ISRO એ Vikram Landerની 3D તસવીર શેર કરી, તમને ચંદ્ર પર ચાલવાનો અહેસાસ કરાવશે


  • Published By :
  • Published Date : 2023-09-05 22:00:11

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની 3D તસવીર જાહેર કરી છે. તે સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે તેને જોવાની અસલી મજા 3D ચશ્મા દ્વારા આવશે. તે પણ રેડ અને સાયન 3D ચશ્માથી. વાસ્તવમાં, આ તસવીર પ્રજ્ઞાન રોવરે થોડા દિવસો પહેલા લેન્ડરથી 15 મીટર એટલે કે લગભગ 40 ફૂટના અંતરેથી ક્લિક કરી હતી.


NavCam દ્વારા લેવામાં આવી તસવીર


ISRO એ વિક્રમ લેન્ડરની આસપાસની સપાટીના ડાયમેન્શનને સ્ટીરિયો અને મલ્ટી-વ્યુ ઈમેજના સ્વરૂપમાં જારી કરી છે. ઈસરો તેને એનાગ્લિફ (Anaglyph) કહે છે. આ ફોટો પ્રજ્ઞાન રોવરના NavCam દ્વારા લેવામાં આવ્યો છે. જે બાદમાં નવકેમ સ્ટીરિયોમાં બદલવામાં આવ્યો.


ચંદ્ર પર હોય તેવી અનુભુતી કરાવે છે તસવીર


આ 3-ચેનલની તસવીર છે. તે વાસ્તવમાં બે ફોટાનું સંયોજન છે. એક તસવીર રેડ ચેનલ પર હતી. બીજી બ્લૂ અને ગ્રીન ચેનલ પર હતી. બંનેને મિક્સ કરીને આ તસવીર સામે આવી છે. જેના કારણે તસવીરને જોનારા દર્શકો વિક્રમ લેન્ડરને 3Dમાં જોશે. એટલે કે, તમને એવું લાગશે કે તમે ચંદ્ર પર ઉભા રહીને વિક્રમને જોઈ રહ્યા છો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે