ન્યું એજ ટેકનોલોજી કંપનીઓના શેરોના IPOમાં રૂ.1476 અબજની મૂડીનું ધોવાણ


  • Published By :
  • Published Date : 2022-11-18 19:17:01


ભારતીય શેરબજારો છેલ્લા 16 મહિનામાં નવી વિક્રમી ઊંચાઈએ બંધ આવ્યા છે. જો કે વાસ્તવમાં રોકાણકારોને ઘણી કંપનીઓના શેરોમાં પોતાની મોટી મૂડી ગુમાવવાનો પણ કડવો અનુભવ થયો છે. આ પૈકી ખાસ પાંચ સૌથી ખ્યાતનામ થયેલી ન્યું એજ ટેકનોલોજી કંપનીઓના શેરોના આઈપીઓ-ઈનિશિયલ પબ્લિક ઓફરીંગમાં રોકાણકારોની મહામૂલી રૂ.1476 અબજની(18 અબજ ડોલરની ) મૂડીનું ધોવાણ થઈ ગયું છે. 


નામ બડે દર્શન છોટે


ટેકનોલોજી કંપનીઓના વેલ્યુએશન બાબતે અનેક સવાલ ઊઠયા સાથે આ કંપનીઓને વૈશ્વિક વ્યાજ દરોમાં વધારાના કારણે ડહોળાયેલા સેન્ટીમેન્ટનો પણ માર પડયો છે. પેમેન્ટ કંપની પેટીએમ-વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડના આઈપીઓમાં શેરો મેળવનાર રોકાણકારોને આ પાંચ કંપનીઓમાં સૌથી મોટું નુકશાન થયું છે. જ્યારે અન્ય કંપનીઓમાં ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમાટો, બ્યુટી ઈ-રીટેલર નાયકા, લોજિસ્ટિક કંપની ડેલહિવરી તેમ જ ઓનલાઈન ઈન્સ્યોરન્સ કંપની પોલીસીબઝારમાં પણ રોકાણકારોને મોટો માર પડયો છે.


સંસ્થાકીય રોકાણકારોને પણ ભારે ખોટ


આ કંપનીઓમાં રીટેલ રોકાણકારોએ હાથ દઝાડયા બાદ હવે IPO પૂર્વે આ કંપનીઓના શેરોમાં મોટું રોકાણ કરનારા સંસ્થાકીય રોકાણકારો પણ લોક-ઈન સમયગાળો પૂરો થતાંની સાથે ખોટ તો ખોટમાં પોતાનું હોલ્ડિંગ વેચીને રહી સહી મૂડી ઘરભેગી કરવા લાગ્યા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .