IPS Safin Hasanએ પોતાની શાળા અને ગામ Kanodarમાં જઈને ગીતા પ્રવચનનું સિક્રેટ ખોલ્યું! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-27 11:36:31

IPS સફીન હસનના વીડિયો અનેક વખત તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. અનેક લોકો હશે જે તેમના ફેન હશે અને તેમને ફોલો કરતા હશે. શ્રીમદ્ ભગવદ્ ગીતા પર તેમજ મહાભારત વિશે તેમણે કહેલી વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. અનેક વખત સવાલ થાય કે મહાભારત તેમજ ગીતાજી વિશે આઈપીએસ સફીન હસન કેવી રીતે આટલી સારી અને સરળ ભાષામાં કહી શકે છે? ત્યારે આ સવાલનો જવાબ આઈપીએસ સફીન હસને આપ્યો છે.

શિક્ષકોના મહત્વ વિશે સમજાવ્યું આઈપીએસ સફીન હસને!

બાળકના ઘડતરમાં શાળાનું મહત્વ વિશેષ રહેલું હોય છે. બાળકમાં સારા સંસ્કારોનું સિંચન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. શાળામાંથી જે બાળકો શીખે છે તે આજીવન બાળકના માનસ પટ પર અંકિત થઈ જતું હોય છે. શિક્ષકોનું મહત્વ તેમજ શાળાનું મહત્વ શું છે તે અંગે આઈપીએસ સફીન હસને જણાવ્યું છે. તે ઉપરાંત માતા અને માતૃભૂમિ માટે પણ તેમણે જણાવ્યું હતું. કયા પ્રકારે સર્વ ધર્મના ભણાવાતા પાઠને કારણે તે ગીતાજી પર બોલી શકે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.