અમેરિકાના આરોપ પર ભડક્યું ઈરાન.. "અમે ભારત નજીક ઓઈલ ટેન્કર પર નથી કર્યો હુમલો"


  • Published By :
  • Published Date : 2023-12-25 17:58:53

ભારતની નજીક ઓઈલ ટેન્કર પર થયેલા ડ્રોન હુમલાને લઈ ઈરાને અમેરિકાના દાવાને ફગાવી દીધો છે. અમેરિકાએ દાવો કર્યો હતો કે ટેન્કર પર હુમલો કરવાવાળા ડ્રોન ઈરાનથી આવ્યા હતા. હવે ઈરાને અમેરિકાનો ઈન્કાર કર્યો છે કે તેમની જમીનથી લોન્ચ કરવામાં આવેલા ડ્રોનથી અરબ સાગરમાં ભારત નજીક ઓઈલ ટેન્કરને નિશાન બનાવ્યું હતું. લાઈબેરિયાના ઝંડા અને જાપાનીઝ માલિકીવાળા કેમ પ્લૂટો જહાજ પર ભારતના સમુદ્ર કિનારાથી 200 માઈલ દુર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજનું સંચાલન નેધરર્લેન્ડ એક શિપિંગ કંપની કરી રહી હતી. આ હુમલામાં જહાજ પર આગ લગાવવામાં આવી હતી, પરંતું કોઈ જાનહાનિ થઈ નહોંતી. 


ઈરાને કર્યા અમેરિકા પર પ્રહાર


ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ એક બ્રીફિંગમાં કહ્યું, " આ રિપીટ થનારા આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દેવામાં આવે છે". તેમણે કહ્યું કે તેના બદલે અમેરિકાએ ગાઝામાં ઈઝરાયેલના યુધ્ધમાં તેમની ભૂમિકા માટે આરોપોનો સામનો કરવો જોઈએ. ઈરાનના સરકારી મીડિયાએ રવિવારે જણાવ્યું કે નેવીમાં બે નવી મિસાઈલો અને હેલિકોપ્ટરોને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં એક મિસાઈલની રેન્જ એક હજાર કિમીથી પણ વધુ છે, જ્યારે બીજી 100 કિમી સુધી પ્રહાર કરી શકે છે.   


ભારતીય નૌકાદળે હુમલાની તપાસ શરૂ કરી 


અરબી સમુદ્રમાં જહાજ પર થયેલા હુમલાની તપાસ માટે ભારતીય નૌકાદળના INS મોરમુગાઓયુદ્ધ જહાજને મોકલવામાં આવ્યું હતું. જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તે મેંગલોર બંદરે જઈ રહ્યું હતું. ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે આ કોમર્શિયલ જહાજ સોમવારે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. નેવીએ જણાવ્યું હતું કે નેવલ એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ (EOD) નિષ્ણાતો એમવી કેમ પ્લુટો જ્યારે મુંબઈ પહોંચશે ત્યારે જહાજને સાફ કરવા અને વધુ તપાસ હાથ ધરશે. ભારતીય નૌકાદળ તમામ હિતધારકો સાથે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને વિસ્તારમાં કોમર્શિયલ શિપિંગની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.


બ્રિટિશ એજન્સીએ હુમલાની જાણકારી આપી 


યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) ને એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલાની જાણ થતાં જ નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડ શનિવારે યુદ્ધ જહાજ અને મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ સહિત તેમના સંસાધનો તૈનાત કરીને કાર્યવાહીમાં ઉતર્યા હતા. કોમર્શિયલ જહાજમાં 21 ભારતીય ક્રૂ મેમ્બર છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, સાઉદી અરેબિયાના અલ જુબેલ બંદરથી નીઓ મેંગલોર બંદરે ક્રૂડ ઓઈલ લઈ જતું જહાજ પોરબંદરથી લગભગ 217 નોટિકલ માઈલ દૂર હુમલાનો શિકાર થયું હતું.



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .