અમેરિકાના આરોપ પર ભડક્યું ઈરાન.. "અમે ભારત નજીક ઓઈલ ટેન્કર પર નથી કર્યો હુમલો"


  • Published By :
  • Published Date : 2023-12-25 17:58:53

ભારતની નજીક ઓઈલ ટેન્કર પર થયેલા ડ્રોન હુમલાને લઈ ઈરાને અમેરિકાના દાવાને ફગાવી દીધો છે. અમેરિકાએ દાવો કર્યો હતો કે ટેન્કર પર હુમલો કરવાવાળા ડ્રોન ઈરાનથી આવ્યા હતા. હવે ઈરાને અમેરિકાનો ઈન્કાર કર્યો છે કે તેમની જમીનથી લોન્ચ કરવામાં આવેલા ડ્રોનથી અરબ સાગરમાં ભારત નજીક ઓઈલ ટેન્કરને નિશાન બનાવ્યું હતું. લાઈબેરિયાના ઝંડા અને જાપાનીઝ માલિકીવાળા કેમ પ્લૂટો જહાજ પર ભારતના સમુદ્ર કિનારાથી 200 માઈલ દુર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજનું સંચાલન નેધરર્લેન્ડ એક શિપિંગ કંપની કરી રહી હતી. આ હુમલામાં જહાજ પર આગ લગાવવામાં આવી હતી, પરંતું કોઈ જાનહાનિ થઈ નહોંતી. 


ઈરાને કર્યા અમેરિકા પર પ્રહાર


ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ એક બ્રીફિંગમાં કહ્યું, " આ રિપીટ થનારા આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દેવામાં આવે છે". તેમણે કહ્યું કે તેના બદલે અમેરિકાએ ગાઝામાં ઈઝરાયેલના યુધ્ધમાં તેમની ભૂમિકા માટે આરોપોનો સામનો કરવો જોઈએ. ઈરાનના સરકારી મીડિયાએ રવિવારે જણાવ્યું કે નેવીમાં બે નવી મિસાઈલો અને હેલિકોપ્ટરોને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં એક મિસાઈલની રેન્જ એક હજાર કિમીથી પણ વધુ છે, જ્યારે બીજી 100 કિમી સુધી પ્રહાર કરી શકે છે.   


ભારતીય નૌકાદળે હુમલાની તપાસ શરૂ કરી 


અરબી સમુદ્રમાં જહાજ પર થયેલા હુમલાની તપાસ માટે ભારતીય નૌકાદળના INS મોરમુગાઓયુદ્ધ જહાજને મોકલવામાં આવ્યું હતું. જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તે મેંગલોર બંદરે જઈ રહ્યું હતું. ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે આ કોમર્શિયલ જહાજ સોમવારે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. નેવીએ જણાવ્યું હતું કે નેવલ એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ (EOD) નિષ્ણાતો એમવી કેમ પ્લુટો જ્યારે મુંબઈ પહોંચશે ત્યારે જહાજને સાફ કરવા અને વધુ તપાસ હાથ ધરશે. ભારતીય નૌકાદળ તમામ હિતધારકો સાથે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને વિસ્તારમાં કોમર્શિયલ શિપિંગની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.


બ્રિટિશ એજન્સીએ હુમલાની જાણકારી આપી 


યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) ને એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલાની જાણ થતાં જ નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડ શનિવારે યુદ્ધ જહાજ અને મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ સહિત તેમના સંસાધનો તૈનાત કરીને કાર્યવાહીમાં ઉતર્યા હતા. કોમર્શિયલ જહાજમાં 21 ભારતીય ક્રૂ મેમ્બર છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, સાઉદી અરેબિયાના અલ જુબેલ બંદરથી નીઓ મેંગલોર બંદરે ક્રૂડ ઓઈલ લઈ જતું જહાજ પોરબંદરથી લગભગ 217 નોટિકલ માઈલ દૂર હુમલાનો શિકાર થયું હતું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે