ISRO એ Vikram Landerની 3D તસવીર શેર કરી, તમને ચંદ્ર પર ચાલવાનો અહેસાસ કરાવશે


  • Published By :
  • Published Date : 2023-09-05 22:00:11

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની 3D તસવીર જાહેર કરી છે. તે સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે તેને જોવાની અસલી મજા 3D ચશ્મા દ્વારા આવશે. તે પણ રેડ અને સાયન 3D ચશ્માથી. વાસ્તવમાં, આ તસવીર પ્રજ્ઞાન રોવરે થોડા દિવસો પહેલા લેન્ડરથી 15 મીટર એટલે કે લગભગ 40 ફૂટના અંતરેથી ક્લિક કરી હતી.


NavCam દ્વારા લેવામાં આવી તસવીર


ISRO એ વિક્રમ લેન્ડરની આસપાસની સપાટીના ડાયમેન્શનને સ્ટીરિયો અને મલ્ટી-વ્યુ ઈમેજના સ્વરૂપમાં જારી કરી છે. ઈસરો તેને એનાગ્લિફ (Anaglyph) કહે છે. આ ફોટો પ્રજ્ઞાન રોવરના NavCam દ્વારા લેવામાં આવ્યો છે. જે બાદમાં નવકેમ સ્ટીરિયોમાં બદલવામાં આવ્યો.


ચંદ્ર પર હોય તેવી અનુભુતી કરાવે છે તસવીર


આ 3-ચેનલની તસવીર છે. તે વાસ્તવમાં બે ફોટાનું સંયોજન છે. એક તસવીર રેડ ચેનલ પર હતી. બીજી બ્લૂ અને ગ્રીન ચેનલ પર હતી. બંનેને મિક્સ કરીને આ તસવીર સામે આવી છે. જેના કારણે તસવીરને જોનારા દર્શકો વિક્રમ લેન્ડરને 3Dમાં જોશે. એટલે કે, તમને એવું લાગશે કે તમે ચંદ્ર પર ઉભા રહીને વિક્રમને જોઈ રહ્યા છો.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.