કતારમાંથી ભારતીય મરીનની મુક્તી પાછળ LNG ડીલ નહીં પણ શાહરુખ ખાન છે જવાબદાર? જાણો ઈનસાઈડ સ્ટોરી


  • Published By :
  • Published Date : 2024-02-13 16:32:09

ભારતીય જનતા પાર્ટી (BJP)ના અગ્રણી નેતા સુબ્રમણ્યમ સ્વામી હંમેશા પોતાની પાર્ટી વિશે નિવેદન આપીને હેડલાઇન્સમાં રહે છે. લોકસભાની ચૂંટણી થવાની છે અને તેના પહેલા પીએમ મોદી જે કરી રહ્યા છે તેના પર  સુબ્રમણ્યમ સ્વામી પાણી ફેરવી રહ્યા છે. તાજેતરમાં કતારથી ભારત પરત આવેલા 8 ભૂતપૂર્વ નેવી સૈનિકોને કારણે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ભારતીય નૌકાદળના આ ભૂતપૂર્વ સૈનિકોને કતારમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી પરંતુ ભારત સરકારની કૂટનીતિ અને રાજદ્વારી સંબંધોના કારણે આપણા ભૂતપૂર્વ 8 નેવી સૈનિકો તેમના દેશમાં પાછા ફરી શક્યા છે. કતારથી પરત ફરેલા સૈનિકોને જોઈને તેમનો આખો પરિવાર ખુશ છે અને મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામી આ સમગ્ર કામનો શ્રેય પીએમ મોદીને નહીં પરંતુ અન્ય કોઈને આપી રહ્યા છે.


નેવી અધિકારીઓની વાપસીનો શ્રેય શાહરૂખ ખાનને 


ભાજપના સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ ટ્વીટ કરી PM મોદી પર કટાક્ષ કર્યો અને કતારથી 8 નેવી અધિકારીઓની વાપસીનો શ્રેય બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને આપ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું કે પીએમ મોદી તેમની કતાર કૂટનીતિમાં કંઈ હાંસલ કરી શક્યા નથી. શાહરૂખ ખાને નેવીના ભૂતપૂર્વ સૈનિકોની વાપસીની વાત કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું - પીએમ મોદીએ સિનેમા સ્ટાર શાહરૂખ ખાનને પોતાની સાથે કતાર લઈ જવો જોઈએ કારણ કે વિદેશ મંત્રાલય અને NSA કતારના શેખને મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આખરે પીએમ મોદીએ શાહરૂખ ખાનને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. આપણા નેવી અધિકારીઓને મુક્ત કરાવવા માટે કેન્દ્ર સરકારે તો કતારના શેખ સાથે LNG માટે મોંઘો સોદો કર્યો હતો.



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.