શું Banaskantha સીટ પર Congress બદલી રહી છે ઉમેદવાર? સાંભળો Geniben Thakorની ઉમેદવારીને લઈ પૂર્વ ધારાસભ્યએ શું આપ્યું નિવેદન?


  • Published By :
  • Published Date : 2024-03-21 17:18:07

લોકસભા ચૂંટણીને હજી ભલે વાર હોય પરંતુ અનેક બેઠકો એવી છે જેની ચર્ચા પ્રતિદિન થઈ રહી છે. એક સમય હતો જ્યારે ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા હતી અને પરંતુ હવે આ શ્રેણીમાં બનાસકાંઠા બેઠક પણ આવી ગઈ છે. ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર સૌ કોઈની નજર છે કારણ કે ત્યાં બેન vs બેનની જંગ છે. સમીકરણો જબરદસ્ત ગોઠવાયેલા છે. ત્યારે ગઈકાલથી એક સમાચાર બધાના હોઠે છે કે ઉમેદવાર બદલાશે? કોઈ કહે છે કે ભાજપના ઉમેદવાર બદલાશે કે કોંગ્રેસના?   

પહેલા ચર્ચા થઈ કે ભાજપ ઉમેદવારને બદલશે...  

ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે અને ઉમેદવારો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવી ગયો છે. ગઈકાલે મોટા ભાગે એક સમાચારની ખૂબ ચર્ચા હતી કે ભાજપ બે બેઠક પર ઉમેદવારો બદલશે જેમાં બનાસકાંઠાની એક બેઠક હતી રેખાબેનની જગ્યાએ સ્થાનિક ઉમેદવારને પ્રોજેક્ટ કરે એવી શક્યતા આપવામાં આવી હતી. પણ આજે ચિત્ર કંઈક બદલાઈ ગયું છે. હવે જંગ આમને સામને થઈ ગઈ છે. બીજેપીના નેતાઓ કહે છે ગેની બેન બદલાશે? આ નિવદેન હાલ ચર્ચાનો વિષય બન્યો હતો.



"જો કોંગ્રેસ ગેનીબેનને બદલી નાંખે તો..." - ડિસાના પૂર્વ ધારાસભ્ય  

ડિસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા એમનુ એવું કહવું છે કે કોંગ્રેસ ગભરાઈ ગઈ છે. અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાને ટિકિટ આપી તો તેણે ના પાડી કે મારે ચૂંટણી નથી લડવી. જો કોંગ્રેસ ગેનીબેનને બદલી નાંખે તો તમે નવાઈ ન પામતા. હવે આ સીટની વાત કરી તો, તો આ સીટ પર રેખા બેન ચૌધરી ની સામે ગેનીબેન ઠાકોર છે વસ્તીની દ્રષ્ટિએ આ બેઠક પર ઠાકોર સમાજની વસ્તી વધુ છે પણ સાથે સાથે ત્યાં બીજા જાતિગત સમીકરણો પણ છે ગેની બેન ધારાસભ્ય છે ગ્રાઉન્ડ  પર જાય છે અને અત્યરે આક્રમક રીતે પ્રચાર કરે છે જ્યારે રેખા બેન શિક્ષિત છે નવો ચેહરો છે અને ગલબાભાઈ પટેલના પૌત્રી છે. એટલે હવે બનાસના લોકો કયા બેનને પસદ કરે છે તે જોવાનું રહ્યું?



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.