Israel Hamas યુદ્ધ વચ્ચે ગાઝાની હોસ્પિટલમાં થઈ એરસ્ટ્રાઈક, 500થી વધારે લોકોના મોત થયા હોવાનું અનુમાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-18 14:10:54

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અંદાજીત 5 હજાર જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ બધા વચ્ચે ગાઝાની હોસ્પિટલમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં અનેકો લોકોના મોત થયા છે. વિસ્ફોટ બાદ અલગ અલગ જગ્યાઓ પર પ્રદર્શન શરૂ થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ફિલિસ્તાની નાગરિકોએ વિરોધ કર્યો હતો જે દરમિયાન તેમના અને સુરક્ષા બળો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આ હવાઈ હુમલો મધ્ય ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર કર્યો છે. તેને ગાઝા પટ્ટીની છેલ્લી ક્રિશ્ચિયન હોસ્પિટલ કહેવાય છે. 

Gaza hospital blast likely killed hundreds caught in Israel-Hamas conflict

 ઈઝરાયલ રક્ષા દળોએ મંગળવારે રાતે કહ્યું કે, ગાઝા પટ્ટીની એક હોસ્પિટલમાં વિસ્ફોટ પાછળ તેમનો હાથ નથી. ગાઝા આતંકવાદીઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલી એક મિસફાયર રોકેટના કારણે અલમાં વિસ્ફોટ થયો છે.


હોસ્પિટલમાં હુમલો થવાને કારણે થયા 500 લોકોના મોત! 

છેલ્લા 12 દિવસથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમાચારો આવી રહ્યા છે. યુદ્ધને કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે હવાઈ હુમલો હોસ્પિટલ પર કરવામાં આવ્યો છે જ્યાં ઈજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા હતા. આ હુમલાને કારણે 500 જેટલા લોકોના મોત થયા છે. ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, મંગળવારે ઈઝરાયલી સેનાએ અલ અહલી અરબી બાપટિસ્ટ હોસ્પિટલ પર એર સ્ટ્રાઈટક કરી હતી. ઈઝરાયેલે આ આરોપોને નકારી કાઢ્યો છે. 

Gaza hospital strike kills hundreds in blast; Hamas and Israel trade blame  as Biden heads to Mideast - ABC7 Chicago

શું કહ્યું ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ?

ઈઝરાયેલ દેશના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે આખી દુનિયા જાણે છે કે આ હુમલો બર્બર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેઓ આપણા બાળકોને મારી નાખે છે, તેઓ પોતાના બાળકોને પણ મારી નાખે છે. બીજી તરફ પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદે કહ્યું છે કે ઈઝરાયેલ ખોટા આરોપો લગાવીને પોતાની જવાબદારીથી બચવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈસ્લામિક જીહાદ પર આ બ્લાસ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીએમે આને લઈ ટ્વિટ કર્યું છે.

હોસ્પિટલમાં થયેલા હુમલા પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે. 

 ઈઝરાયલી સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હાગેરીએ કહ્યું કે, હોસ્પિટલમાં થયેલા મોત વિશે તેમને કોઈ જાણકારી નથી. તેના વિશે જાણકારી મળશે તો અપડેટ કરવામાં આવશે.

Surveillance video appears to show failed rocket launch causing Gaza  hospital blast | The Times of Israel



ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.

ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.

ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.