International Yoga Day: PM Modiએ શ્રીનગરમાં કર્યો યોગ તો Bhupendra Patelએ કર્યો નડાબેટમાં યોગ, જાણો આ વર્ષની શું છે થીમ?


  • Published By :
  • Published Date : 2024-06-21 10:58:29

જે કરે યોગ તેને ના આવે રોગ... આ વાક્ય તમે અનેક વખત સાંભળ્યું હશે.. કસરત કરવાથી તેમજ યોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારૂં રહે છે.. દિવસ ભર સ્ફુરતીમાં રહેવાય છે.. ભારતીય સંસ્કૃતિમાં યોગને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે... ભારતની સંસ્કૃતિ વિશ્વભરમાં ફેલાય તે હેતુથી 21મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે.. યોગ માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ત્યારે આજે વિશ્વ યોગ દિવસ છે.. પીએમ મોદી સહિતના અનેક નેતાઓએ અલગ અલગ જગ્યાઓ પર યોગ કર્યો હતો.


શ્રીનગરમાં પીએમ મોદીએ કર્યો યોગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં કરી હતી. પીએમ મોદીએ લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર યોગાભ્યાસની ભૂમિ છે. યોગની યાત્રા સતત ચાલુ રહે છે. યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. વિશ્વના નેતાઓ હવે યોગ વિશે વાત કરી રહ્યા છે. હવે યોગ પર સંશોધન થઈ રહ્યું છે. યોગ ટુરિઝમનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. તે સિવાય પીએમ મોદીએ ત્યાં હાજર લોકો સાથે સેલ્ફી પણ લીધી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. તે સિવાય અલગ અલગ નેતાઓએ અલગ અલગ જગ્યાઓ પર યોગાભ્યાસ કર્યો હતો.


આ વર્ષની શું છે થીમ? 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઈતિહાસની વાત કરીએ તો આ મહત્વના દિવસની ઉજવણીની શરૂઆત ભારત દ્વારા કરવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આનો પ્રસ્તાવ સંયુક્ત બેઠકમાં રાખવામાં આવ્યો છે. 2015માં વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે Yoga for Self and Society થીમ રાખવામાં આવી છે.  




અલગ અલગ આસન કરવાથી થાય છે ફાયદા

આમ તો અલગ અલગ પ્રકારના યોગ હોય છે પરંતુ જો તમે અલગ અલગ યોગ ના કરી શકતા હોવ તો સૂર્ય નમસ્કાર તો કરવો જોઈએ તેવું યોગાચાર્યોનું માનવું છે. સૂર્ય નમસ્કારમાં અનેક આસનો આવી જાય છે.. તે સિવાય તમે ભુજંગાસન,, પશ્ચિમોત્તાનાસન, વજ્રાસન, ધનુરાસન, શવાસન, મયૂરાસન જેવા યોગ પણ કરી શકો છો..  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.