iPhone 14ની સિરીઝ થઈ લૉન્ચ, iPhone 13થી નીચેના iPhoneના ભાવ ઘટશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 11:31:09

iPhoneને આપણે ત્યાં સ્ટેટસ સિંબોલ ગણવામાં આવે છે. આઈ ફોન ધરાવનાર વ્યક્તિને જ જોતા આપણે એને સારા ઘરના માણસો ગણીએ છીએ. iPhone ધરાવનાર વ્યક્તિને આપણે માનથી જોવા લાગીયે છીએ. ત્યારે એપલ કંપનીએ આતુરતાથી રાહ જોવાતા એવા આઈ ફોન 14 સિરિઝ લોન્ચ કરી છે. 


IPhone 14 iPhone 14 Plus?

આઈ ફોન સિરીઝ 8ના ઘણા સમય બાદ એપલે iPhone 14 સિરિઝ લોન્ચ કરી છે. આ સિરિઝની અંદર કંપનિએ બે હેન્ડ સેટ લોન્ચ કર્યા છે. જેમાં iPhone 14 અને iPhone 14 પ્લસનો સમાવેશ થાય છે. એપલ ઈવેન્ટ દરમિયાન આ સિરિઝ લોન્ચ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ બન્ને ફોન મોડલમાં વધારે અંતર નથી. માત્ર સ્ક્રીન સાઈઝમાં જ અંતર રાખવામાં આવ્યો  છે. તે ઉપરાંત કંપનીએ ડિઝાઈન અને કોન્ફિગ્યૂરેશનમાં વધારે સૂધારો કરવામાં આવ્યો નથી.   



શું છે iPhone 14ની ખાસિયત?

iPhone 14ની સ્ક્રીન સાઈઝ 6.1 inch છે જ્યારે આઈ ફોન14 પ્લસની સ્ક્રીન સાઈઝ 6.7 inch છે. અમેરિકીમાં વસનાર લોકો માટે ફોન ફિઝિકલ સીમ કાર્ડ વગર મળશે. ઉપરાંત a15 bionic ચિપસેટ રાખવામાં આવ્યું છે. બંન્ને ફોનમાં ડુઅલ કેમેરા લેન્સની 12 MP તેમજ સેકેન્ડરી લેન્સની રેન્જ પણ 12 MP છે. વધુમાં બંન્ને ફોન્સમાં સેટેલાઈટ કોમ્યુનિકેશન ફિચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 


કેટલા રૂપિયામાં મળશે iPhone નો નવો ફોન?

ગ્લોબલ માર્કેટમાં iPhone 14નો ભાવ 799 ડોલર છે જ્યારે iPhone 14 પ્લસની કિંમત 899 ડોલર છે. ભારતમાં iPhone 14ની કિંમત 79,900 રૂપિયા છે જ્યારે iPhone 14પ્લસની કિંમત 89,900 છે. 


iPhone 14 pro અને iPhone 14 pro max ની કિંમત કેટલી રહેશે?

iPhone 14 તેમજ iPhone 14 પ્લસ ઉપરાંત કંપનીને iPhone 14 pro અને iPhone 14 pro max પણ લોન્ચ કર્યા છે. iPhone 14 proની કિંમત 1,29,900 છે જ્યારે iPhone 14 pro maxની કિંમત 1,39,900 છે. વધુમાં કંપનીએ APPLE WATCH 8, WATCH SE અને WATCH ULTRA  પણ લોન્ચ કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે