હિંદ મહાસાગરમાં કેમિકલ ટેન્કર પર થયેલા ડ્રોન હુમલામાં ઈરાનનો હાથ...અમેરિકાના આરોપથી હડકંપ


  • Published By :
  • Published Date : 2023-12-24 10:08:09

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની સ્થિતી હવે ભારત સુધી પહોંચવા લાગી છે. પેન્ટાગોને જણાવ્યું હતું કે શનિવારે ભારતના દરિયાકાંઠે જાપાની માલિકીના જહાજને "ઈરાનથી છોડવામાં આવેલા ડ્રોન" દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી લાલ સમુદ્રમાં હુથીઓ દ્વારા જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે આ હુમલો લાલ સમુદ્રની બહાર વ્યાપારી શિપિંગ માટે એક નવા ખતરાનો સંકેત આપે છે. આ હુમલો ત્યારે થયો છે જ્યારે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો ડ્રોન અને મિસાઈલ વડે લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે.


હુથી બળવાખોરોએ કર્યો હુમલો 


7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ શરૂ થયેલા યુદ્ધના વિરોધમાં હુથી બળવાખોરો જહાજો પર હુમલો કરી રહ્યા છે. હુથી બળવાખોરોનું કહેવું છે કે તેઓ ઈઝરાયેલના જહાજોને નિશાન બનાવશે. શનિવારનો હુમલો સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે થયો હતો. આ દરમિયાન જહાજમાં આગ લાગી હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ બુઝાવી દેવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે જહાજ ભારતમાં એક ગંતવ્ય તરફ આગળ વધી રહ્યું છે.

ક્યાં હુમલો થયો હતો?


પેન્ટાગોન અનુસાર, ડ્રોન હુમલો ગુજરાતના દરિયાકાંઠાથી 200 નોટિકલ માઇલ (370 કિમી) દૂર થયો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમેરિકાની નેવીનું કોઈ જહાજ નજીકમાં નથી. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ પેન્ટાગોને ઈરાન પર હુમલાનો સીધો આરોપ લગાવ્યો હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. પેન્ટાગોનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એમવી કેમ પ્લુટો નામનું જહાજ લાઇબેરિયાના ધ્વજ હેઠળ સફર કરી રહ્યું હતું. તે એક ડચ એન્ટિટી દ્વારા સંચાલિત કરવામાં આવતું હતું. જોકે આ જહાજ જાપાનની કંપનીની માલિકીનું છે.


ભારતીય જહાજો મદદ માટે પહોંચ્યા


પેન્ટાગોન અનુસાર, 2021 પછી ઈરાન દ્વારા કોમર્શિયલ જહાજ પર આ સાતમો હુમલો છે. હુમલા દરમિયાન ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ મદદ માટે પહોંચ્યા હતા. નૌકાદળના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 'એક વિમાન મોકલવામાં આવ્યું હતું જે જહાજની ઉપર પહોંચ્યું હતું અને તેની અને ક્રૂનું રક્ષણ કર્યું હતું.ભારતીય નૌકાદળનું એક યુદ્ધ જહાજ પણ મોકલવામાં આવ્યું હતું જે જરૂરિયાત મુજબ મદદ કરી શકે છે. અમેરિકાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ગયા મહિને, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે હિંદ મહાસાગરમાં એક કાર્ગો જહાજ પર હુમલો કર્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.