શક્તિપીઠ અંબાજીના IPS Safin Hasanએ કર્યા દર્શન, અંબાજી ધામ માટે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-16 18:11:10

સફીન હસન એક એવા આઈપીએસ ઓફિસર જે અનેક યુવાનાના ઈન્સપીરેશન છે. સોશિયલ મીડિયા પર તેમના અનેક વીડિયો વાયરલ થયા છે જેમાં તે યુવાનોને પ્રોત્સાહિત કરતા હોય છે. ગીતાની વાતો કરતા હોય તેવા વીડિયો છે. આઈપીએસ હસનની સાદગી અનેક વખત દેખાતી હોય છે. ત્યારે ફરી એક વખત સફીન હસનની સાદગી જોવા મળી છે. શક્તિપીઠ અંબાજીમાં તેમણે પરિવાર સાથે સામાન્ય માણસની જેમ દર્શન કર્યા હતા.

     


પરિવાર સાથે અંબાજી માતાના કર્યા દર્શન  

શક્તિપીઠ અંબાજીના  જે શક્તિ, ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે. મા સમક્ષ શીશ ઝુકાવવા માટે ઘણા બધા નેતાઓ અભિનેતાઓ અને vip આવતા હોય છે અને એટલે એની ચર્ચા પણ થતી હોય છે પણ આજે અંબાજીની ચર્ચા એટલે થઈ રહી છે કારણ કે સૌથી નાની ઉંમરના આઈપીએસ સફિન હસન આજે અંબા માના દર્શન કરવા શક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતા.



ભાવનગર ખાતે થયું હતું તેમનું પ્રથમ પોસ્ટિંગ 

અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન સામાન્ય ભક્તની જેમ કર્યા. એ ખૂબ મોટી વાત છે કારણ કે અમુક વાર તમે કોઈ હોદ્દા પર હોવ તો તમે વીવીઆઈપી કે વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોય છે પણ સફિન હસને સામાન્ય માણસની જેમ ત્યાં દર્શન કર્યા. મંદિરના પૂજારીએ તેમને તિલક કર્યું તેમને માથું નીચે કરી અને તિલક પણ કર્યું પ્રસાદ ગ્રહણ કર્યો અને જ્યારે દર્શન પૂરા થયા ત્યારે એમને જે વાત કહી એ ખૂબ સુંદર હતી. તેમણે કહ્યું કે હું ત્રણ વર્ષ પહેલા જ્યારે મારું ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું ત્યારે અંબા માના દર્શન કરીને ગયો હતો અને પછી ત્રણ વર્ષ બાદ આજે માતાજીના દર્શન કરવા આવ્યો છું. આ દર્શન મને નવી ઉર્જા આપશે દેશનો વિકાસ થાય તેવી પ્રાર્થના અમે માતાજીને કરી છે. 

સોશિયલ મીડિયા પર તેમના અનેક વીડિયો થયા છે વાયરલ

સફીન હસને નામ તો પોતાના મોટીવેશનલ વીડિયોઝ અને સૌથી નાના આઇપીએસ હોવાને કારણે ચર્ચામાં રહેતા હોય છે. તે મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની છે અને દેશના સૌથી નાની ઉંમરના આઇપીએસ અધિકારી છે. એટલે લોકોને ઘણી બધી વાર ઘણા બધા સુંદર સંદેશ આપતા હોય છે સફીન હસન એ સાબિત કરે છે કે જો તમારા મનમાં ભગવાન, માતાજી પ્રતી આસ્થા હોય તો પછી કોઈપણ રેખાઓ તમને નડતી નથી. 




પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.