iPhone 14 લેવો છે? તો આવી રીતે ફટાફટ પ્રી-ઓર્ડર કરી શકાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 20:07:29

ભારતીય આઈફોન યુઝર્સ માટે ખુશખબર છે કે તેઓ હવે આઈફોન 14 સિરીઝને પ્રી-ઓર્ડર કરી શકશે. અમેરિકામાં પણ આઈફોન 14 પ્રી-ઓર્ડરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જમાવટ પણ જાણો કેવી રીતે પ્રી-ઓર્ડર કરી શકાશે આઈફોન 14... 


કેવી રીતે અને ક્યારે પ્રી-ઓર્ડર કરી શકાશે?

iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને iPhone 14 Pro Maxને એપલ સ્ટોર, વિજય સેલ્સ, ક્રોમા, ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ અને એમેઝોન પર 9 સપ્ટેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યાથી પ્રી ઓર્ડર કરી શકાશે. દુકાન પર જઈ આઈફોન ખરીદવા માટે લોકો આઈફોનના સ્ટોર પર જઈ ફોન ખરીદી શકે છે. આઈફોન 14 દુકાન પર આવ્યા બાદ તમે તમારો પ્રી-ઓર્ડર કરેલો આઈફોન મેળવી શકશો. આઈફોન 14 16 સપ્ટેમ્બરથી મળવાનો શરૂ થશે. જ્યારે આઈફોન 14 પ્લસ 7 ઓક્ટોબર બાદ તમારા હાથમાં આવશે


જૂનો આઈફોન બદલાવીને પણ આઈફોન 14 ખરીદી શકાશે

તમે તમારો અત્યારનો આઈફોન એપલ સ્ટોર પર આપીને આઈફોન 14 પણ ખરીદી શકો છો. જો તમારી પાસે ચાલુ કંડિશનમાં આઈફોન હોય તો તેને એપલ સ્ટોર પર આપી શકો છો. એપલ સ્ટોર પરથી તમને તમારા આઈફોનની પરિસ્થિતિ મુજબ રૂપિયા મળી જશે. આ ક્રેડિટથી તમને થોડું ડિસ્કાઉન્ટ પણ મળશે અને તમે નવો આઈફોન 14 ખરીદી શકશો. 




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.