તપાસમાં બહાર આવ્યું કે Uttar Pradesh Police ભરતીનું પેપર અમદાવાદમાંથી લીક થયું, Yuvrajsinhએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે..


  • Published By :
  • Published Date : 2024-03-16 11:32:29

થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીનું પેપર લીક થયું હતું. પેપર લીક થતાં ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો હતો. અને અંતે પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય યોગી સરકાર દ્વારા કરવમાં આવ્યો હતો. આ અંગેની જાણકારી ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપી હતી. આ મામલે તપાસ ચાલી રહી હતી અને આ પેપર લીકનું કનેક્શનના છેડા ગુજરાતમાં જોડાયા.! જે પેપર લીક થયું હતું તે પેપર અમદાવાદમાં છપાયા હતા. સીલબંધ બોક્સમાં પરીક્ષાના પેપર ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા અમદાવાદની ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા અને તે પેપર અહીંથી જ કર્મચારીઓએ લીક કર્યું હતું તેવી વાત તપાસ દરમિયાન સામે આવી છે. 

પેપર લીક થતા પરીક્ષાને કરવામાં આવી હતી રદ્દ

પેપર લીક થવું ગુજરાતમાં જાણે સામાન્ય થઈ ગયું હતું. અનેક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટ્યા છે. જ્યારે પણ કોઈ પેપર ફૂટે છે ત્યારે તે માત્ર પેપર નતી ફૂટયું પરંતુ અનેક ઉમેદવારોના સપના તૂટે છે. ત્યારે થોડા સમયથી પેપર ફૂટવાની ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી રહી છે. થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશથી સમાચાર સામે આવ્યા કે પોલીસ ભરતીનું પેપર લીક થઈ ગયું. ભરતીનું પેપર લીક થતાં પરીક્ષાને રદ્દ કરવામાં આવી અને તે બાદ 6 મહિનાની અંદર પરીક્ષાને ફરીથી લેવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી. પેપર લીક અંગેની તપાસ કરવામાં આવી અને તેના તાર અમદાવાદ સાથે જોડાયા.



અમદાવાદની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયા હતા યુપી પોલીસ ભરતીના પેપર!

 જે પેપર લીક થયું છે તે અમદાવાદની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયા હતા. અમદાવાદમાં છપાયા બાદ સીલ બંધ બોક્સમાં તેને ટ્રાન્સપોર્ટના માધ્યમથી યુપી મોકલવામાં આવ્યા. STF તપાસમાં બહાર આવ્યું છે કે પેપર અમદાવાદમાં છપાયા હતા. શુક્રવારે  DGP પ્રશાંત કુમારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં માહિતી આપી હતી કે આ કર્મચારીઓએ સીલબંધ બોક્સ તોડવા માટે પટનાથી નિષ્ણાતને બોલાવ્યા હતા. બોક્સ તોડીને પેપર કાઢ્યા, ફોટોગ્રાફ્સ લીધા અને નકલ કરનારા માફિયાઓને મોકલ્યા. હાલમાં STFએ ટ્રાન્સપોર્ટ કંપનીના 2 કર્મચારીઓ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .