IPS Safin Hasanએ પોતાની શાળા અને ગામ Kanodarમાં જઈને ગીતા પ્રવચનનું સિક્રેટ ખોલ્યું! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-27 11:36:31

IPS સફીન હસનના વીડિયો અનેક વખત તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. અનેક લોકો હશે જે તેમના ફેન હશે અને તેમને ફોલો કરતા હશે. શ્રીમદ્ ભગવદ્ ગીતા પર તેમજ મહાભારત વિશે તેમણે કહેલી વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. અનેક વખત સવાલ થાય કે મહાભારત તેમજ ગીતાજી વિશે આઈપીએસ સફીન હસન કેવી રીતે આટલી સારી અને સરળ ભાષામાં કહી શકે છે? ત્યારે આ સવાલનો જવાબ આઈપીએસ સફીન હસને આપ્યો છે.

શિક્ષકોના મહત્વ વિશે સમજાવ્યું આઈપીએસ સફીન હસને!

બાળકના ઘડતરમાં શાળાનું મહત્વ વિશેષ રહેલું હોય છે. બાળકમાં સારા સંસ્કારોનું સિંચન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. શાળામાંથી જે બાળકો શીખે છે તે આજીવન બાળકના માનસ પટ પર અંકિત થઈ જતું હોય છે. શિક્ષકોનું મહત્વ તેમજ શાળાનું મહત્વ શું છે તે અંગે આઈપીએસ સફીન હસને જણાવ્યું છે. તે ઉપરાંત માતા અને માતૃભૂમિ માટે પણ તેમણે જણાવ્યું હતું. કયા પ્રકારે સર્વ ધર્મના ભણાવાતા પાઠને કારણે તે ગીતાજી પર બોલી શકે છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે