રાજ્યના 70 IPS અધિકારીઓની સાગમટે બદલી, જી. એસ. મલિક બન્યા અમદાવાદના નવા કમિશનર


  • Published By :
  • Published Date : 2023-07-27 22:16:03

રાજ્યમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે IPS અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાઈ ગયો છે. રાજ્યના 70 IPS અધિકારીઓની સાગમટે બદલી કરાઈ છે. IPS અધિકારીઓની બદલી મુદ્દે ગૃહ વિભાગમાં થઈ ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અને એક વરિષ્ઠ અધિકારી સીએમ ઓફીસ પહોંચ્યા હતા. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા બાદ પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ કમિશનરનો ચાર્જ છે. ત્યારે હવે અમદાવાદ શહેરને નવા કમિશનર મળ્યા છે. જ્ઞાનેન્દ્ર સિંહ મલિકને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. પ્રેમ વીર સિંહને અમદાવાદ રેન્જ આઈજી બનાવામાં આવ્યા છે. જ્યારે અભય ચુડાસામાને કરાઈ પોલીસ એકેડમીની જવાબદારી સોંપવામાં આવી છે.


આ અધિકારીઓની કરાઈ બદલી


-જી.એસ મલિક અમદાવાદના નવા પોલીસ કમિશનર

- શમસેરસિંહ લો એન્ડ ઓર્ડરના DGP

- અનુપમસિંહ ગહેલોત વડોદરાના નવા CP

- પ્રેમવીરસિંહ અમદાવાદના નવા રેન્જ IG

- આર.બી બ્રહ્મભટ્ટ CIDના નવા ADG

- બ્રજેશકુમાર ઝા અમદાવાદ સેક્ટર-2ના નવા JCP

- બલરામ મીણા પશ્ચિમ રેલવેના નવા SP

- રાજદીપસિંહ ઝાલા દાહોદના પોલીસ કમિશનર

- વી.ચંદ્રશેખર સુરતના નવા રેન્જ IG

- એમ.એ ચાવડા GSRTCના નવા એક્સિ.ડિરેક્ટર

- અભય ચુડાસામાને કરાઈ પોલીસ એકેડમીની જવાબદારી

-રાજકુમાર પાંડિયન રેલવે અને સીઆઈડી ક્રાઈમના એડિશન ડિજી

-નિરઝા ગોટરુરાવને ADGP ટ્રેનિંગ

-કરણરાજ વાઘેલાને વલસાડના એસપી 

-ડો.રવિન્દ્ર પટેલને પાટણના એસપી 

-એમ.એ.ચાવડાને એસટીના એક્ઝ્યક્યુટીવ ડાયરેક્ટર વિજિલંસ  

-કરણરાજ વાઘેલાને વલસાડના એસપી  

 -વસમશેટ્ટી રવિ તેજાને ગાંધીનગરના એસપી  

-હર્ષદ પટેલને ભાવનગર એસપી 

-રાજદીપસિંહ ઝાલા દાહોદ એસપી

-ડો.રવિન્દ્ર પટેલને પાટણના એસપી 

-સાગર વાઘમારેને કચ્છ પૂર્વના એસપી 

-સુશીલ અગ્રવાલની નવસારીના ડીએસપી 

-નિરજ બડગુર્જરની અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એડિશનલ સીપી 

 -જયદેવસિંહ જાડેજાની મહીસાગર એસપી 

-વિજય પટેલની સાબરકાંઠા એસપી 

-ભગીરથસિંહ જાડેજાની પોરબંદર એસપી 

-ડોક્ટર હર્ષદ પટેલની ભાવનગર એસપી 

-હરેશ દુધાતની ગાંધીનગર આઈબીમાં 

-રાજેંદ્ર પરમારની સુરત શહેર ઝોન-6માં ડીસીપી 

-એન.એ.મુનિયાની સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં 

-ઈમ્તિયાઝ શેખની છોટાઉદેપુરના એસપી 

-બન્નો જોશીની અમદાવાદ શહેર હેડ ક્વાર્ટરમાં બદલી 

-તેજલ પટેલની વડોદરા હેડ ક્વાર્ટરમાં બદલી 

-ચિરાગ કોરડિયાની અમદાવાદ સેક્ટર-1માં બદલી 

-વી.ચંદ્રશેખરની અમદાવાદ રેન્જ આઈજી  

-નિલેશ જાંઝળીયાને જુનાગઢ રેન્જ આઈજી  



                                                                                                                                                                 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.