Ahmedabadમાં IPSના પત્નીએ કરી આત્મહત્યા, આપઘાત કરવાનું કારણ અકબંધ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-01 14:21:26

આત્મહત્યા કરી પોતાનું જીવન અનેક લોકો ટૂંકાવી રહ્યા છે. આત્મહત્યાના કિસ્સાઓ આપણી સમક્ષ અનેક છે. ત્યારે રાજ્યના પૂર્વ આઈપીએસની પત્નીએ આપઘાત કરી લીધો છે. આઈપીએસ રાજન સુસરાના પત્નીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આ ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસમાં આઈપીએસની પૂછપરછ કરવામાં આવી રહી છે. શાલુબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


પોતાના ઘરે આઈપીએસના પત્નીએ કરી આત્મહત્યા 

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના બની છે. થલતેજ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનમાં આઇપીએસ અધિકારી રાજન સુસરાના પત્ની શાલુબેને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પત્નીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. મૃતક મહિલાના પતિ વલસાડ મરીન સિક્યુરિટીમાં એસપી તરીકે ફરજ બજાવે છે. આ અંગે પોલીસ પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.           



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.