હિંદ મહાસાગરમાં કેમિકલ ટેન્કર પર થયેલા ડ્રોન હુમલામાં ઈરાનનો હાથ...અમેરિકાના આરોપથી હડકંપ


  • Published By :
  • Published Date : 2023-12-24 10:08:09

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની સ્થિતી હવે ભારત સુધી પહોંચવા લાગી છે. પેન્ટાગોને જણાવ્યું હતું કે શનિવારે ભારતના દરિયાકાંઠે જાપાની માલિકીના જહાજને "ઈરાનથી છોડવામાં આવેલા ડ્રોન" દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી લાલ સમુદ્રમાં હુથીઓ દ્વારા જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે આ હુમલો લાલ સમુદ્રની બહાર વ્યાપારી શિપિંગ માટે એક નવા ખતરાનો સંકેત આપે છે. આ હુમલો ત્યારે થયો છે જ્યારે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો ડ્રોન અને મિસાઈલ વડે લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે.


હુથી બળવાખોરોએ કર્યો હુમલો 


7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ શરૂ થયેલા યુદ્ધના વિરોધમાં હુથી બળવાખોરો જહાજો પર હુમલો કરી રહ્યા છે. હુથી બળવાખોરોનું કહેવું છે કે તેઓ ઈઝરાયેલના જહાજોને નિશાન બનાવશે. શનિવારનો હુમલો સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે થયો હતો. આ દરમિયાન જહાજમાં આગ લાગી હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ બુઝાવી દેવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે જહાજ ભારતમાં એક ગંતવ્ય તરફ આગળ વધી રહ્યું છે.

ક્યાં હુમલો થયો હતો?


પેન્ટાગોન અનુસાર, ડ્રોન હુમલો ગુજરાતના દરિયાકાંઠાથી 200 નોટિકલ માઇલ (370 કિમી) દૂર થયો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમેરિકાની નેવીનું કોઈ જહાજ નજીકમાં નથી. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ પેન્ટાગોને ઈરાન પર હુમલાનો સીધો આરોપ લગાવ્યો હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. પેન્ટાગોનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એમવી કેમ પ્લુટો નામનું જહાજ લાઇબેરિયાના ધ્વજ હેઠળ સફર કરી રહ્યું હતું. તે એક ડચ એન્ટિટી દ્વારા સંચાલિત કરવામાં આવતું હતું. જોકે આ જહાજ જાપાનની કંપનીની માલિકીનું છે.


ભારતીય જહાજો મદદ માટે પહોંચ્યા


પેન્ટાગોન અનુસાર, 2021 પછી ઈરાન દ્વારા કોમર્શિયલ જહાજ પર આ સાતમો હુમલો છે. હુમલા દરમિયાન ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ મદદ માટે પહોંચ્યા હતા. નૌકાદળના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 'એક વિમાન મોકલવામાં આવ્યું હતું જે જહાજની ઉપર પહોંચ્યું હતું અને તેની અને ક્રૂનું રક્ષણ કર્યું હતું.ભારતીય નૌકાદળનું એક યુદ્ધ જહાજ પણ મોકલવામાં આવ્યું હતું જે જરૂરિયાત મુજબ મદદ કરી શકે છે. અમેરિકાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ગયા મહિને, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે હિંદ મહાસાગરમાં એક કાર્ગો જહાજ પર હુમલો કર્યો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.