"ભારત યુદ્ધ જેવા કપરા સમયમાં વિશ્વાસુ સાથી છે."


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-25 21:17:57

ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે. 

EU's designation of IRGC a 'strategic miscalculation', says Iranian  Ambassador to India

યુદ્ધ હંમેશા એક એવા ધ્રુવીકૃત એટલેકે , પોલરાઇઝ્ડ વિશ્વનું નિર્માણ કરે છે જેમાં , કોઈ દેશ બીજા દેશની તરફેણ  સહેલાઇથી નથી કરી શકતો. તાજેતરમાં ઈરાન યુદ્ધમાં આપણે જોયું કે , સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝને ખોલવા માટે , અમેરિકા દ્વારા NATO દેશોનો સાથ માંગવામાં આવ્યો હતો પરંતુ , NATO દેશો ઈરાન યુદ્ધમાં ઝંપલાવવા તૈયાર નથી. વાત કરીએ , ભારતની , ભારતે આઝાદીના શરૂઆતના વર્ષોમાં નહેરુ યુગમાં બિનજોડાણવાદી નીતિ એટલેકે , નોન અલાયનમેન્ટનું પાલન કરતો આવ્યો છે , વર્તમાન મોદી યુગમાં તે મલ્ટીઅલાયનમેન્ટનું પાલન કરતો આવ્યો છે. જેનાથી ભારત રશિયા - યુક્રેન યુદ્ધ હોય કે પછી વર્તમાન ઈરાન યુદ્ધ હોય તેણે તેની તટસ્થ નીતિનો પરિચય સમગ્ર દુનિયાને આપી દીધો છે. આજ કારણ છે કે , ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ ખુબ મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. મોહમ્મદ ફતહાલીએ કહ્યું છે કે, " ભારત પાસે યુદ્ધ અટકાવવાની અદભુત ક્ષમતા રહેલી છે. ભારત હંમેશાથી બેલેન્સ્ડ વિદેશનીતિનું પાલન કરતુ આવ્યું છે. ભારત આ યુદ્ધ જેવા કપરા સમયમાં એક વિશ્વાસુ સાથી છે. ભારતે બધા સાથે તેના ઐતિહાસિક અને રણનૈતિક સબંધો રાખેલા છે." ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાર્તાલાપની તમામ ખબરોને નકારી દીધી છે. 

Iran launches 'hundreds' of missiles at Israel following attack | CNN

 ઈરાન દ્વારા આ ખાડી દેશો ઓમાન , બહેરીન , કતાર , કુવૈત , સાઉદી અરેબિયા સાથે એક પ્રકારનું "ઇકોનોમિક વોરફેર'' છેડી દેવામાં આવ્યું છે. વાત કરીએ , કુવૈતની તો , કુવૈત એ પહેલો ખાડી દેશ છે જેણે ઈરાન પર મિસાઇલો વડે હુમલો કરી દીધો છે. આ ઉપરાંત , કુવૈત દ્વારા પોતાના દેશના નાગરિકો માટે ન્યુક્લિયર સેફટી એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં તેમના સૈન્ય અધિકારીઓ દ્વારા પરમાણુ રેડિએશનથી બચવા  લોકોને બારીઓ બંધ રાખવા અને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ , એ પણ ખબરો સામે આવી રહી છે કે , ઈરાન દ્વારા અમેરિકા સમક્ષ માંગણી કરવામાં આવી છે કે , તે ખાડી દેશોમાં આવેલા તમામ અમેરિકન લશ્કરી થાણાઓને બંધ કરવા માંગે છે. આ ઉપરાંત , ઇઝરાયેલ હેઝબોલાહની સામે અભિયાન બંધ કરી દે. એક એવી વ્યવસ્થા બનાવવામાં આવે જેમાં તે સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા તમામ જહાજો પાસેથી એક ટોલ ઉઘરાવી શકે.  IRGC સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝમાંથી ચાઈનીઝ કરન્સી યુઆન અને ક્રીપ્ટોકરંસીમાં જહાજો પાસેથી ટોલ ઉઘરાવી રહ્યું છે. અમેરિકાને આ વાતેય પેટમાં તેલ રેડાયું છે.  જોવાનું એ રહે છે કે અમેરિકા ઈરાનની આ વાત સાથે સહેમત થાય છે કે કેમ? તે તેઓ ભવિષ્યના ગર્ભમાં છે. અપેક્ષા રાખીએ કે , વિનાશકારી યુદ્ધ અટકી જાય.




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.