ISRO એ Vikram Landerની 3D તસવીર શેર કરી, તમને ચંદ્ર પર ચાલવાનો અહેસાસ કરાવશે


  • Published By :
  • Published Date : 2023-09-05 22:00:11

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની 3D તસવીર જાહેર કરી છે. તે સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે તેને જોવાની અસલી મજા 3D ચશ્મા દ્વારા આવશે. તે પણ રેડ અને સાયન 3D ચશ્માથી. વાસ્તવમાં, આ તસવીર પ્રજ્ઞાન રોવરે થોડા દિવસો પહેલા લેન્ડરથી 15 મીટર એટલે કે લગભગ 40 ફૂટના અંતરેથી ક્લિક કરી હતી.


NavCam દ્વારા લેવામાં આવી તસવીર


ISRO એ વિક્રમ લેન્ડરની આસપાસની સપાટીના ડાયમેન્શનને સ્ટીરિયો અને મલ્ટી-વ્યુ ઈમેજના સ્વરૂપમાં જારી કરી છે. ઈસરો તેને એનાગ્લિફ (Anaglyph) કહે છે. આ ફોટો પ્રજ્ઞાન રોવરના NavCam દ્વારા લેવામાં આવ્યો છે. જે બાદમાં નવકેમ સ્ટીરિયોમાં બદલવામાં આવ્યો.


ચંદ્ર પર હોય તેવી અનુભુતી કરાવે છે તસવીર


આ 3-ચેનલની તસવીર છે. તે વાસ્તવમાં બે ફોટાનું સંયોજન છે. એક તસવીર રેડ ચેનલ પર હતી. બીજી બ્લૂ અને ગ્રીન ચેનલ પર હતી. બંનેને મિક્સ કરીને આ તસવીર સામે આવી છે. જેના કારણે તસવીરને જોનારા દર્શકો વિક્રમ લેન્ડરને 3Dમાં જોશે. એટલે કે, તમને એવું લાગશે કે તમે ચંદ્ર પર ઉભા રહીને વિક્રમને જોઈ રહ્યા છો.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.