કતારમાંથી ભારતીય મરીનની મુક્તી પાછળ LNG ડીલ નહીં પણ શાહરુખ ખાન છે જવાબદાર? જાણો ઈનસાઈડ સ્ટોરી


  • Published By :
  • Published Date : 2024-02-13 16:32:09

ભારતીય જનતા પાર્ટી (BJP)ના અગ્રણી નેતા સુબ્રમણ્યમ સ્વામી હંમેશા પોતાની પાર્ટી વિશે નિવેદન આપીને હેડલાઇન્સમાં રહે છે. લોકસભાની ચૂંટણી થવાની છે અને તેના પહેલા પીએમ મોદી જે કરી રહ્યા છે તેના પર  સુબ્રમણ્યમ સ્વામી પાણી ફેરવી રહ્યા છે. તાજેતરમાં કતારથી ભારત પરત આવેલા 8 ભૂતપૂર્વ નેવી સૈનિકોને કારણે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ભારતીય નૌકાદળના આ ભૂતપૂર્વ સૈનિકોને કતારમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી પરંતુ ભારત સરકારની કૂટનીતિ અને રાજદ્વારી સંબંધોના કારણે આપણા ભૂતપૂર્વ 8 નેવી સૈનિકો તેમના દેશમાં પાછા ફરી શક્યા છે. કતારથી પરત ફરેલા સૈનિકોને જોઈને તેમનો આખો પરિવાર ખુશ છે અને મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામી આ સમગ્ર કામનો શ્રેય પીએમ મોદીને નહીં પરંતુ અન્ય કોઈને આપી રહ્યા છે.


નેવી અધિકારીઓની વાપસીનો શ્રેય શાહરૂખ ખાનને 


ભાજપના સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ ટ્વીટ કરી PM મોદી પર કટાક્ષ કર્યો અને કતારથી 8 નેવી અધિકારીઓની વાપસીનો શ્રેય બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને આપ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું કે પીએમ મોદી તેમની કતાર કૂટનીતિમાં કંઈ હાંસલ કરી શક્યા નથી. શાહરૂખ ખાને નેવીના ભૂતપૂર્વ સૈનિકોની વાપસીની વાત કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું - પીએમ મોદીએ સિનેમા સ્ટાર શાહરૂખ ખાનને પોતાની સાથે કતાર લઈ જવો જોઈએ કારણ કે વિદેશ મંત્રાલય અને NSA કતારના શેખને મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આખરે પીએમ મોદીએ શાહરૂખ ખાનને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. આપણા નેવી અધિકારીઓને મુક્ત કરાવવા માટે કેન્દ્ર સરકારે તો કતારના શેખ સાથે LNG માટે મોંઘો સોદો કર્યો હતો.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .