ન્યું એજ ટેકનોલોજી કંપનીઓના શેરોના IPOમાં રૂ.1476 અબજની મૂડીનું ધોવાણ


  • Published By :
  • Published Date : 2022-11-18 19:17:01


ભારતીય શેરબજારો છેલ્લા 16 મહિનામાં નવી વિક્રમી ઊંચાઈએ બંધ આવ્યા છે. જો કે વાસ્તવમાં રોકાણકારોને ઘણી કંપનીઓના શેરોમાં પોતાની મોટી મૂડી ગુમાવવાનો પણ કડવો અનુભવ થયો છે. આ પૈકી ખાસ પાંચ સૌથી ખ્યાતનામ થયેલી ન્યું એજ ટેકનોલોજી કંપનીઓના શેરોના આઈપીઓ-ઈનિશિયલ પબ્લિક ઓફરીંગમાં રોકાણકારોની મહામૂલી રૂ.1476 અબજની(18 અબજ ડોલરની ) મૂડીનું ધોવાણ થઈ ગયું છે. 


નામ બડે દર્શન છોટે


ટેકનોલોજી કંપનીઓના વેલ્યુએશન બાબતે અનેક સવાલ ઊઠયા સાથે આ કંપનીઓને વૈશ્વિક વ્યાજ દરોમાં વધારાના કારણે ડહોળાયેલા સેન્ટીમેન્ટનો પણ માર પડયો છે. પેમેન્ટ કંપની પેટીએમ-વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડના આઈપીઓમાં શેરો મેળવનાર રોકાણકારોને આ પાંચ કંપનીઓમાં સૌથી મોટું નુકશાન થયું છે. જ્યારે અન્ય કંપનીઓમાં ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમાટો, બ્યુટી ઈ-રીટેલર નાયકા, લોજિસ્ટિક કંપની ડેલહિવરી તેમ જ ઓનલાઈન ઈન્સ્યોરન્સ કંપની પોલીસીબઝારમાં પણ રોકાણકારોને મોટો માર પડયો છે.


સંસ્થાકીય રોકાણકારોને પણ ભારે ખોટ


આ કંપનીઓમાં રીટેલ રોકાણકારોએ હાથ દઝાડયા બાદ હવે IPO પૂર્વે આ કંપનીઓના શેરોમાં મોટું રોકાણ કરનારા સંસ્થાકીય રોકાણકારો પણ લોક-ઈન સમયગાળો પૂરો થતાંની સાથે ખોટ તો ખોટમાં પોતાનું હોલ્ડિંગ વેચીને રહી સહી મૂડી ઘરભેગી કરવા લાગ્યા છે.



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .