Ahmedabadમાં IPSના પત્નીએ કરી આત્મહત્યા, આપઘાત કરવાનું કારણ અકબંધ!


  • Published By :
  • Published Date : 2023-12-01 14:21:26

આત્મહત્યા કરી પોતાનું જીવન અનેક લોકો ટૂંકાવી રહ્યા છે. આત્મહત્યાના કિસ્સાઓ આપણી સમક્ષ અનેક છે. ત્યારે રાજ્યના પૂર્વ આઈપીએસની પત્નીએ આપઘાત કરી લીધો છે. આઈપીએસ રાજન સુસરાના પત્નીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આ ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસમાં આઈપીએસની પૂછપરછ કરવામાં આવી રહી છે. શાલુબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


પોતાના ઘરે આઈપીએસના પત્નીએ કરી આત્મહત્યા 

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના બની છે. થલતેજ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનમાં આઇપીએસ અધિકારી રાજન સુસરાના પત્ની શાલુબેને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પત્નીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. મૃતક મહિલાના પતિ વલસાડ મરીન સિક્યુરિટીમાં એસપી તરીકે ફરજ બજાવે છે. આ અંગે પોલીસ પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.           



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી