અયોધ્યા બાબરી મસ્જિદ કેસના પૂર્વ પક્ષકાર ઈકબાલ અન્સારીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા કહી આ મોટી વાત


  • Published By :
  • Published Date : 2024-01-21 19:06:49

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સોમવારે યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી થાય તે માટે અયોધ્યાને નવવધૂની જેમ સજાવવામાં આવી રહી છે. દેશ અને વિદેશની જાણીતી હસ્તીઓ અયોધ્યા પહોંચી રહી છે. આ દરમિયાન બાબર મસ્જીદના પૂર્વ પક્ષકાર રહેલા ઈકબાલ અન્સારીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે અયોધ્યામાં તમામનું સ્વાગત કરતા કહ્યું કે અયોધ્યા ધર્મની નગરી છે અને અહીં તમામ લોકોનું સ્વાગત છે. તેમણે કહ્યું કે બધા જ લોકો ભગવાનના દર્શન કરે અને પ્રભુ શ્રી રામે બતાવેલા માર્ગ પર ચાલે....

 

'આપણી વચ્ચે સદ્ભાવના હોવી જોઈએ'


મીડિયા સાથે વાત કરતા ઈકબાલ અંસારીએ કહ્યું, “અયોધ્યા ધર્મની નગરી છે. આવતીકાલે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. જે લોકો અયોધ્યા આવ્યા છે તેઓનું સ્વાગત છે. અમે ઈચ્છીએ છીએ કે લોકો ભગવાન રામની પૂજા કરે અને તેમના બતાવેલા માર્ગ પર ચાલે. દરેક ધર્મ માનવતાનું પ્રતિક છે. દરેક ધર્મ શીખવે છે કે એકબીજામાં દુશ્મનાવટ ન હોવી જોઈએ. આપણી વચ્ચે સદ્ભાવના હોવી જોઈએ.”



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે