ISROએ સફળતા પૂર્વક લોન્ચ કર્યું આદિત્ય-એલ 1, સાંભળો ઈસરોના વૈજ્ઞાનિકોએ શું કહ્યું Aditya L1 લોન્ચ થયા પછી?


  • Published By :
  • Published Date : 2023-09-02 18:20:57

થોડા દિવસોની અંદર જ ભારતે બીજી સફળતા હાંસલ કરી છે. 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3એ સોફ્ટ લોન્ચિંગ કર્યું હતું અને આજે સૂર્ય વિશે માહિતી મેળવવા માટે આદિત્ય એલ-1 મિશન લોન્ચ કરાયું છે. સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટાથી PSLV XL રોકેટની મદદથી આદિત્ય એલ-1ને લોન્ચ કરવામાં આવ્યું હતું. સૂર્યનું પરિક્ષણ કરવા માટે આ મિશન ઘણું મહત્વનું માનવામાં આવે છે. 15 લાખ કિલોમીટરનું અંતર કાપી સૂર્યયાન સૂર્યના લૈંગ્રેંજિયન-1 પોઈન્ટ પર પહોંચશે. અને અહીંયા સુધી પહોંચવા માટે આદિત્ય એલ-1ને 125 દિવસ લાગશે. 

મિશન લોન્ચ થયા બાદ છલકાઈ વૈજ્ઞાનિકોની ખુશી 

આદિત્ય એલ-1ના લોન્ચ થયા પછી મિશન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ મિશનના નિર્દેશક નિગાર શાજીએ કહ્યું હતું કે આ સપનું સાકાર થવા જેવું છે. મને બેહદ ખુશી છે કે આદિત્ય એલ-1ને પીએસએલવી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આદિત્ય એલ-1એ પોતાની 125 દિવસની યાત્રા શરૂ કરી દીધી છે. એકવાર આદિત્ય L-1 કાર્યરત થઈ જાય, તે દેશ અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય માટે એક મોટી સફળતા હશે. હું આ મિશનને શક્ય બનાવવા માટે તેમના સમર્થન અને માર્ગદર્શન માટે સમગ્ર ટીમનો આભાર માનું છું.


કેવી રીતે આદિત્ય એલ-1 પહોંચશે સૂર્ય સુધી? 

લોન્ચ થયાના 63 મિનીટ 19 સેકેન્ડ બાદ રોકેટે આદિત્ય એલ-1ને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં છોડ્યું હતું. એક અનુમાન પ્રમામણે આદિત્યયાન 4 મહિના પછી લેગ્રેન્જ પોઈન્ટ એટલે કે એલ-1 પોઈન્ટ પર પહોંચશે. સૂર્યના અભ્યાસ માટે આ પોઈન્ટ એટલા માટે સિલેક્ટ કરવામાં છે કારણ કે આ પોઈન્ટ પર ગ્રહણની અસર નથી થતી. સુર્યયાન 16 દિવસ સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેશે અને પાંચ વખત ફાયરિંગ થ્રસ્ટર્સ દ્વારા તેને ફાયરિંગ કરવામાં આવશે અને તે ભ્રમણકક્ષા વધારશે  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.