International Yoga Day: PM Modiએ શ્રીનગરમાં કર્યો યોગ તો Bhupendra Patelએ કર્યો નડાબેટમાં યોગ, જાણો આ વર્ષની શું છે થીમ?


  • Published By :
  • Published Date : 2024-06-21 10:58:29

જે કરે યોગ તેને ના આવે રોગ... આ વાક્ય તમે અનેક વખત સાંભળ્યું હશે.. કસરત કરવાથી તેમજ યોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારૂં રહે છે.. દિવસ ભર સ્ફુરતીમાં રહેવાય છે.. ભારતીય સંસ્કૃતિમાં યોગને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે... ભારતની સંસ્કૃતિ વિશ્વભરમાં ફેલાય તે હેતુથી 21મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે.. યોગ માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ત્યારે આજે વિશ્વ યોગ દિવસ છે.. પીએમ મોદી સહિતના અનેક નેતાઓએ અલગ અલગ જગ્યાઓ પર યોગ કર્યો હતો.


શ્રીનગરમાં પીએમ મોદીએ કર્યો યોગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં કરી હતી. પીએમ મોદીએ લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર યોગાભ્યાસની ભૂમિ છે. યોગની યાત્રા સતત ચાલુ રહે છે. યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. વિશ્વના નેતાઓ હવે યોગ વિશે વાત કરી રહ્યા છે. હવે યોગ પર સંશોધન થઈ રહ્યું છે. યોગ ટુરિઝમનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. તે સિવાય પીએમ મોદીએ ત્યાં હાજર લોકો સાથે સેલ્ફી પણ લીધી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. તે સિવાય અલગ અલગ નેતાઓએ અલગ અલગ જગ્યાઓ પર યોગાભ્યાસ કર્યો હતો.


આ વર્ષની શું છે થીમ? 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઈતિહાસની વાત કરીએ તો આ મહત્વના દિવસની ઉજવણીની શરૂઆત ભારત દ્વારા કરવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આનો પ્રસ્તાવ સંયુક્ત બેઠકમાં રાખવામાં આવ્યો છે. 2015માં વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે Yoga for Self and Society થીમ રાખવામાં આવી છે.  




અલગ અલગ આસન કરવાથી થાય છે ફાયદા

આમ તો અલગ અલગ પ્રકારના યોગ હોય છે પરંતુ જો તમે અલગ અલગ યોગ ના કરી શકતા હોવ તો સૂર્ય નમસ્કાર તો કરવો જોઈએ તેવું યોગાચાર્યોનું માનવું છે. સૂર્ય નમસ્કારમાં અનેક આસનો આવી જાય છે.. તે સિવાય તમે ભુજંગાસન,, પશ્ચિમોત્તાનાસન, વજ્રાસન, ધનુરાસન, શવાસન, મયૂરાસન જેવા યોગ પણ કરી શકો છો..  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.