Ahmedabadમાં IPSના પત્નીએ કરી આત્મહત્યા, આપઘાત કરવાનું કારણ અકબંધ!


  • Published By :
  • Published Date : 2023-12-01 14:21:26

આત્મહત્યા કરી પોતાનું જીવન અનેક લોકો ટૂંકાવી રહ્યા છે. આત્મહત્યાના કિસ્સાઓ આપણી સમક્ષ અનેક છે. ત્યારે રાજ્યના પૂર્વ આઈપીએસની પત્નીએ આપઘાત કરી લીધો છે. આઈપીએસ રાજન સુસરાના પત્નીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આ ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસમાં આઈપીએસની પૂછપરછ કરવામાં આવી રહી છે. શાલુબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


પોતાના ઘરે આઈપીએસના પત્નીએ કરી આત્મહત્યા 

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના બની છે. થલતેજ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનમાં આઇપીએસ અધિકારી રાજન સુસરાના પત્ની શાલુબેને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પત્નીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. મૃતક મહિલાના પતિ વલસાડ મરીન સિક્યુરિટીમાં એસપી તરીકે ફરજ બજાવે છે. આ અંગે પોલીસ પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.           



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.