અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી GT vs CSK વચ્ચેની ફાઈનલ મેચ, વરસાદ બાદ થયેલી ફજેતી માટે કોણ જવાબદાર?


  • Published By :
  • Published Date : 2023-06-01 20:50:13

IPL 2023ની ફાઇનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાનારી મેચ દરમિયાન રાત્રે 9:50 વાગ્યે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે મેચ બે કલાકથી વધુ સમય માટે રોકવાની ફરજ પડી હતી. વરસાદ રોકાઈ જતાં કારણે મેચ ફરીથી 12.10 વાગ્યે શરુ થઈ હતી. વરસાદ બાદ મેચ ફરી શરુ થતા 5 ઓવર ઘટાડવામાં આવી હતી. આ GT vs CSK મેચ જોવા માટે 1 લાખ 4 હજાર 859 લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. 3 કરોડથી વધુ યુઝર્સ એને લાઈવ જોઈ રહ્યા હતા, પરંતુ મેચ મોડી યોજાતા કરોડો ચાહકો ભારે નિરાશ થયા હતા. BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. IPL વિશ્વની બીજી સૌથી મોટી લીગ છે. તેમ છતાં IPL ફાઈનલમાં જે રીતે ફજેતી થઈ તે ચોંકાવનારી બાબત છે.


સ્ટેડિયમના લોકાર્પણ વખતે કરાયા હતા મોટા દાવા


અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમના લોકાર્પણ સમયે જારી કરાયેલી સત્તાવાર અખબારીયાદીમાં મોટા દાવા કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે અહીં ડ્રેનેજ સિસ્ટમ એટલી સારી છે કે વરસાદ બંધ થયા પછી 30 મિનિટમાં રમત શરૂ થઈ જશે. જોકે વરસાદ 10:15 વાગ્યે બંધ થઈ ગયો હતો અને રમત 12:10 વાગ્યે એટલે કે લગભગ 2 કલાક પછી શરૂ થઈ શકી નહોંતી.


શા માટે થઈ ફજેતી?


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ વર્લ્ડ ક્લાસ છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે જમીન પર 8 સેમી સુધી વરસાદ પડવા છતાં 30 મિનિટમાં રમત શરૂ કરી શકાય છે. આ મેદાનની પિચ અને ઘાસની નીચે રેતીનો એક સ્તર નાખવામાં આવ્યો છે, જે અન્ય સ્ટેડિયમની તુલનામાં ખૂબ જ ઝડપથી પાણીને શોષી લે છે. સિસ્ટમ દેખીતી રીતે શાનદાર છે, જોકે જમીન પર રેઈન મેનેજમેન્ટ સાધનોનો અદ્યતન ભાગ ન હતો.આ સાધનને હોવર કવર કહેવામાં આવે છે. એ એક યાંત્રિક ટ્રોલી છે, જેના પર પિચ અને ગ્રાઉન્ડ કવર મૂકવામાં આવે છે. એની વિશેષતા એ છે કે અમ્પાયર તરફથી સિગ્નલ મળ્યાની થોડી જ સેકન્ડોમાં એને પિચની નજીક ખસેડી શકાય છે અને પછી પિચ અને એની આસપાસના વિસ્તારને ખૂબ જ ઝડપથી કવર કરી શકાય છે.


સ્ટાફમાં કુશળતાનો અભાવ


નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 38 ગ્રાઉન્ડ સ્ટાફ હતા, પરંતુ કૌશલ્યપ્રાપ્ત અને તાલીમપ્રાપ્ત દેખાતા નહોતા વરસાદની સ્થિતિમાં પિચ અને ગ્રાઉન્ડ પર કવર નાખવું એ પોતાનામાં એક કૌશલ્ય છે. અમદાવાદમાં આ કામમાં રોકાયેલા લોકોમાં આ કૌશલ્યનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો. તેમણે કવર લાવવામાં વિલંબ કર્યો અને પછી એને યોગ્ય રીતે મૂકી પણ ન શક્યા. કવર હટાવવાની ભૂલને કારણે પિચની આસપાસના વિસ્તારોમાં પુષ્કળ પાણી એકઠું થયું હતું.


સ્ટેડિયમનો સ્ટાફ ઉંઘતો ઝડપાયો


અમદાવાદમાં વરસાદની આગાહી જરૂર થઈ હતી, વરસાદ પછી મેદાનમાં દેખાયેલી અવ્યવસ્થા પાછળ અમદાવાદમાં વરસાદ ન હોવાનું માઈન્ડસેટ પણ એક કારણ હતું. પરંતુ આવા વરસાદ માટે ન તો સ્ટાફ સંપૂર્ણપણે તૈયાર હતો કે ન તો મેનેજર અને ન તો મશીનો. વરસાદ પડતાંની સાથે જ સ્ટાફ દોડવા લાગ્યો હતો. પવન ખૂબ જ જોરદાર હતો, જેના કારણે કવર યોગ્ય રીતે લગાવી શકાયા નહિ.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.