કતારમાંથી ભારતીય મરીનની મુક્તી પાછળ LNG ડીલ નહીં પણ શાહરુખ ખાન છે જવાબદાર? જાણો ઈનસાઈડ સ્ટોરી


  • Published By :
  • Published Date : 2024-02-13 16:32:09

ભારતીય જનતા પાર્ટી (BJP)ના અગ્રણી નેતા સુબ્રમણ્યમ સ્વામી હંમેશા પોતાની પાર્ટી વિશે નિવેદન આપીને હેડલાઇન્સમાં રહે છે. લોકસભાની ચૂંટણી થવાની છે અને તેના પહેલા પીએમ મોદી જે કરી રહ્યા છે તેના પર  સુબ્રમણ્યમ સ્વામી પાણી ફેરવી રહ્યા છે. તાજેતરમાં કતારથી ભારત પરત આવેલા 8 ભૂતપૂર્વ નેવી સૈનિકોને કારણે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ભારતીય નૌકાદળના આ ભૂતપૂર્વ સૈનિકોને કતારમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી પરંતુ ભારત સરકારની કૂટનીતિ અને રાજદ્વારી સંબંધોના કારણે આપણા ભૂતપૂર્વ 8 નેવી સૈનિકો તેમના દેશમાં પાછા ફરી શક્યા છે. કતારથી પરત ફરેલા સૈનિકોને જોઈને તેમનો આખો પરિવાર ખુશ છે અને મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામી આ સમગ્ર કામનો શ્રેય પીએમ મોદીને નહીં પરંતુ અન્ય કોઈને આપી રહ્યા છે.


નેવી અધિકારીઓની વાપસીનો શ્રેય શાહરૂખ ખાનને 


ભાજપના સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ ટ્વીટ કરી PM મોદી પર કટાક્ષ કર્યો અને કતારથી 8 નેવી અધિકારીઓની વાપસીનો શ્રેય બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને આપ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું કે પીએમ મોદી તેમની કતાર કૂટનીતિમાં કંઈ હાંસલ કરી શક્યા નથી. શાહરૂખ ખાને નેવીના ભૂતપૂર્વ સૈનિકોની વાપસીની વાત કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું - પીએમ મોદીએ સિનેમા સ્ટાર શાહરૂખ ખાનને પોતાની સાથે કતાર લઈ જવો જોઈએ કારણ કે વિદેશ મંત્રાલય અને NSA કતારના શેખને મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આખરે પીએમ મોદીએ શાહરૂખ ખાનને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. આપણા નેવી અધિકારીઓને મુક્ત કરાવવા માટે કેન્દ્ર સરકારે તો કતારના શેખ સાથે LNG માટે મોંઘો સોદો કર્યો હતો.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.