iPhone 14 લેવો છે? તો આવી રીતે ફટાફટ પ્રી-ઓર્ડર કરી શકાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 20:07:29

ભારતીય આઈફોન યુઝર્સ માટે ખુશખબર છે કે તેઓ હવે આઈફોન 14 સિરીઝને પ્રી-ઓર્ડર કરી શકશે. અમેરિકામાં પણ આઈફોન 14 પ્રી-ઓર્ડરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જમાવટ પણ જાણો કેવી રીતે પ્રી-ઓર્ડર કરી શકાશે આઈફોન 14... 


કેવી રીતે અને ક્યારે પ્રી-ઓર્ડર કરી શકાશે?

iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને iPhone 14 Pro Maxને એપલ સ્ટોર, વિજય સેલ્સ, ક્રોમા, ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ અને એમેઝોન પર 9 સપ્ટેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યાથી પ્રી ઓર્ડર કરી શકાશે. દુકાન પર જઈ આઈફોન ખરીદવા માટે લોકો આઈફોનના સ્ટોર પર જઈ ફોન ખરીદી શકે છે. આઈફોન 14 દુકાન પર આવ્યા બાદ તમે તમારો પ્રી-ઓર્ડર કરેલો આઈફોન મેળવી શકશો. આઈફોન 14 16 સપ્ટેમ્બરથી મળવાનો શરૂ થશે. જ્યારે આઈફોન 14 પ્લસ 7 ઓક્ટોબર બાદ તમારા હાથમાં આવશે


જૂનો આઈફોન બદલાવીને પણ આઈફોન 14 ખરીદી શકાશે

તમે તમારો અત્યારનો આઈફોન એપલ સ્ટોર પર આપીને આઈફોન 14 પણ ખરીદી શકો છો. જો તમારી પાસે ચાલુ કંડિશનમાં આઈફોન હોય તો તેને એપલ સ્ટોર પર આપી શકો છો. એપલ સ્ટોર પરથી તમને તમારા આઈફોનની પરિસ્થિતિ મુજબ રૂપિયા મળી જશે. આ ક્રેડિટથી તમને થોડું ડિસ્કાઉન્ટ પણ મળશે અને તમે નવો આઈફોન 14 ખરીદી શકશો. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.