IPS સફીન હસને અમદાવાદ ટ્રાફિક પોલીસનો ભાવુક વિડિઓ શેર કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-25 15:08:48

દિવાળી સહિતના પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે, આ સમયે લોકો ખરીદી કરીને વહેલા ઘર  પહોચવા માટે ઉતાવળ કરતા હોય છે, આ તહેવારે અમદાવાદ  સહિતના શહેરમાં ભારે ભીડ જોવા મળે છે એવામાં આજે અમદાવાદ ટ્રાફિક ડીસીપી સફીન હસને શેર કરેલા વીડિયો પરથી દેખાય છે. અહીં તેમણે દિવાળીના તહેવારમાં અમદાવાદ પોલીસને દિવાળીની તો શુભેચ્છાઓ આપી જ છે સાથે સાથે એવું પણ આશ્વાસન આપ્યું છે કે અમે અહીં તમને તમારા ઘર સુધી સમયસર અને સુરક્ષીત પહોંચાડવા માટે કટીબદ્ધ છીએ.

તહેવારો સાથે કોઈ વ્યવહાર જ ન હોય તેવી કામગીરી પોલીસની 

દિવાળી અને બીજા તહેવારોમાં આપણે બધાને રજાઓ હોય છે પણ પોલીસ પોતાની કામગીરી કરતી નજરે પડતી હોય છે. એવો જ એક વિડિઓ અમદાવાદ ટ્રાફિક ડીસીપી સાફિન હસન દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે અમદાવાદના ગીતા મંદિર ચાર રસ્તા પર કેટલાક જવાનો ટ્રાફિકનું નિયમ કરે છે તો કેટલાક જવાનોએ ભીડભાડમાં અટવાઈ પડેલા દિવ્યાંગ વ્યક્તિઓને ઓટોમાં બેસાડી તેમને જ્યાં જવું હતું ત્યાંની વ્યવસ્થા કરી આપી હતી. આ ઉપરાંત એક વીઝ્યુઅલ્સમાં જોઈ શકાય છે કે તેઓ એક બંધ ઓટોને ધક્કા પણ મારી રહ્યા છે. તહેવારમાં ક્યાંય અટવાઈ પડેલા વ્યક્તિ માટે આ કેટલો હાંશકારો આપનારું છે તે તમે જાણો છો. આ વીડિયોમાં એવું પણ લખાય છે કે અમે આ રીતે ઉજવી અમારી દિવાળી. ટ્રાફિકનું નિયમન કરતાં ઉજવી અમે દિવાળી, દિવ્યાંગોને મદદ કરતા ઉજવી અમે દિવાળી, સેવા કરતા અમે મનાવી દિવાળી, આપ ઘરે સલામત પહોંચી જાઓ એ જ અમારી દિવાળી… સફીન હસને આ વીડિયોમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી કાર્યાલય, પીઆઈબી અમદાવાદ, અમદાવાદ પોલીસ અને ડીજીપી ઓફીસ અમદાવાદને પણ ટેગ કર્યા છે.

Image

IPS સફીન હસન જેઓ સોશિયલ મીડિયામાં જાણીતો ચહેરો 

સફીન હસન ઘણી વાર સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે નાની ઉંમરના IPS હોવાના કારણે તેઓની મોટિવેશનલ વિડિઓ પણ ઘણી વાર સોશિયલ મીડિયામાં જોવા મળે છે સફીન હસન અત્યારે અમદાવાદના ટ્રાફિક DCP છે અઠવાડિયા પહેલા પણ તેમનો અમદાવાદનો એક વિડિઓ ખુબ જ વાયરલ થયો હતો જેમાં એક નાનું બાળક તેમને સેલ્યુટ કરે છે અને હાથ મિલાવે છે 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.