iPhone 14 લેવો છે? તો આવી રીતે ફટાફટ પ્રી-ઓર્ડર કરી શકાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 20:07:29

ભારતીય આઈફોન યુઝર્સ માટે ખુશખબર છે કે તેઓ હવે આઈફોન 14 સિરીઝને પ્રી-ઓર્ડર કરી શકશે. અમેરિકામાં પણ આઈફોન 14 પ્રી-ઓર્ડરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જમાવટ પણ જાણો કેવી રીતે પ્રી-ઓર્ડર કરી શકાશે આઈફોન 14... 


કેવી રીતે અને ક્યારે પ્રી-ઓર્ડર કરી શકાશે?

iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને iPhone 14 Pro Maxને એપલ સ્ટોર, વિજય સેલ્સ, ક્રોમા, ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ અને એમેઝોન પર 9 સપ્ટેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યાથી પ્રી ઓર્ડર કરી શકાશે. દુકાન પર જઈ આઈફોન ખરીદવા માટે લોકો આઈફોનના સ્ટોર પર જઈ ફોન ખરીદી શકે છે. આઈફોન 14 દુકાન પર આવ્યા બાદ તમે તમારો પ્રી-ઓર્ડર કરેલો આઈફોન મેળવી શકશો. આઈફોન 14 16 સપ્ટેમ્બરથી મળવાનો શરૂ થશે. જ્યારે આઈફોન 14 પ્લસ 7 ઓક્ટોબર બાદ તમારા હાથમાં આવશે


જૂનો આઈફોન બદલાવીને પણ આઈફોન 14 ખરીદી શકાશે

તમે તમારો અત્યારનો આઈફોન એપલ સ્ટોર પર આપીને આઈફોન 14 પણ ખરીદી શકો છો. જો તમારી પાસે ચાલુ કંડિશનમાં આઈફોન હોય તો તેને એપલ સ્ટોર પર આપી શકો છો. એપલ સ્ટોર પરથી તમને તમારા આઈફોનની પરિસ્થિતિ મુજબ રૂપિયા મળી જશે. આ ક્રેડિટથી તમને થોડું ડિસ્કાઉન્ટ પણ મળશે અને તમે નવો આઈફોન 14 ખરીદી શકશો. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.