ગુજરાતનો આ તો કેવો વિકાસ!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 17:45:23

એક તરફ ગુજરાત સરકાર વિકાસ મોડલ બતાવી વોટ માગી રહી છે. તો બીજી તરફ અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઈ રહી છે. વાંસદા તાલુકામાં આવેલા નેશનલ હાઈવે નંબર 56 પર રસ્તો બેસી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. વરસાદને કારણે મોટા પ્રમાણમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. નેશનલ હાઈવેની આવી દુર્દશા થતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કામગીરી પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. ભ્રષ્ટાચારીઓને કારણે રસ્તાઓની આવી હાલત થઈ છે તેવું સ્થાનિકોનું કહેવું છે.

નેશનલ હાઈવેની થઈ આવી ર્દશા

સામાન્ય વરસાદ પડતા જ રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે. ગામડાના રસ્તાઓની હાલત અતિ-બિસ્માર થઈ ગતી હોય છે. પરંતુ હાઈવેના રસ્તાઓની હાલત પણ આવી જ છે. નેશનલ હાઈવે નંબર 56 નો રસ્તો અચાનક બેસી જતા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાઈવેની કામગીરી હલકી ગુણવત્તા વાળા સામાન દ્વારા કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.    


ભ્રષ્ટાચારીઓને કારણે લોકો થઈ રહ્યા છે પરેશાન

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કામગીરી ઉપર પણ સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી નથી કરવામાં આવી. રોડની કામગીરી દરમિયાન અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અન્ય કોઈ વાહનોને નુકસાન ન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.


અનેક વખત સ્થાનિકોએ કર્યો છે વિરોધ

વાપી-શામળાજી હાઇવે ઉપર હંમેશા ખાડાને લઈને વિવાદ સર્જાતા રહ્યા છે. ખરાબ રોડ રસ્તાને કારણે લોકો આંદોલન કરવા માટે વિચારણા કરી રહ્યા છે. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ અનેક આંદોલનો કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોઈ પણ ઉકેલ ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે. હાઇવે ઓથોરિટીની ગોર બેદરકારીને કારણે રસ્તાઓ પર ખાડાનું સામરાજ્ય છવાઈ ગયું છે. રસ્તાઓ પર ભ્રષ્ટ્રાચારરૂપી ખાડા પડવાનું ક્યારે બંધ થશે એ મોટો પ્રશ્ન બની ગયો છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"