ગુજરાતનો આ તો કેવો વિકાસ!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 17:45:23

એક તરફ ગુજરાત સરકાર વિકાસ મોડલ બતાવી વોટ માગી રહી છે. તો બીજી તરફ અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઈ રહી છે. વાંસદા તાલુકામાં આવેલા નેશનલ હાઈવે નંબર 56 પર રસ્તો બેસી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. વરસાદને કારણે મોટા પ્રમાણમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. નેશનલ હાઈવેની આવી દુર્દશા થતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કામગીરી પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. ભ્રષ્ટાચારીઓને કારણે રસ્તાઓની આવી હાલત થઈ છે તેવું સ્થાનિકોનું કહેવું છે.

નેશનલ હાઈવેની થઈ આવી ર્દશા

સામાન્ય વરસાદ પડતા જ રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે. ગામડાના રસ્તાઓની હાલત અતિ-બિસ્માર થઈ ગતી હોય છે. પરંતુ હાઈવેના રસ્તાઓની હાલત પણ આવી જ છે. નેશનલ હાઈવે નંબર 56 નો રસ્તો અચાનક બેસી જતા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાઈવેની કામગીરી હલકી ગુણવત્તા વાળા સામાન દ્વારા કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.    


ભ્રષ્ટાચારીઓને કારણે લોકો થઈ રહ્યા છે પરેશાન

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કામગીરી ઉપર પણ સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી નથી કરવામાં આવી. રોડની કામગીરી દરમિયાન અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અન્ય કોઈ વાહનોને નુકસાન ન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.


અનેક વખત સ્થાનિકોએ કર્યો છે વિરોધ

વાપી-શામળાજી હાઇવે ઉપર હંમેશા ખાડાને લઈને વિવાદ સર્જાતા રહ્યા છે. ખરાબ રોડ રસ્તાને કારણે લોકો આંદોલન કરવા માટે વિચારણા કરી રહ્યા છે. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ અનેક આંદોલનો કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોઈ પણ ઉકેલ ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે. હાઇવે ઓથોરિટીની ગોર બેદરકારીને કારણે રસ્તાઓ પર ખાડાનું સામરાજ્ય છવાઈ ગયું છે. રસ્તાઓ પર ભ્રષ્ટ્રાચારરૂપી ખાડા પડવાનું ક્યારે બંધ થશે એ મોટો પ્રશ્ન બની ગયો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.