રાજ્યના 70 IPS અધિકારીઓની સાગમટે બદલી, જી. એસ. મલિક બન્યા અમદાવાદના નવા કમિશનર


  • Published By :
  • Published Date : 2023-07-27 22:16:03

રાજ્યમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે IPS અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાઈ ગયો છે. રાજ્યના 70 IPS અધિકારીઓની સાગમટે બદલી કરાઈ છે. IPS અધિકારીઓની બદલી મુદ્દે ગૃહ વિભાગમાં થઈ ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અને એક વરિષ્ઠ અધિકારી સીએમ ઓફીસ પહોંચ્યા હતા. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા બાદ પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ કમિશનરનો ચાર્જ છે. ત્યારે હવે અમદાવાદ શહેરને નવા કમિશનર મળ્યા છે. જ્ઞાનેન્દ્ર સિંહ મલિકને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. પ્રેમ વીર સિંહને અમદાવાદ રેન્જ આઈજી બનાવામાં આવ્યા છે. જ્યારે અભય ચુડાસામાને કરાઈ પોલીસ એકેડમીની જવાબદારી સોંપવામાં આવી છે.


આ અધિકારીઓની કરાઈ બદલી


-જી.એસ મલિક અમદાવાદના નવા પોલીસ કમિશનર

- શમસેરસિંહ લો એન્ડ ઓર્ડરના DGP

- અનુપમસિંહ ગહેલોત વડોદરાના નવા CP

- પ્રેમવીરસિંહ અમદાવાદના નવા રેન્જ IG

- આર.બી બ્રહ્મભટ્ટ CIDના નવા ADG

- બ્રજેશકુમાર ઝા અમદાવાદ સેક્ટર-2ના નવા JCP

- બલરામ મીણા પશ્ચિમ રેલવેના નવા SP

- રાજદીપસિંહ ઝાલા દાહોદના પોલીસ કમિશનર

- વી.ચંદ્રશેખર સુરતના નવા રેન્જ IG

- એમ.એ ચાવડા GSRTCના નવા એક્સિ.ડિરેક્ટર

- અભય ચુડાસામાને કરાઈ પોલીસ એકેડમીની જવાબદારી

-રાજકુમાર પાંડિયન રેલવે અને સીઆઈડી ક્રાઈમના એડિશન ડિજી

-નિરઝા ગોટરુરાવને ADGP ટ્રેનિંગ

-કરણરાજ વાઘેલાને વલસાડના એસપી 

-ડો.રવિન્દ્ર પટેલને પાટણના એસપી 

-એમ.એ.ચાવડાને એસટીના એક્ઝ્યક્યુટીવ ડાયરેક્ટર વિજિલંસ  

-કરણરાજ વાઘેલાને વલસાડના એસપી  

 -વસમશેટ્ટી રવિ તેજાને ગાંધીનગરના એસપી  

-હર્ષદ પટેલને ભાવનગર એસપી 

-રાજદીપસિંહ ઝાલા દાહોદ એસપી

-ડો.રવિન્દ્ર પટેલને પાટણના એસપી 

-સાગર વાઘમારેને કચ્છ પૂર્વના એસપી 

-સુશીલ અગ્રવાલની નવસારીના ડીએસપી 

-નિરજ બડગુર્જરની અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એડિશનલ સીપી 

 -જયદેવસિંહ જાડેજાની મહીસાગર એસપી 

-વિજય પટેલની સાબરકાંઠા એસપી 

-ભગીરથસિંહ જાડેજાની પોરબંદર એસપી 

-ડોક્ટર હર્ષદ પટેલની ભાવનગર એસપી 

-હરેશ દુધાતની ગાંધીનગર આઈબીમાં 

-રાજેંદ્ર પરમારની સુરત શહેર ઝોન-6માં ડીસીપી 

-એન.એ.મુનિયાની સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં 

-ઈમ્તિયાઝ શેખની છોટાઉદેપુરના એસપી 

-બન્નો જોશીની અમદાવાદ શહેર હેડ ક્વાર્ટરમાં બદલી 

-તેજલ પટેલની વડોદરા હેડ ક્વાર્ટરમાં બદલી 

-ચિરાગ કોરડિયાની અમદાવાદ સેક્ટર-1માં બદલી 

-વી.ચંદ્રશેખરની અમદાવાદ રેન્જ આઈજી  

-નિલેશ જાંઝળીયાને જુનાગઢ રેન્જ આઈજી  



                                                                                                                                                                 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.