હિંદ મહાસાગરમાં કેમિકલ ટેન્કર પર થયેલા ડ્રોન હુમલામાં ઈરાનનો હાથ...અમેરિકાના આરોપથી હડકંપ


  • Published By :
  • Published Date : 2023-12-24 10:08:09

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની સ્થિતી હવે ભારત સુધી પહોંચવા લાગી છે. પેન્ટાગોને જણાવ્યું હતું કે શનિવારે ભારતના દરિયાકાંઠે જાપાની માલિકીના જહાજને "ઈરાનથી છોડવામાં આવેલા ડ્રોન" દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી લાલ સમુદ્રમાં હુથીઓ દ્વારા જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે આ હુમલો લાલ સમુદ્રની બહાર વ્યાપારી શિપિંગ માટે એક નવા ખતરાનો સંકેત આપે છે. આ હુમલો ત્યારે થયો છે જ્યારે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો ડ્રોન અને મિસાઈલ વડે લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે.


હુથી બળવાખોરોએ કર્યો હુમલો 


7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ શરૂ થયેલા યુદ્ધના વિરોધમાં હુથી બળવાખોરો જહાજો પર હુમલો કરી રહ્યા છે. હુથી બળવાખોરોનું કહેવું છે કે તેઓ ઈઝરાયેલના જહાજોને નિશાન બનાવશે. શનિવારનો હુમલો સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે થયો હતો. આ દરમિયાન જહાજમાં આગ લાગી હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ બુઝાવી દેવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે જહાજ ભારતમાં એક ગંતવ્ય તરફ આગળ વધી રહ્યું છે.

ક્યાં હુમલો થયો હતો?


પેન્ટાગોન અનુસાર, ડ્રોન હુમલો ગુજરાતના દરિયાકાંઠાથી 200 નોટિકલ માઇલ (370 કિમી) દૂર થયો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમેરિકાની નેવીનું કોઈ જહાજ નજીકમાં નથી. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ પેન્ટાગોને ઈરાન પર હુમલાનો સીધો આરોપ લગાવ્યો હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. પેન્ટાગોનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એમવી કેમ પ્લુટો નામનું જહાજ લાઇબેરિયાના ધ્વજ હેઠળ સફર કરી રહ્યું હતું. તે એક ડચ એન્ટિટી દ્વારા સંચાલિત કરવામાં આવતું હતું. જોકે આ જહાજ જાપાનની કંપનીની માલિકીનું છે.


ભારતીય જહાજો મદદ માટે પહોંચ્યા


પેન્ટાગોન અનુસાર, 2021 પછી ઈરાન દ્વારા કોમર્શિયલ જહાજ પર આ સાતમો હુમલો છે. હુમલા દરમિયાન ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ મદદ માટે પહોંચ્યા હતા. નૌકાદળના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 'એક વિમાન મોકલવામાં આવ્યું હતું જે જહાજની ઉપર પહોંચ્યું હતું અને તેની અને ક્રૂનું રક્ષણ કર્યું હતું.ભારતીય નૌકાદળનું એક યુદ્ધ જહાજ પણ મોકલવામાં આવ્યું હતું જે જરૂરિયાત મુજબ મદદ કરી શકે છે. અમેરિકાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ગયા મહિને, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે હિંદ મહાસાગરમાં એક કાર્ગો જહાજ પર હુમલો કર્યો હતો.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે