Ahmedabadમાં IPSના પત્નીએ કરી આત્મહત્યા, આપઘાત કરવાનું કારણ અકબંધ!


  • Published By :
  • Published Date : 2023-12-01 14:21:26

આત્મહત્યા કરી પોતાનું જીવન અનેક લોકો ટૂંકાવી રહ્યા છે. આત્મહત્યાના કિસ્સાઓ આપણી સમક્ષ અનેક છે. ત્યારે રાજ્યના પૂર્વ આઈપીએસની પત્નીએ આપઘાત કરી લીધો છે. આઈપીએસ રાજન સુસરાના પત્નીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આ ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસમાં આઈપીએસની પૂછપરછ કરવામાં આવી રહી છે. શાલુબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


પોતાના ઘરે આઈપીએસના પત્નીએ કરી આત્મહત્યા 

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના બની છે. થલતેજ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનમાં આઇપીએસ અધિકારી રાજન સુસરાના પત્ની શાલુબેને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પત્નીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. મૃતક મહિલાના પતિ વલસાડ મરીન સિક્યુરિટીમાં એસપી તરીકે ફરજ બજાવે છે. આ અંગે પોલીસ પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.           



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.