અમેરિકાના આરોપ પર ભડક્યું ઈરાન.. "અમે ભારત નજીક ઓઈલ ટેન્કર પર નથી કર્યો હુમલો"


  • Published By :
  • Published Date : 2023-12-25 17:58:53

ભારતની નજીક ઓઈલ ટેન્કર પર થયેલા ડ્રોન હુમલાને લઈ ઈરાને અમેરિકાના દાવાને ફગાવી દીધો છે. અમેરિકાએ દાવો કર્યો હતો કે ટેન્કર પર હુમલો કરવાવાળા ડ્રોન ઈરાનથી આવ્યા હતા. હવે ઈરાને અમેરિકાનો ઈન્કાર કર્યો છે કે તેમની જમીનથી લોન્ચ કરવામાં આવેલા ડ્રોનથી અરબ સાગરમાં ભારત નજીક ઓઈલ ટેન્કરને નિશાન બનાવ્યું હતું. લાઈબેરિયાના ઝંડા અને જાપાનીઝ માલિકીવાળા કેમ પ્લૂટો જહાજ પર ભારતના સમુદ્ર કિનારાથી 200 માઈલ દુર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજનું સંચાલન નેધરર્લેન્ડ એક શિપિંગ કંપની કરી રહી હતી. આ હુમલામાં જહાજ પર આગ લગાવવામાં આવી હતી, પરંતું કોઈ જાનહાનિ થઈ નહોંતી. 


ઈરાને કર્યા અમેરિકા પર પ્રહાર


ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ એક બ્રીફિંગમાં કહ્યું, " આ રિપીટ થનારા આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દેવામાં આવે છે". તેમણે કહ્યું કે તેના બદલે અમેરિકાએ ગાઝામાં ઈઝરાયેલના યુધ્ધમાં તેમની ભૂમિકા માટે આરોપોનો સામનો કરવો જોઈએ. ઈરાનના સરકારી મીડિયાએ રવિવારે જણાવ્યું કે નેવીમાં બે નવી મિસાઈલો અને હેલિકોપ્ટરોને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં એક મિસાઈલની રેન્જ એક હજાર કિમીથી પણ વધુ છે, જ્યારે બીજી 100 કિમી સુધી પ્રહાર કરી શકે છે.   


ભારતીય નૌકાદળે હુમલાની તપાસ શરૂ કરી 


અરબી સમુદ્રમાં જહાજ પર થયેલા હુમલાની તપાસ માટે ભારતીય નૌકાદળના INS મોરમુગાઓયુદ્ધ જહાજને મોકલવામાં આવ્યું હતું. જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તે મેંગલોર બંદરે જઈ રહ્યું હતું. ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે આ કોમર્શિયલ જહાજ સોમવારે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. નેવીએ જણાવ્યું હતું કે નેવલ એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ (EOD) નિષ્ણાતો એમવી કેમ પ્લુટો જ્યારે મુંબઈ પહોંચશે ત્યારે જહાજને સાફ કરવા અને વધુ તપાસ હાથ ધરશે. ભારતીય નૌકાદળ તમામ હિતધારકો સાથે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને વિસ્તારમાં કોમર્શિયલ શિપિંગની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.


બ્રિટિશ એજન્સીએ હુમલાની જાણકારી આપી 


યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) ને એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલાની જાણ થતાં જ નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડ શનિવારે યુદ્ધ જહાજ અને મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ સહિત તેમના સંસાધનો તૈનાત કરીને કાર્યવાહીમાં ઉતર્યા હતા. કોમર્શિયલ જહાજમાં 21 ભારતીય ક્રૂ મેમ્બર છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, સાઉદી અરેબિયાના અલ જુબેલ બંદરથી નીઓ મેંગલોર બંદરે ક્રૂડ ઓઈલ લઈ જતું જહાજ પોરબંદરથી લગભગ 217 નોટિકલ માઈલ દૂર હુમલાનો શિકાર થયું હતું.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.