કતારમાંથી ભારતીય મરીનની મુક્તી પાછળ LNG ડીલ નહીં પણ શાહરુખ ખાન છે જવાબદાર? જાણો ઈનસાઈડ સ્ટોરી


  • Published By :
  • Published Date : 2024-02-13 16:32:09

ભારતીય જનતા પાર્ટી (BJP)ના અગ્રણી નેતા સુબ્રમણ્યમ સ્વામી હંમેશા પોતાની પાર્ટી વિશે નિવેદન આપીને હેડલાઇન્સમાં રહે છે. લોકસભાની ચૂંટણી થવાની છે અને તેના પહેલા પીએમ મોદી જે કરી રહ્યા છે તેના પર  સુબ્રમણ્યમ સ્વામી પાણી ફેરવી રહ્યા છે. તાજેતરમાં કતારથી ભારત પરત આવેલા 8 ભૂતપૂર્વ નેવી સૈનિકોને કારણે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ભારતીય નૌકાદળના આ ભૂતપૂર્વ સૈનિકોને કતારમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી પરંતુ ભારત સરકારની કૂટનીતિ અને રાજદ્વારી સંબંધોના કારણે આપણા ભૂતપૂર્વ 8 નેવી સૈનિકો તેમના દેશમાં પાછા ફરી શક્યા છે. કતારથી પરત ફરેલા સૈનિકોને જોઈને તેમનો આખો પરિવાર ખુશ છે અને મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામી આ સમગ્ર કામનો શ્રેય પીએમ મોદીને નહીં પરંતુ અન્ય કોઈને આપી રહ્યા છે.


નેવી અધિકારીઓની વાપસીનો શ્રેય શાહરૂખ ખાનને 


ભાજપના સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ ટ્વીટ કરી PM મોદી પર કટાક્ષ કર્યો અને કતારથી 8 નેવી અધિકારીઓની વાપસીનો શ્રેય બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને આપ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું કે પીએમ મોદી તેમની કતાર કૂટનીતિમાં કંઈ હાંસલ કરી શક્યા નથી. શાહરૂખ ખાને નેવીના ભૂતપૂર્વ સૈનિકોની વાપસીની વાત કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું - પીએમ મોદીએ સિનેમા સ્ટાર શાહરૂખ ખાનને પોતાની સાથે કતાર લઈ જવો જોઈએ કારણ કે વિદેશ મંત્રાલય અને NSA કતારના શેખને મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આખરે પીએમ મોદીએ શાહરૂખ ખાનને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. આપણા નેવી અધિકારીઓને મુક્ત કરાવવા માટે કેન્દ્ર સરકારે તો કતારના શેખ સાથે LNG માટે મોંઘો સોદો કર્યો હતો.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .