Iran President Ebrahim Raisi તેમજ વિદેશ મંત્રીના થયા હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત - ઈરાની એજન્સીનો દાવો...


  • Published By :
  • Published Date : 2024-05-20 11:18:24

ઈરાનથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે... હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી તેમજ વિદેશ મંત્રી હેસૈન અમીરબદોલ્લાહિયાનનું મોત થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે... 19 મેના રોજ પહાડી વિસ્તારને પાર કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે... આ દુર્ઘટનાને પગલે અનેક કલાકો સુધી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. અંતે બંનેના મોત થઈ ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે.. ઈરાનની મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે.. 

રાષ્ટ્રપતિ તેમજ વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિપજ્યું મોત!

છેલ્લા થોડા સમયથી ઈરાન- ઈઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધને કારણે ઈરાન ચર્ચામાં રહેતું હતું.. ઈરાન- ઈઝરાયેલ વચ્ચે સંબંધો તણાવપૂર્ણ બન્યા છે.. આગળ શું થશે તેની પર સૌ કોઈની નજર હતી.આ બધા વચ્ચે ઈરાનથી એક દુખદ સમાચાર સામે આવ્યા..ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું મોત હેલિકોપ્ટર દુર્ઘટનામાં થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. તેમનું હેલિકોપ્ટર રવિવાર સાંજે દુર્ઘટનાનો શિકાર બની ગયું અને ઈરાનના પ્રમુખ તેમજ ત્યાંના વિદેશ મંત્રીનું મોત થઈ ગયું હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે.. 


 રાષ્ટ્રપતિ સિવાય આ લોકો પણ હેલિકોપ્ટરમાં હતા સવાર 

ઘટનાની જાણ થતા રેસ્ક્યુની કામગીરી શરૂ થઈ ગઈ હતી. અનેક કલાકોની શોધખોળ બાદ હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે જે હેલિકોપ્ટર ક્રેશ થયું તેમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી, વિદેશ મંત્રી સિવાય પૂર્વ અઝરબૈજાનના ગવર્નર મલેક રહેમતી, પૂર્વ અઝરબૈજાનમાં ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિ આયાતુલ્લા મોહમ્મદ અલી અલે-હાશેમ પણ હાજર હતા. ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં ડ્રાઈવર સહિત કુલ આઠ લોકો સવાર હતા. 

પીએમ મોદીએ ઘટનાની જાણ થતા કરી પોસ્ટ

ઈરાનના સરકારી ટેલિવિઝનનું કહેવું છે કે આ દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી.હેલિકોપ્ટર રવિવારે અઝરબૈજાનના ગાઢ અને પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરવામાં આવ્યું હતું. 2021ની ચૂંટણીમાં રઈસીએ રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી જીતી હતી. 



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .