અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી GT vs CSK વચ્ચેની ફાઈનલ મેચ, વરસાદ બાદ થયેલી ફજેતી માટે કોણ જવાબદાર?


  • Published By :
  • Published Date : 2023-06-01 20:50:13

IPL 2023ની ફાઇનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાનારી મેચ દરમિયાન રાત્રે 9:50 વાગ્યે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે મેચ બે કલાકથી વધુ સમય માટે રોકવાની ફરજ પડી હતી. વરસાદ રોકાઈ જતાં કારણે મેચ ફરીથી 12.10 વાગ્યે શરુ થઈ હતી. વરસાદ બાદ મેચ ફરી શરુ થતા 5 ઓવર ઘટાડવામાં આવી હતી. આ GT vs CSK મેચ જોવા માટે 1 લાખ 4 હજાર 859 લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. 3 કરોડથી વધુ યુઝર્સ એને લાઈવ જોઈ રહ્યા હતા, પરંતુ મેચ મોડી યોજાતા કરોડો ચાહકો ભારે નિરાશ થયા હતા. BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. IPL વિશ્વની બીજી સૌથી મોટી લીગ છે. તેમ છતાં IPL ફાઈનલમાં જે રીતે ફજેતી થઈ તે ચોંકાવનારી બાબત છે.


સ્ટેડિયમના લોકાર્પણ વખતે કરાયા હતા મોટા દાવા


અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમના લોકાર્પણ સમયે જારી કરાયેલી સત્તાવાર અખબારીયાદીમાં મોટા દાવા કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે અહીં ડ્રેનેજ સિસ્ટમ એટલી સારી છે કે વરસાદ બંધ થયા પછી 30 મિનિટમાં રમત શરૂ થઈ જશે. જોકે વરસાદ 10:15 વાગ્યે બંધ થઈ ગયો હતો અને રમત 12:10 વાગ્યે એટલે કે લગભગ 2 કલાક પછી શરૂ થઈ શકી નહોંતી.


શા માટે થઈ ફજેતી?


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ વર્લ્ડ ક્લાસ છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે જમીન પર 8 સેમી સુધી વરસાદ પડવા છતાં 30 મિનિટમાં રમત શરૂ કરી શકાય છે. આ મેદાનની પિચ અને ઘાસની નીચે રેતીનો એક સ્તર નાખવામાં આવ્યો છે, જે અન્ય સ્ટેડિયમની તુલનામાં ખૂબ જ ઝડપથી પાણીને શોષી લે છે. સિસ્ટમ દેખીતી રીતે શાનદાર છે, જોકે જમીન પર રેઈન મેનેજમેન્ટ સાધનોનો અદ્યતન ભાગ ન હતો.આ સાધનને હોવર કવર કહેવામાં આવે છે. એ એક યાંત્રિક ટ્રોલી છે, જેના પર પિચ અને ગ્રાઉન્ડ કવર મૂકવામાં આવે છે. એની વિશેષતા એ છે કે અમ્પાયર તરફથી સિગ્નલ મળ્યાની થોડી જ સેકન્ડોમાં એને પિચની નજીક ખસેડી શકાય છે અને પછી પિચ અને એની આસપાસના વિસ્તારને ખૂબ જ ઝડપથી કવર કરી શકાય છે.


સ્ટાફમાં કુશળતાનો અભાવ


નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 38 ગ્રાઉન્ડ સ્ટાફ હતા, પરંતુ કૌશલ્યપ્રાપ્ત અને તાલીમપ્રાપ્ત દેખાતા નહોતા વરસાદની સ્થિતિમાં પિચ અને ગ્રાઉન્ડ પર કવર નાખવું એ પોતાનામાં એક કૌશલ્ય છે. અમદાવાદમાં આ કામમાં રોકાયેલા લોકોમાં આ કૌશલ્યનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો. તેમણે કવર લાવવામાં વિલંબ કર્યો અને પછી એને યોગ્ય રીતે મૂકી પણ ન શક્યા. કવર હટાવવાની ભૂલને કારણે પિચની આસપાસના વિસ્તારોમાં પુષ્કળ પાણી એકઠું થયું હતું.


સ્ટેડિયમનો સ્ટાફ ઉંઘતો ઝડપાયો


અમદાવાદમાં વરસાદની આગાહી જરૂર થઈ હતી, વરસાદ પછી મેદાનમાં દેખાયેલી અવ્યવસ્થા પાછળ અમદાવાદમાં વરસાદ ન હોવાનું માઈન્ડસેટ પણ એક કારણ હતું. પરંતુ આવા વરસાદ માટે ન તો સ્ટાફ સંપૂર્ણપણે તૈયાર હતો કે ન તો મેનેજર અને ન તો મશીનો. વરસાદ પડતાંની સાથે જ સ્ટાફ દોડવા લાગ્યો હતો. પવન ખૂબ જ જોરદાર હતો, જેના કારણે કવર યોગ્ય રીતે લગાવી શકાયા નહિ.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.