શું Banaskantha સીટ પર Congress બદલી રહી છે ઉમેદવાર? સાંભળો Geniben Thakorની ઉમેદવારીને લઈ પૂર્વ ધારાસભ્યએ શું આપ્યું નિવેદન?


  • Published By :
  • Published Date : 2024-03-21 17:18:07

લોકસભા ચૂંટણીને હજી ભલે વાર હોય પરંતુ અનેક બેઠકો એવી છે જેની ચર્ચા પ્રતિદિન થઈ રહી છે. એક સમય હતો જ્યારે ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા હતી અને પરંતુ હવે આ શ્રેણીમાં બનાસકાંઠા બેઠક પણ આવી ગઈ છે. ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર સૌ કોઈની નજર છે કારણ કે ત્યાં બેન vs બેનની જંગ છે. સમીકરણો જબરદસ્ત ગોઠવાયેલા છે. ત્યારે ગઈકાલથી એક સમાચાર બધાના હોઠે છે કે ઉમેદવાર બદલાશે? કોઈ કહે છે કે ભાજપના ઉમેદવાર બદલાશે કે કોંગ્રેસના?   

પહેલા ચર્ચા થઈ કે ભાજપ ઉમેદવારને બદલશે...  

ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે અને ઉમેદવારો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવી ગયો છે. ગઈકાલે મોટા ભાગે એક સમાચારની ખૂબ ચર્ચા હતી કે ભાજપ બે બેઠક પર ઉમેદવારો બદલશે જેમાં બનાસકાંઠાની એક બેઠક હતી રેખાબેનની જગ્યાએ સ્થાનિક ઉમેદવારને પ્રોજેક્ટ કરે એવી શક્યતા આપવામાં આવી હતી. પણ આજે ચિત્ર કંઈક બદલાઈ ગયું છે. હવે જંગ આમને સામને થઈ ગઈ છે. બીજેપીના નેતાઓ કહે છે ગેની બેન બદલાશે? આ નિવદેન હાલ ચર્ચાનો વિષય બન્યો હતો.



"જો કોંગ્રેસ ગેનીબેનને બદલી નાંખે તો..." - ડિસાના પૂર્વ ધારાસભ્ય  

ડિસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા એમનુ એવું કહવું છે કે કોંગ્રેસ ગભરાઈ ગઈ છે. અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાને ટિકિટ આપી તો તેણે ના પાડી કે મારે ચૂંટણી નથી લડવી. જો કોંગ્રેસ ગેનીબેનને બદલી નાંખે તો તમે નવાઈ ન પામતા. હવે આ સીટની વાત કરી તો, તો આ સીટ પર રેખા બેન ચૌધરી ની સામે ગેનીબેન ઠાકોર છે વસ્તીની દ્રષ્ટિએ આ બેઠક પર ઠાકોર સમાજની વસ્તી વધુ છે પણ સાથે સાથે ત્યાં બીજા જાતિગત સમીકરણો પણ છે ગેની બેન ધારાસભ્ય છે ગ્રાઉન્ડ  પર જાય છે અને અત્યરે આક્રમક રીતે પ્રચાર કરે છે જ્યારે રેખા બેન શિક્ષિત છે નવો ચેહરો છે અને ગલબાભાઈ પટેલના પૌત્રી છે. એટલે હવે બનાસના લોકો કયા બેનને પસદ કરે છે તે જોવાનું રહ્યું?



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.