શું Banaskantha સીટ પર Congress બદલી રહી છે ઉમેદવાર? સાંભળો Geniben Thakorની ઉમેદવારીને લઈ પૂર્વ ધારાસભ્યએ શું આપ્યું નિવેદન?


  • Published By :
  • Published Date : 2024-03-21 17:18:07

લોકસભા ચૂંટણીને હજી ભલે વાર હોય પરંતુ અનેક બેઠકો એવી છે જેની ચર્ચા પ્રતિદિન થઈ રહી છે. એક સમય હતો જ્યારે ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા હતી અને પરંતુ હવે આ શ્રેણીમાં બનાસકાંઠા બેઠક પણ આવી ગઈ છે. ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર સૌ કોઈની નજર છે કારણ કે ત્યાં બેન vs બેનની જંગ છે. સમીકરણો જબરદસ્ત ગોઠવાયેલા છે. ત્યારે ગઈકાલથી એક સમાચાર બધાના હોઠે છે કે ઉમેદવાર બદલાશે? કોઈ કહે છે કે ભાજપના ઉમેદવાર બદલાશે કે કોંગ્રેસના?   

પહેલા ચર્ચા થઈ કે ભાજપ ઉમેદવારને બદલશે...  

ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે અને ઉમેદવારો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવી ગયો છે. ગઈકાલે મોટા ભાગે એક સમાચારની ખૂબ ચર્ચા હતી કે ભાજપ બે બેઠક પર ઉમેદવારો બદલશે જેમાં બનાસકાંઠાની એક બેઠક હતી રેખાબેનની જગ્યાએ સ્થાનિક ઉમેદવારને પ્રોજેક્ટ કરે એવી શક્યતા આપવામાં આવી હતી. પણ આજે ચિત્ર કંઈક બદલાઈ ગયું છે. હવે જંગ આમને સામને થઈ ગઈ છે. બીજેપીના નેતાઓ કહે છે ગેની બેન બદલાશે? આ નિવદેન હાલ ચર્ચાનો વિષય બન્યો હતો.



"જો કોંગ્રેસ ગેનીબેનને બદલી નાંખે તો..." - ડિસાના પૂર્વ ધારાસભ્ય  

ડિસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા એમનુ એવું કહવું છે કે કોંગ્રેસ ગભરાઈ ગઈ છે. અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાને ટિકિટ આપી તો તેણે ના પાડી કે મારે ચૂંટણી નથી લડવી. જો કોંગ્રેસ ગેનીબેનને બદલી નાંખે તો તમે નવાઈ ન પામતા. હવે આ સીટની વાત કરી તો, તો આ સીટ પર રેખા બેન ચૌધરી ની સામે ગેનીબેન ઠાકોર છે વસ્તીની દ્રષ્ટિએ આ બેઠક પર ઠાકોર સમાજની વસ્તી વધુ છે પણ સાથે સાથે ત્યાં બીજા જાતિગત સમીકરણો પણ છે ગેની બેન ધારાસભ્ય છે ગ્રાઉન્ડ  પર જાય છે અને અત્યરે આક્રમક રીતે પ્રચાર કરે છે જ્યારે રેખા બેન શિક્ષિત છે નવો ચેહરો છે અને ગલબાભાઈ પટેલના પૌત્રી છે. એટલે હવે બનાસના લોકો કયા બેનને પસદ કરે છે તે જોવાનું રહ્યું?



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.