ન્યું એજ ટેકનોલોજી કંપનીઓના શેરોના IPOમાં રૂ.1476 અબજની મૂડીનું ધોવાણ


  • Published By :
  • Published Date : 2022-11-18 19:17:01


ભારતીય શેરબજારો છેલ્લા 16 મહિનામાં નવી વિક્રમી ઊંચાઈએ બંધ આવ્યા છે. જો કે વાસ્તવમાં રોકાણકારોને ઘણી કંપનીઓના શેરોમાં પોતાની મોટી મૂડી ગુમાવવાનો પણ કડવો અનુભવ થયો છે. આ પૈકી ખાસ પાંચ સૌથી ખ્યાતનામ થયેલી ન્યું એજ ટેકનોલોજી કંપનીઓના શેરોના આઈપીઓ-ઈનિશિયલ પબ્લિક ઓફરીંગમાં રોકાણકારોની મહામૂલી રૂ.1476 અબજની(18 અબજ ડોલરની ) મૂડીનું ધોવાણ થઈ ગયું છે. 


નામ બડે દર્શન છોટે


ટેકનોલોજી કંપનીઓના વેલ્યુએશન બાબતે અનેક સવાલ ઊઠયા સાથે આ કંપનીઓને વૈશ્વિક વ્યાજ દરોમાં વધારાના કારણે ડહોળાયેલા સેન્ટીમેન્ટનો પણ માર પડયો છે. પેમેન્ટ કંપની પેટીએમ-વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડના આઈપીઓમાં શેરો મેળવનાર રોકાણકારોને આ પાંચ કંપનીઓમાં સૌથી મોટું નુકશાન થયું છે. જ્યારે અન્ય કંપનીઓમાં ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમાટો, બ્યુટી ઈ-રીટેલર નાયકા, લોજિસ્ટિક કંપની ડેલહિવરી તેમ જ ઓનલાઈન ઈન્સ્યોરન્સ કંપની પોલીસીબઝારમાં પણ રોકાણકારોને મોટો માર પડયો છે.


સંસ્થાકીય રોકાણકારોને પણ ભારે ખોટ


આ કંપનીઓમાં રીટેલ રોકાણકારોએ હાથ દઝાડયા બાદ હવે IPO પૂર્વે આ કંપનીઓના શેરોમાં મોટું રોકાણ કરનારા સંસ્થાકીય રોકાણકારો પણ લોક-ઈન સમયગાળો પૂરો થતાંની સાથે ખોટ તો ખોટમાં પોતાનું હોલ્ડિંગ વેચીને રહી સહી મૂડી ઘરભેગી કરવા લાગ્યા છે.



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.