતીય પરંપરા પ્રમાણે ગ્રીષ્મ સંક્રાંતિ બાદ સુર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે. સુર્ય દક્ષિણાયનનો સમય આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ખુબ જ અસરકારક છે. આ જ કારણે દરેક વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રિય યોગ દિવસ મનાવવામાં આવે છે.


આંતરરાષ્ટ્રિય યોગ દિવસ 2023ની થીમ


યોગ દિવસ 2023ની થીમ ' વસુધૈવ કુટુંબકમ માટે યોગ' (Yoga for Vasudhaiva Kutumbakam) છે. વસુધૈવ કુટુંબકમનો અર્થ થાય છે સમગ્ર ધરતી એક પરિવાર છે. આ થીમનું  તાત્પર્ય એ છે કે ધરતી પર તમામ લોકોના આરોગ્ય માટે યોગ ઉપયોગી છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .