iPhone 14 લેવો છે? તો આવી રીતે ફટાફટ પ્રી-ઓર્ડર કરી શકાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 20:07:29

ભારતીય આઈફોન યુઝર્સ માટે ખુશખબર છે કે તેઓ હવે આઈફોન 14 સિરીઝને પ્રી-ઓર્ડર કરી શકશે. અમેરિકામાં પણ આઈફોન 14 પ્રી-ઓર્ડરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જમાવટ પણ જાણો કેવી રીતે પ્રી-ઓર્ડર કરી શકાશે આઈફોન 14... 


કેવી રીતે અને ક્યારે પ્રી-ઓર્ડર કરી શકાશે?

iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને iPhone 14 Pro Maxને એપલ સ્ટોર, વિજય સેલ્સ, ક્રોમા, ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ અને એમેઝોન પર 9 સપ્ટેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યાથી પ્રી ઓર્ડર કરી શકાશે. દુકાન પર જઈ આઈફોન ખરીદવા માટે લોકો આઈફોનના સ્ટોર પર જઈ ફોન ખરીદી શકે છે. આઈફોન 14 દુકાન પર આવ્યા બાદ તમે તમારો પ્રી-ઓર્ડર કરેલો આઈફોન મેળવી શકશો. આઈફોન 14 16 સપ્ટેમ્બરથી મળવાનો શરૂ થશે. જ્યારે આઈફોન 14 પ્લસ 7 ઓક્ટોબર બાદ તમારા હાથમાં આવશે


જૂનો આઈફોન બદલાવીને પણ આઈફોન 14 ખરીદી શકાશે

તમે તમારો અત્યારનો આઈફોન એપલ સ્ટોર પર આપીને આઈફોન 14 પણ ખરીદી શકો છો. જો તમારી પાસે ચાલુ કંડિશનમાં આઈફોન હોય તો તેને એપલ સ્ટોર પર આપી શકો છો. એપલ સ્ટોર પરથી તમને તમારા આઈફોનની પરિસ્થિતિ મુજબ રૂપિયા મળી જશે. આ ક્રેડિટથી તમને થોડું ડિસ્કાઉન્ટ પણ મળશે અને તમે નવો આઈફોન 14 ખરીદી શકશો. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.