ISISના આતંકી હુમલાનો પર્દાફાશ, અમદાવાદ-ગાંધીનગરમાં બોંબ બ્લાસ્ટનું કાવતરૂ રચી રહ્યા હતા આતંકવાદીઓ


  • Published By :
  • Published Date : 2023-11-23 15:49:48

ગુજરાતના બે શહેરો અમદાવાદ અને ગાંધીનગર પર આતંકવાદી હુમલાનો પર્દાફાશ થયો છે. કુખ્યાત આતંકી સંગઠન ISIS ભારતના ત્રણ શહેરો પર મોટો આતંકી હુમલો કરવાનું કાવત્રુ ઘડી રહ્યું હોવાનું સામે આવ્યું છે.  આતંકી સંગઠન ISIS અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત મુંબઈમાં નરીમાન હાઉસ અને ગેટવે ઓફ ઈન્ડિયા પર મોટા આતંકી હુમલા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ મામલે પોલીસે ધરપકડ કરેલા ISIS આતંકવાદીની પૂછપરછ દરમિયાન જાણવા મળી છે. આ શંકાસ્પદ આતંકીએ કબુલ કર્યું છે કે  ભારતના અન્ય કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ ISISના નિશાના પર હતા, અને તે માટે રેકી પણ કરવામાં આવી હતી. તેના જણાવ્યા પ્રમાણે  ISIS માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ પણ કામ કરે છે. તેમની શંકાસ્પદ ભૂમિકાને લઈ હાલ સુરક્ષા એજન્સીઓ તેમના પર ચાંપતી નજર રાખી રહી છે.


કોણ છે ISISનો પકડાયેલો આતંકવાદી? 


પોલીસે ઝડપેલા આતંકીનું નામ શાહનવાઝ આલમ છે, અને તે ISIS ઓપરેટિવ તરીકે કામ કરતો હતો. 31 વર્ષના શાહનવાઝ આલમે  NIT નાગપુરમાંથી B ટેક કર્યું છે અને હજારી બાગમાં રહીને ફ્રીલાન્સ તરીકે કામ કરે છે. વર્ષ 2016થી જામિયામાં રહેતા શાહનવાઝે જણાવ્યું કે, તે મુસ્લિમ સંગઠન હિઝબુલ તાહિર સાથે જોડાયો હતો અને અહીં તે જેહાદી વિચાર ધરાવતા ઘણા યુવાનોને મળ્યો હતો. શાહનવાઝના કહેવા પ્રમાણે, તેની પત્ની હિંદુ હતી તેને ઈસ્લામ કબૂલ કરીને મુસ્લિમ બનાવી હતી. બંનેની મુલાકાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં થઈ હતી અને તેની પત્ની પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ હતી. શાહનવાઝે જણાવ્યું કે, પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે હજારીબાગમાં લગભગ 7-8 ગુનાઓને અંજામ આપ્યો અને તે પછી તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો.શાહનવાઝનો ગુરુ અનવર અવલાકી હતો. તે અલ કાયદાનો ટોપ મોસ્ટ આતંકવાદી હતો જે અમેરિકી સેનાના હુમલામાં માર્યો ગયો હતો. અનવર અવલાકીથી પ્રભાવિત થઈને શાહનવાઝને આતંકવાદી બનવાનું ઝનૂન થઈ ગયું હતું. પછી તે ઓનલાઈન સાઈટ પર કટ્ટરપંથી મુસ્લિમો અને આઈએસઆઈએસ હેન્ડલર્સના જૂથોમાં જોડાયો.


હિઝબુલ તાહિર યુવાનોને ભડકાવી રહ્યું છે! 


શાહનવાઝના જણાવ્યા પ્રમાણે આતંકી સંગઠન હિઝબુલ તાહિર દેશમાં મુસ્લિમ યુવાનોનું બ્રેઈન વોશિંગ કરી રહ્યું છે. તેના કહ્યુા અનુસાર ફરાર ISIS આતંકવાદી રિઝવાન અલી દરિયાગંજમાં રહેતો હતો અને તે હિઝબુલ તાહિરની મીટિંગમાં તેને મળ્યો હતો. આટલું જ નહીં, AMUના ઘણા વિદ્યાર્થીઓએ હિઝબુલ તાહિરની સભાઓમાં પણ ઘણી વખત ભાગ લીધો હતો. શાહનવાઝ તેના સાથીઓ સાથે સીરિયા જવા માંગતો હતો જ્યાં તે ISISના ટોચના નેતા પાસેથી ટ્રેનિંગ લેવા માંગતો હતો. હવાલા દ્વારા પુણેના તમામ આતંકવાદીઓને સમયાંતરે પૈસા મોકલવામાં આવતા હતા જેનો ઉપયોગ તેઓ બોમ્બ બનાવવા અને ટ્રેનિંગ કેમ્પમાં કરતા હતા. પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે હજારીબાગમાં લગભગ 7-8 ગુનાઓને અંજામ આપ્યો અને તે પછી તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો હતો.શાહનવાઝનો ગુરુ અનવર અવલાકી હતો. તે અલ કાયદાનો ટોપ મોસ્ટ આતંકવાદી હતો જે અમેરિકી સેનાના હુમલામાં માર્યો ગયો હતો. અનવર અવલાકીથી પ્રભાવિત થઈને શાહનવાઝને આતંકવાદી બનવાનું ઝનૂન થઈ ગયું હતું. પછી તે ઓનલાઈન સાઈટ પર કટ્ટરપંથી મુસ્લિમો અને ISIS હેન્ડલર્સના જૂથોમાં જોડાયો હતો. 

મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા


ISIS હેન્ડલર્સ શાહનવાઝની પૂછપરછ ચાલી રહી છે, અને તેના કારણે હજુ પણ મોટા ખુલાશા થવાની શક્યતા છે. શાહનવાઝની કબુલાત બાદ સુરક્ષા એજન્સીએ એલર્ટ થઈ ગઈ છે. દેશના વિવિધ ભાગોમાં રેડ પાડીને ISISના સ્વિપર સેલને શોધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી