ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની કરાઈ પસંદગી


  • Published By :
  • Published Date : 2023-02-06 15:56:29

થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. જેને લઈ સરકારની અનેક ટીકાઓ થઈ હતી. પરીક્ષા રદ થવાને કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આક્રોશ વધતા સરકારે 100 દિવસમાં ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારે સરકારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ તરીકે આઈપીએસ હસમુખ પટેલની વરણી કરવામાં આવી છે. જેને લઈ જૂનીયર ક્લાર્ક-તલાટીની પરીક્ષા હસમુખ પટેલની આગેવાનીમાં લેવાશે. ઈન્ચાર્જ અધ્યક્ષ સંદિપ કુમાર પાસેથી ચાર્જ પાછો લેવાયો છે. મળતી માહિતી અનુસાર આ પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાઈ શકે છે. તે ઉપરાંત તલાટીની પરીક્ષા પણ એપ્રિલ મહિનામાં યોજાઈ શકે છે તેવી સંભાવના છે. 


પ્રામાણિક છબી ધરાવતા હસમુખ પટેલને સોંપાઈ જવાબદારી 

ગુજરાત સરકારે આઈપીએસ હસમુખ પટેલને મોટી જવાબદારી સોંપી છે. હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી સોંપવામાં આવી છે.  તેમને ઈન્ચાર્જ અધ્યક્ષ બનાવાયા છે. હસમુખ પટેલ 1993ની બેચના આઈપીએસ અધિકારી છે તે ઉપરાંત હસમુખ પટેલ પ્રામાણિક છબી ધરાવે છે. 


તેમની દેખરેખ હેઠળ યોજાશે જૂનિયર ક્લાર્કનું પેપર 

તેમજ તેમની પાસે અનુભવ પણ છે. તેમણે લોકરક્ષક ભરતીનું પારદર્શક રીતે આયોજન કર્યું હતું. તે ઉપરાંત ઉમેદવારોને થતી નાની મોટી સમસ્યાઓને શેર કરતા રહે છે. વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં રહે છે તે ઉપરાંત પરીક્ષાનું આયોજન કરવામાં તેમની માસ્ટરી છે. હાલ તેઓ પોલીસ આવાસ નિગમના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.  આગામી દિવસોમાં યોજાનારી જૂનિયર ક્લાર્કની પરીક્ષા તેમની દેખરેખ હેઠળ યોજાવાની છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.