અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી GT vs CSK વચ્ચેની ફાઈનલ મેચ, વરસાદ બાદ થયેલી ફજેતી માટે કોણ જવાબદાર?


  • Published By :
  • Published Date : 2023-06-01 20:50:13

IPL 2023ની ફાઇનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાનારી મેચ દરમિયાન રાત્રે 9:50 વાગ્યે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે મેચ બે કલાકથી વધુ સમય માટે રોકવાની ફરજ પડી હતી. વરસાદ રોકાઈ જતાં કારણે મેચ ફરીથી 12.10 વાગ્યે શરુ થઈ હતી. વરસાદ બાદ મેચ ફરી શરુ થતા 5 ઓવર ઘટાડવામાં આવી હતી. આ GT vs CSK મેચ જોવા માટે 1 લાખ 4 હજાર 859 લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. 3 કરોડથી વધુ યુઝર્સ એને લાઈવ જોઈ રહ્યા હતા, પરંતુ મેચ મોડી યોજાતા કરોડો ચાહકો ભારે નિરાશ થયા હતા. BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. IPL વિશ્વની બીજી સૌથી મોટી લીગ છે. તેમ છતાં IPL ફાઈનલમાં જે રીતે ફજેતી થઈ તે ચોંકાવનારી બાબત છે.


સ્ટેડિયમના લોકાર્પણ વખતે કરાયા હતા મોટા દાવા


અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમના લોકાર્પણ સમયે જારી કરાયેલી સત્તાવાર અખબારીયાદીમાં મોટા દાવા કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે અહીં ડ્રેનેજ સિસ્ટમ એટલી સારી છે કે વરસાદ બંધ થયા પછી 30 મિનિટમાં રમત શરૂ થઈ જશે. જોકે વરસાદ 10:15 વાગ્યે બંધ થઈ ગયો હતો અને રમત 12:10 વાગ્યે એટલે કે લગભગ 2 કલાક પછી શરૂ થઈ શકી નહોંતી.


શા માટે થઈ ફજેતી?


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ વર્લ્ડ ક્લાસ છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે જમીન પર 8 સેમી સુધી વરસાદ પડવા છતાં 30 મિનિટમાં રમત શરૂ કરી શકાય છે. આ મેદાનની પિચ અને ઘાસની નીચે રેતીનો એક સ્તર નાખવામાં આવ્યો છે, જે અન્ય સ્ટેડિયમની તુલનામાં ખૂબ જ ઝડપથી પાણીને શોષી લે છે. સિસ્ટમ દેખીતી રીતે શાનદાર છે, જોકે જમીન પર રેઈન મેનેજમેન્ટ સાધનોનો અદ્યતન ભાગ ન હતો.આ સાધનને હોવર કવર કહેવામાં આવે છે. એ એક યાંત્રિક ટ્રોલી છે, જેના પર પિચ અને ગ્રાઉન્ડ કવર મૂકવામાં આવે છે. એની વિશેષતા એ છે કે અમ્પાયર તરફથી સિગ્નલ મળ્યાની થોડી જ સેકન્ડોમાં એને પિચની નજીક ખસેડી શકાય છે અને પછી પિચ અને એની આસપાસના વિસ્તારને ખૂબ જ ઝડપથી કવર કરી શકાય છે.


સ્ટાફમાં કુશળતાનો અભાવ


નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 38 ગ્રાઉન્ડ સ્ટાફ હતા, પરંતુ કૌશલ્યપ્રાપ્ત અને તાલીમપ્રાપ્ત દેખાતા નહોતા વરસાદની સ્થિતિમાં પિચ અને ગ્રાઉન્ડ પર કવર નાખવું એ પોતાનામાં એક કૌશલ્ય છે. અમદાવાદમાં આ કામમાં રોકાયેલા લોકોમાં આ કૌશલ્યનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો. તેમણે કવર લાવવામાં વિલંબ કર્યો અને પછી એને યોગ્ય રીતે મૂકી પણ ન શક્યા. કવર હટાવવાની ભૂલને કારણે પિચની આસપાસના વિસ્તારોમાં પુષ્કળ પાણી એકઠું થયું હતું.


સ્ટેડિયમનો સ્ટાફ ઉંઘતો ઝડપાયો


અમદાવાદમાં વરસાદની આગાહી જરૂર થઈ હતી, વરસાદ પછી મેદાનમાં દેખાયેલી અવ્યવસ્થા પાછળ અમદાવાદમાં વરસાદ ન હોવાનું માઈન્ડસેટ પણ એક કારણ હતું. પરંતુ આવા વરસાદ માટે ન તો સ્ટાફ સંપૂર્ણપણે તૈયાર હતો કે ન તો મેનેજર અને ન તો મશીનો. વરસાદ પડતાંની સાથે જ સ્ટાફ દોડવા લાગ્યો હતો. પવન ખૂબ જ જોરદાર હતો, જેના કારણે કવર યોગ્ય રીતે લગાવી શકાયા નહિ.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.