International Yoga Day: PM Modiએ શ્રીનગરમાં કર્યો યોગ તો Bhupendra Patelએ કર્યો નડાબેટમાં યોગ, જાણો આ વર્ષની શું છે થીમ?


  • Published By :
  • Published Date : 2024-06-21 10:58:29

જે કરે યોગ તેને ના આવે રોગ... આ વાક્ય તમે અનેક વખત સાંભળ્યું હશે.. કસરત કરવાથી તેમજ યોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારૂં રહે છે.. દિવસ ભર સ્ફુરતીમાં રહેવાય છે.. ભારતીય સંસ્કૃતિમાં યોગને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે... ભારતની સંસ્કૃતિ વિશ્વભરમાં ફેલાય તે હેતુથી 21મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે.. યોગ માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ત્યારે આજે વિશ્વ યોગ દિવસ છે.. પીએમ મોદી સહિતના અનેક નેતાઓએ અલગ અલગ જગ્યાઓ પર યોગ કર્યો હતો.


શ્રીનગરમાં પીએમ મોદીએ કર્યો યોગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં કરી હતી. પીએમ મોદીએ લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર યોગાભ્યાસની ભૂમિ છે. યોગની યાત્રા સતત ચાલુ રહે છે. યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. વિશ્વના નેતાઓ હવે યોગ વિશે વાત કરી રહ્યા છે. હવે યોગ પર સંશોધન થઈ રહ્યું છે. યોગ ટુરિઝમનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. તે સિવાય પીએમ મોદીએ ત્યાં હાજર લોકો સાથે સેલ્ફી પણ લીધી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. તે સિવાય અલગ અલગ નેતાઓએ અલગ અલગ જગ્યાઓ પર યોગાભ્યાસ કર્યો હતો.


આ વર્ષની શું છે થીમ? 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઈતિહાસની વાત કરીએ તો આ મહત્વના દિવસની ઉજવણીની શરૂઆત ભારત દ્વારા કરવામાં આવી હતી. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આનો પ્રસ્તાવ સંયુક્ત બેઠકમાં રાખવામાં આવ્યો છે. 2015માં વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે Yoga for Self and Society થીમ રાખવામાં આવી છે.  




અલગ અલગ આસન કરવાથી થાય છે ફાયદા

આમ તો અલગ અલગ પ્રકારના યોગ હોય છે પરંતુ જો તમે અલગ અલગ યોગ ના કરી શકતા હોવ તો સૂર્ય નમસ્કાર તો કરવો જોઈએ તેવું યોગાચાર્યોનું માનવું છે. સૂર્ય નમસ્કારમાં અનેક આસનો આવી જાય છે.. તે સિવાય તમે ભુજંગાસન,, પશ્ચિમોત્તાનાસન, વજ્રાસન, ધનુરાસન, શવાસન, મયૂરાસન જેવા યોગ પણ કરી શકો છો..  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.