IPS Safin Hasanએ પોતાની શાળા અને ગામ Kanodarમાં જઈને ગીતા પ્રવચનનું સિક્રેટ ખોલ્યું! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-27 11:36:31

IPS સફીન હસનના વીડિયો અનેક વખત તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. અનેક લોકો હશે જે તેમના ફેન હશે અને તેમને ફોલો કરતા હશે. શ્રીમદ્ ભગવદ્ ગીતા પર તેમજ મહાભારત વિશે તેમણે કહેલી વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. અનેક વખત સવાલ થાય કે મહાભારત તેમજ ગીતાજી વિશે આઈપીએસ સફીન હસન કેવી રીતે આટલી સારી અને સરળ ભાષામાં કહી શકે છે? ત્યારે આ સવાલનો જવાબ આઈપીએસ સફીન હસને આપ્યો છે.

શિક્ષકોના મહત્વ વિશે સમજાવ્યું આઈપીએસ સફીન હસને!

બાળકના ઘડતરમાં શાળાનું મહત્વ વિશેષ રહેલું હોય છે. બાળકમાં સારા સંસ્કારોનું સિંચન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. શાળામાંથી જે બાળકો શીખે છે તે આજીવન બાળકના માનસ પટ પર અંકિત થઈ જતું હોય છે. શિક્ષકોનું મહત્વ તેમજ શાળાનું મહત્વ શું છે તે અંગે આઈપીએસ સફીન હસને જણાવ્યું છે. તે ઉપરાંત માતા અને માતૃભૂમિ માટે પણ તેમણે જણાવ્યું હતું. કયા પ્રકારે સર્વ ધર્મના ભણાવાતા પાઠને કારણે તે ગીતાજી પર બોલી શકે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.