ગુજરાતનો આ તો કેવો વિકાસ!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 17:45:23

એક તરફ ગુજરાત સરકાર વિકાસ મોડલ બતાવી વોટ માગી રહી છે. તો બીજી તરફ અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઈ રહી છે. વાંસદા તાલુકામાં આવેલા નેશનલ હાઈવે નંબર 56 પર રસ્તો બેસી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. વરસાદને કારણે મોટા પ્રમાણમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. નેશનલ હાઈવેની આવી દુર્દશા થતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કામગીરી પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. ભ્રષ્ટાચારીઓને કારણે રસ્તાઓની આવી હાલત થઈ છે તેવું સ્થાનિકોનું કહેવું છે.

નેશનલ હાઈવેની થઈ આવી ર્દશા

સામાન્ય વરસાદ પડતા જ રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે. ગામડાના રસ્તાઓની હાલત અતિ-બિસ્માર થઈ ગતી હોય છે. પરંતુ હાઈવેના રસ્તાઓની હાલત પણ આવી જ છે. નેશનલ હાઈવે નંબર 56 નો રસ્તો અચાનક બેસી જતા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાઈવેની કામગીરી હલકી ગુણવત્તા વાળા સામાન દ્વારા કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.    


ભ્રષ્ટાચારીઓને કારણે લોકો થઈ રહ્યા છે પરેશાન

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કામગીરી ઉપર પણ સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી નથી કરવામાં આવી. રોડની કામગીરી દરમિયાન અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અન્ય કોઈ વાહનોને નુકસાન ન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.


અનેક વખત સ્થાનિકોએ કર્યો છે વિરોધ

વાપી-શામળાજી હાઇવે ઉપર હંમેશા ખાડાને લઈને વિવાદ સર્જાતા રહ્યા છે. ખરાબ રોડ રસ્તાને કારણે લોકો આંદોલન કરવા માટે વિચારણા કરી રહ્યા છે. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ અનેક આંદોલનો કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોઈ પણ ઉકેલ ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે. હાઇવે ઓથોરિટીની ગોર બેદરકારીને કારણે રસ્તાઓ પર ખાડાનું સામરાજ્ય છવાઈ ગયું છે. રસ્તાઓ પર ભ્રષ્ટ્રાચારરૂપી ખાડા પડવાનું ક્યારે બંધ થશે એ મોટો પ્રશ્ન બની ગયો છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે