તપાસમાં બહાર આવ્યું કે Uttar Pradesh Police ભરતીનું પેપર અમદાવાદમાંથી લીક થયું, Yuvrajsinhએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે..


  • Published By :
  • Published Date : 2024-03-16 11:32:29

થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીનું પેપર લીક થયું હતું. પેપર લીક થતાં ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો હતો. અને અંતે પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય યોગી સરકાર દ્વારા કરવમાં આવ્યો હતો. આ અંગેની જાણકારી ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપી હતી. આ મામલે તપાસ ચાલી રહી હતી અને આ પેપર લીકનું કનેક્શનના છેડા ગુજરાતમાં જોડાયા.! જે પેપર લીક થયું હતું તે પેપર અમદાવાદમાં છપાયા હતા. સીલબંધ બોક્સમાં પરીક્ષાના પેપર ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા અમદાવાદની ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા અને તે પેપર અહીંથી જ કર્મચારીઓએ લીક કર્યું હતું તેવી વાત તપાસ દરમિયાન સામે આવી છે. 

પેપર લીક થતા પરીક્ષાને કરવામાં આવી હતી રદ્દ

પેપર લીક થવું ગુજરાતમાં જાણે સામાન્ય થઈ ગયું હતું. અનેક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટ્યા છે. જ્યારે પણ કોઈ પેપર ફૂટે છે ત્યારે તે માત્ર પેપર નતી ફૂટયું પરંતુ અનેક ઉમેદવારોના સપના તૂટે છે. ત્યારે થોડા સમયથી પેપર ફૂટવાની ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી રહી છે. થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશથી સમાચાર સામે આવ્યા કે પોલીસ ભરતીનું પેપર લીક થઈ ગયું. ભરતીનું પેપર લીક થતાં પરીક્ષાને રદ્દ કરવામાં આવી અને તે બાદ 6 મહિનાની અંદર પરીક્ષાને ફરીથી લેવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી. પેપર લીક અંગેની તપાસ કરવામાં આવી અને તેના તાર અમદાવાદ સાથે જોડાયા.



અમદાવાદની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયા હતા યુપી પોલીસ ભરતીના પેપર!

 જે પેપર લીક થયું છે તે અમદાવાદની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયા હતા. અમદાવાદમાં છપાયા બાદ સીલ બંધ બોક્સમાં તેને ટ્રાન્સપોર્ટના માધ્યમથી યુપી મોકલવામાં આવ્યા. STF તપાસમાં બહાર આવ્યું છે કે પેપર અમદાવાદમાં છપાયા હતા. શુક્રવારે  DGP પ્રશાંત કુમારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં માહિતી આપી હતી કે આ કર્મચારીઓએ સીલબંધ બોક્સ તોડવા માટે પટનાથી નિષ્ણાતને બોલાવ્યા હતા. બોક્સ તોડીને પેપર કાઢ્યા, ફોટોગ્રાફ્સ લીધા અને નકલ કરનારા માફિયાઓને મોકલ્યા. હાલમાં STFએ ટ્રાન્સપોર્ટ કંપનીના 2 કર્મચારીઓ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.