તપાસમાં બહાર આવ્યું કે Uttar Pradesh Police ભરતીનું પેપર અમદાવાદમાંથી લીક થયું, Yuvrajsinhએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે..


  • Published By :
  • Published Date : 2024-03-16 11:32:29

થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીનું પેપર લીક થયું હતું. પેપર લીક થતાં ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો હતો. અને અંતે પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય યોગી સરકાર દ્વારા કરવમાં આવ્યો હતો. આ અંગેની જાણકારી ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપી હતી. આ મામલે તપાસ ચાલી રહી હતી અને આ પેપર લીકનું કનેક્શનના છેડા ગુજરાતમાં જોડાયા.! જે પેપર લીક થયું હતું તે પેપર અમદાવાદમાં છપાયા હતા. સીલબંધ બોક્સમાં પરીક્ષાના પેપર ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા અમદાવાદની ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા અને તે પેપર અહીંથી જ કર્મચારીઓએ લીક કર્યું હતું તેવી વાત તપાસ દરમિયાન સામે આવી છે. 

પેપર લીક થતા પરીક્ષાને કરવામાં આવી હતી રદ્દ

પેપર લીક થવું ગુજરાતમાં જાણે સામાન્ય થઈ ગયું હતું. અનેક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટ્યા છે. જ્યારે પણ કોઈ પેપર ફૂટે છે ત્યારે તે માત્ર પેપર નતી ફૂટયું પરંતુ અનેક ઉમેદવારોના સપના તૂટે છે. ત્યારે થોડા સમયથી પેપર ફૂટવાની ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી રહી છે. થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશથી સમાચાર સામે આવ્યા કે પોલીસ ભરતીનું પેપર લીક થઈ ગયું. ભરતીનું પેપર લીક થતાં પરીક્ષાને રદ્દ કરવામાં આવી અને તે બાદ 6 મહિનાની અંદર પરીક્ષાને ફરીથી લેવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી. પેપર લીક અંગેની તપાસ કરવામાં આવી અને તેના તાર અમદાવાદ સાથે જોડાયા.



અમદાવાદની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયા હતા યુપી પોલીસ ભરતીના પેપર!

 જે પેપર લીક થયું છે તે અમદાવાદની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયા હતા. અમદાવાદમાં છપાયા બાદ સીલ બંધ બોક્સમાં તેને ટ્રાન્સપોર્ટના માધ્યમથી યુપી મોકલવામાં આવ્યા. STF તપાસમાં બહાર આવ્યું છે કે પેપર અમદાવાદમાં છપાયા હતા. શુક્રવારે  DGP પ્રશાંત કુમારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં માહિતી આપી હતી કે આ કર્મચારીઓએ સીલબંધ બોક્સ તોડવા માટે પટનાથી નિષ્ણાતને બોલાવ્યા હતા. બોક્સ તોડીને પેપર કાઢ્યા, ફોટોગ્રાફ્સ લીધા અને નકલ કરનારા માફિયાઓને મોકલ્યા. હાલમાં STFએ ટ્રાન્સપોર્ટ કંપનીના 2 કર્મચારીઓ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. 



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.