IPS Safin Hasanએ પોતાની શાળા અને ગામ Kanodarમાં જઈને ગીતા પ્રવચનનું સિક્રેટ ખોલ્યું! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-27 11:36:31

IPS સફીન હસનના વીડિયો અનેક વખત તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. અનેક લોકો હશે જે તેમના ફેન હશે અને તેમને ફોલો કરતા હશે. શ્રીમદ્ ભગવદ્ ગીતા પર તેમજ મહાભારત વિશે તેમણે કહેલી વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. અનેક વખત સવાલ થાય કે મહાભારત તેમજ ગીતાજી વિશે આઈપીએસ સફીન હસન કેવી રીતે આટલી સારી અને સરળ ભાષામાં કહી શકે છે? ત્યારે આ સવાલનો જવાબ આઈપીએસ સફીન હસને આપ્યો છે.

શિક્ષકોના મહત્વ વિશે સમજાવ્યું આઈપીએસ સફીન હસને!

બાળકના ઘડતરમાં શાળાનું મહત્વ વિશેષ રહેલું હોય છે. બાળકમાં સારા સંસ્કારોનું સિંચન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. શાળામાંથી જે બાળકો શીખે છે તે આજીવન બાળકના માનસ પટ પર અંકિત થઈ જતું હોય છે. શિક્ષકોનું મહત્વ તેમજ શાળાનું મહત્વ શું છે તે અંગે આઈપીએસ સફીન હસને જણાવ્યું છે. તે ઉપરાંત માતા અને માતૃભૂમિ માટે પણ તેમણે જણાવ્યું હતું. કયા પ્રકારે સર્વ ધર્મના ભણાવાતા પાઠને કારણે તે ગીતાજી પર બોલી શકે છે. 



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.