International Yoga Day: PM Modiએ શ્રીનગરમાં કર્યો યોગ તો Bhupendra Patelએ કર્યો નડાબેટમાં યોગ, જાણો આ વર્ષની શું છે થીમ?


  • Published By :
  • Published Date : 2024-06-21 10:58:29

જે કરે યોગ તેને ના આવે રોગ... આ વાક્ય તમે અનેક વખત સાંભળ્યું હશે.. કસરત કરવાથી તેમજ યોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારૂં રહે છે.. દિવસ ભર સ્ફુરતીમાં રહેવાય છે.. ભારતીય સંસ્કૃતિમાં યોગને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે... ભારતની સંસ્કૃતિ વિશ્વભરમાં ફેલાય તે હેતુથી 21મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે.. યોગ માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ત્યારે આજે વિશ્વ યોગ દિવસ છે.. પીએમ મોદી સહિતના અનેક નેતાઓએ અલગ અલગ જગ્યાઓ પર યોગ કર્યો હતો.


શ્રીનગરમાં પીએમ મોદીએ કર્યો યોગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં કરી હતી. પીએમ મોદીએ લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર યોગાભ્યાસની ભૂમિ છે. યોગની યાત્રા સતત ચાલુ રહે છે. યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. વિશ્વના નેતાઓ હવે યોગ વિશે વાત કરી રહ્યા છે. હવે યોગ પર સંશોધન થઈ રહ્યું છે. યોગ ટુરિઝમનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. તે સિવાય પીએમ મોદીએ ત્યાં હાજર લોકો સાથે સેલ્ફી પણ લીધી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. તે સિવાય અલગ અલગ નેતાઓએ અલગ અલગ જગ્યાઓ પર યોગાભ્યાસ કર્યો હતો.


આ વર્ષની શું છે થીમ? 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઈતિહાસની વાત કરીએ તો આ મહત્વના દિવસની ઉજવણીની શરૂઆત ભારત દ્વારા કરવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આનો પ્રસ્તાવ સંયુક્ત બેઠકમાં રાખવામાં આવ્યો છે. 2015માં વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે Yoga for Self and Society થીમ રાખવામાં આવી છે.  




અલગ અલગ આસન કરવાથી થાય છે ફાયદા

આમ તો અલગ અલગ પ્રકારના યોગ હોય છે પરંતુ જો તમે અલગ અલગ યોગ ના કરી શકતા હોવ તો સૂર્ય નમસ્કાર તો કરવો જોઈએ તેવું યોગાચાર્યોનું માનવું છે. સૂર્ય નમસ્કારમાં અનેક આસનો આવી જાય છે.. તે સિવાય તમે ભુજંગાસન,, પશ્ચિમોત્તાનાસન, વજ્રાસન, ધનુરાસન, શવાસન, મયૂરાસન જેવા યોગ પણ કરી શકો છો..  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.