શક્તિપીઠ અંબાજીના IPS Safin Hasanએ કર્યા દર્શન, અંબાજી ધામ માટે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-16 18:11:10

સફીન હસન એક એવા આઈપીએસ ઓફિસર જે અનેક યુવાનાના ઈન્સપીરેશન છે. સોશિયલ મીડિયા પર તેમના અનેક વીડિયો વાયરલ થયા છે જેમાં તે યુવાનોને પ્રોત્સાહિત કરતા હોય છે. ગીતાની વાતો કરતા હોય તેવા વીડિયો છે. આઈપીએસ હસનની સાદગી અનેક વખત દેખાતી હોય છે. ત્યારે ફરી એક વખત સફીન હસનની સાદગી જોવા મળી છે. શક્તિપીઠ અંબાજીમાં તેમણે પરિવાર સાથે સામાન્ય માણસની જેમ દર્શન કર્યા હતા.

     


પરિવાર સાથે અંબાજી માતાના કર્યા દર્શન  

શક્તિપીઠ અંબાજીના  જે શક્તિ, ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે. મા સમક્ષ શીશ ઝુકાવવા માટે ઘણા બધા નેતાઓ અભિનેતાઓ અને vip આવતા હોય છે અને એટલે એની ચર્ચા પણ થતી હોય છે પણ આજે અંબાજીની ચર્ચા એટલે થઈ રહી છે કારણ કે સૌથી નાની ઉંમરના આઈપીએસ સફિન હસન આજે અંબા માના દર્શન કરવા શક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતા.



ભાવનગર ખાતે થયું હતું તેમનું પ્રથમ પોસ્ટિંગ 

અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન સામાન્ય ભક્તની જેમ કર્યા. એ ખૂબ મોટી વાત છે કારણ કે અમુક વાર તમે કોઈ હોદ્દા પર હોવ તો તમે વીવીઆઈપી કે વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોય છે પણ સફિન હસને સામાન્ય માણસની જેમ ત્યાં દર્શન કર્યા. મંદિરના પૂજારીએ તેમને તિલક કર્યું તેમને માથું નીચે કરી અને તિલક પણ કર્યું પ્રસાદ ગ્રહણ કર્યો અને જ્યારે દર્શન પૂરા થયા ત્યારે એમને જે વાત કહી એ ખૂબ સુંદર હતી. તેમણે કહ્યું કે હું ત્રણ વર્ષ પહેલા જ્યારે મારું ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું ત્યારે અંબા માના દર્શન કરીને ગયો હતો અને પછી ત્રણ વર્ષ બાદ આજે માતાજીના દર્શન કરવા આવ્યો છું. આ દર્શન મને નવી ઉર્જા આપશે દેશનો વિકાસ થાય તેવી પ્રાર્થના અમે માતાજીને કરી છે. 

સોશિયલ મીડિયા પર તેમના અનેક વીડિયો થયા છે વાયરલ

સફીન હસને નામ તો પોતાના મોટીવેશનલ વીડિયોઝ અને સૌથી નાના આઇપીએસ હોવાને કારણે ચર્ચામાં રહેતા હોય છે. તે મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની છે અને દેશના સૌથી નાની ઉંમરના આઇપીએસ અધિકારી છે. એટલે લોકોને ઘણી બધી વાર ઘણા બધા સુંદર સંદેશ આપતા હોય છે સફીન હસન એ સાબિત કરે છે કે જો તમારા મનમાં ભગવાન, માતાજી પ્રતી આસ્થા હોય તો પછી કોઈપણ રેખાઓ તમને નડતી નથી. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.