અયોધ્યા બાબરી મસ્જિદ કેસના પૂર્વ પક્ષકાર ઈકબાલ અન્સારીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા કહી આ મોટી વાત


  • Published By :
  • Published Date : 2024-01-21 19:06:49

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સોમવારે યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી થાય તે માટે અયોધ્યાને નવવધૂની જેમ સજાવવામાં આવી રહી છે. દેશ અને વિદેશની જાણીતી હસ્તીઓ અયોધ્યા પહોંચી રહી છે. આ દરમિયાન બાબર મસ્જીદના પૂર્વ પક્ષકાર રહેલા ઈકબાલ અન્સારીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે અયોધ્યામાં તમામનું સ્વાગત કરતા કહ્યું કે અયોધ્યા ધર્મની નગરી છે અને અહીં તમામ લોકોનું સ્વાગત છે. તેમણે કહ્યું કે બધા જ લોકો ભગવાનના દર્શન કરે અને પ્રભુ શ્રી રામે બતાવેલા માર્ગ પર ચાલે....

 

'આપણી વચ્ચે સદ્ભાવના હોવી જોઈએ'


મીડિયા સાથે વાત કરતા ઈકબાલ અંસારીએ કહ્યું, “અયોધ્યા ધર્મની નગરી છે. આવતીકાલે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. જે લોકો અયોધ્યા આવ્યા છે તેઓનું સ્વાગત છે. અમે ઈચ્છીએ છીએ કે લોકો ભગવાન રામની પૂજા કરે અને તેમના બતાવેલા માર્ગ પર ચાલે. દરેક ધર્મ માનવતાનું પ્રતિક છે. દરેક ધર્મ શીખવે છે કે એકબીજામાં દુશ્મનાવટ ન હોવી જોઈએ. આપણી વચ્ચે સદ્ભાવના હોવી જોઈએ.”



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.