iPhone 14ની સિરીઝ થઈ લૉન્ચ, iPhone 13થી નીચેના iPhoneના ભાવ ઘટશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 11:31:09

iPhoneને આપણે ત્યાં સ્ટેટસ સિંબોલ ગણવામાં આવે છે. આઈ ફોન ધરાવનાર વ્યક્તિને જ જોતા આપણે એને સારા ઘરના માણસો ગણીએ છીએ. iPhone ધરાવનાર વ્યક્તિને આપણે માનથી જોવા લાગીયે છીએ. ત્યારે એપલ કંપનીએ આતુરતાથી રાહ જોવાતા એવા આઈ ફોન 14 સિરિઝ લોન્ચ કરી છે. 


IPhone 14 iPhone 14 Plus?

આઈ ફોન સિરીઝ 8ના ઘણા સમય બાદ એપલે iPhone 14 સિરિઝ લોન્ચ કરી છે. આ સિરિઝની અંદર કંપનિએ બે હેન્ડ સેટ લોન્ચ કર્યા છે. જેમાં iPhone 14 અને iPhone 14 પ્લસનો સમાવેશ થાય છે. એપલ ઈવેન્ટ દરમિયાન આ સિરિઝ લોન્ચ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ બન્ને ફોન મોડલમાં વધારે અંતર નથી. માત્ર સ્ક્રીન સાઈઝમાં જ અંતર રાખવામાં આવ્યો  છે. તે ઉપરાંત કંપનીએ ડિઝાઈન અને કોન્ફિગ્યૂરેશનમાં વધારે સૂધારો કરવામાં આવ્યો નથી.   



શું છે iPhone 14ની ખાસિયત?

iPhone 14ની સ્ક્રીન સાઈઝ 6.1 inch છે જ્યારે આઈ ફોન14 પ્લસની સ્ક્રીન સાઈઝ 6.7 inch છે. અમેરિકીમાં વસનાર લોકો માટે ફોન ફિઝિકલ સીમ કાર્ડ વગર મળશે. ઉપરાંત a15 bionic ચિપસેટ રાખવામાં આવ્યું છે. બંન્ને ફોનમાં ડુઅલ કેમેરા લેન્સની 12 MP તેમજ સેકેન્ડરી લેન્સની રેન્જ પણ 12 MP છે. વધુમાં બંન્ને ફોન્સમાં સેટેલાઈટ કોમ્યુનિકેશન ફિચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 


કેટલા રૂપિયામાં મળશે iPhone નો નવો ફોન?

ગ્લોબલ માર્કેટમાં iPhone 14નો ભાવ 799 ડોલર છે જ્યારે iPhone 14 પ્લસની કિંમત 899 ડોલર છે. ભારતમાં iPhone 14ની કિંમત 79,900 રૂપિયા છે જ્યારે iPhone 14પ્લસની કિંમત 89,900 છે. 


iPhone 14 pro અને iPhone 14 pro max ની કિંમત કેટલી રહેશે?

iPhone 14 તેમજ iPhone 14 પ્લસ ઉપરાંત કંપનીને iPhone 14 pro અને iPhone 14 pro max પણ લોન્ચ કર્યા છે. iPhone 14 proની કિંમત 1,29,900 છે જ્યારે iPhone 14 pro maxની કિંમત 1,39,900 છે. વધુમાં કંપનીએ APPLE WATCH 8, WATCH SE અને WATCH ULTRA  પણ લોન્ચ કરી છે.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.