IPS હસમુખ પટેલનું ફરી બન્યું ફેક ફેસબુક એકાઉન્ટ, ઑફિશિયલ ટ્વિટર પેજ પર કરી જાણ


  • Published By :
  • Published Date : 2023-11-21 13:35:20

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર, ફેશબુક કે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થવું સામાન્ય બની ગયું છે. જો  કે ઘણા બેજાબાજો તો ઉચ્ચ અધિકારીઓ અને મોટા નેતાઓના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી દેતા હોય છે. સામાન્ય યુઝર્સ સાથે છેતરપિંડી આચરવા માટે આ પ્રકારના એકાઉન્ટ બનાવવામા આવે છે. રાજ્યના ઉચ્ચ IPS અધિકારી હસમુખ પટેલનું ફરી એક વખત ફેક ફેસબુક એકાઉન્ટ બનતા ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ખુદ હસમુખ પટેલે પોતાના નામે ખોટું ફેસબુક આઈડી બન્યું હોવાની માહિતી પોતાના ઑફિશિયલ ટ્વિટર પેજ પર પણ શેર કરી છે.


IPS હસમુખ પટેલે કરી જાણ


IPS હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બનતા તેમણે આ અંગે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું, મારા ફોટા વાળું બનાવટી facebook એકાઉન્ટ બનાવી મેસેજ મોકલવાનું ધ્યાન પર આવેલ છે જે અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ મળે તો તેને જવાબ આપશો નહીં.  


નોંધાઈ ફરિયાદ


એડિજીપી અને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલનું ફેક અકાઉન્ટ બન્યું છે. ફેસબુકમાં ફેક અકાઉન્ટ મામલે એડીજીપી હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે. આ સાથે જ તેમના ફેક ફેસબૂક અકાઉન્ટ મામલે  ફરિયાદ પણ નોંધાઈ છે.  પોલીસે ફેક ફેસબૂક અકાઉન્ટ મામલે તપાસ શરૂ કરી છે.


શા માટે ફેક એકાઉન્ટ?


લેભાગુ તત્વો દ્વારા પૈસા પડાવવાના બદઈરાદાથી આ પ્રકારના ફેક એકાઉન્ટ બનાવવામા આવતા હોય છે. રાજ્યના અનેક IPS અધિકારીઓ, IAS અધિકારીઓ અને રાજનેતાઓના પણ નકલી એકાઉન્ટ બની ચુક્યા છે અને આવા ફેક એકાઉનેટથી ઘણા લોકો પણ છેતરાઇ ચુક્યા છે. વિવિધ નકલી એકાઉન્ટમાંથી મેસેજ આવે છે અને સામાન્ય વાતચીત બાદ પૈસાની માંગણી કરવામાં આવે છે. લોકો પણ ઉચ્ચ અધિકારી કે નેતા હોવાથી વિશ્વાસ રાખીને પૈસા આપતા હોય છે. પાછળથી છેતરાયા હોવાની લાગણી થાય છે. અનેક નેતાઓ અને અધિકારીઓ છેંતરપીડી આચરતી ગેંગનો ભોગ બની ચુક્યા છે પરંતુ હજી સુધી કોઇ પણ કાર્યવાહી થઇ નથી. પોલીસ આવા તત્વોને ઝડપવામાં ક્યાં ઉણી ઉતરે છે તે મોટો તપાસનો વિષય છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."