ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની કરાઈ પસંદગી


  • Published By :
  • Published Date : 2023-02-06 15:56:29

થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. જેને લઈ સરકારની અનેક ટીકાઓ થઈ હતી. પરીક્ષા રદ થવાને કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આક્રોશ વધતા સરકારે 100 દિવસમાં ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારે સરકારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ તરીકે આઈપીએસ હસમુખ પટેલની વરણી કરવામાં આવી છે. જેને લઈ જૂનીયર ક્લાર્ક-તલાટીની પરીક્ષા હસમુખ પટેલની આગેવાનીમાં લેવાશે. ઈન્ચાર્જ અધ્યક્ષ સંદિપ કુમાર પાસેથી ચાર્જ પાછો લેવાયો છે. મળતી માહિતી અનુસાર આ પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાઈ શકે છે. તે ઉપરાંત તલાટીની પરીક્ષા પણ એપ્રિલ મહિનામાં યોજાઈ શકે છે તેવી સંભાવના છે. 


પ્રામાણિક છબી ધરાવતા હસમુખ પટેલને સોંપાઈ જવાબદારી 

ગુજરાત સરકારે આઈપીએસ હસમુખ પટેલને મોટી જવાબદારી સોંપી છે. હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી સોંપવામાં આવી છે.  તેમને ઈન્ચાર્જ અધ્યક્ષ બનાવાયા છે. હસમુખ પટેલ 1993ની બેચના આઈપીએસ અધિકારી છે તે ઉપરાંત હસમુખ પટેલ પ્રામાણિક છબી ધરાવે છે. 


તેમની દેખરેખ હેઠળ યોજાશે જૂનિયર ક્લાર્કનું પેપર 

તેમજ તેમની પાસે અનુભવ પણ છે. તેમણે લોકરક્ષક ભરતીનું પારદર્શક રીતે આયોજન કર્યું હતું. તે ઉપરાંત ઉમેદવારોને થતી નાની મોટી સમસ્યાઓને શેર કરતા રહે છે. વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં રહે છે તે ઉપરાંત પરીક્ષાનું આયોજન કરવામાં તેમની માસ્ટરી છે. હાલ તેઓ પોલીસ આવાસ નિગમના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.  આગામી દિવસોમાં યોજાનારી જૂનિયર ક્લાર્કની પરીક્ષા તેમની દેખરેખ હેઠળ યોજાવાની છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.