ISROએ સફળતા પૂર્વક લોન્ચ કર્યું આદિત્ય-એલ 1, સાંભળો ઈસરોના વૈજ્ઞાનિકોએ શું કહ્યું Aditya L1 લોન્ચ થયા પછી?


  • Published By :
  • Published Date : 2023-09-02 18:20:57

થોડા દિવસોની અંદર જ ભારતે બીજી સફળતા હાંસલ કરી છે. 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3એ સોફ્ટ લોન્ચિંગ કર્યું હતું અને આજે સૂર્ય વિશે માહિતી મેળવવા માટે આદિત્ય એલ-1 મિશન લોન્ચ કરાયું છે. સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટાથી PSLV XL રોકેટની મદદથી આદિત્ય એલ-1ને લોન્ચ કરવામાં આવ્યું હતું. સૂર્યનું પરિક્ષણ કરવા માટે આ મિશન ઘણું મહત્વનું માનવામાં આવે છે. 15 લાખ કિલોમીટરનું અંતર કાપી સૂર્યયાન સૂર્યના લૈંગ્રેંજિયન-1 પોઈન્ટ પર પહોંચશે. અને અહીંયા સુધી પહોંચવા માટે આદિત્ય એલ-1ને 125 દિવસ લાગશે. 

મિશન લોન્ચ થયા બાદ છલકાઈ વૈજ્ઞાનિકોની ખુશી 

આદિત્ય એલ-1ના લોન્ચ થયા પછી મિશન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ મિશનના નિર્દેશક નિગાર શાજીએ કહ્યું હતું કે આ સપનું સાકાર થવા જેવું છે. મને બેહદ ખુશી છે કે આદિત્ય એલ-1ને પીએસએલવી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આદિત્ય એલ-1એ પોતાની 125 દિવસની યાત્રા શરૂ કરી દીધી છે. એકવાર આદિત્ય L-1 કાર્યરત થઈ જાય, તે દેશ અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય માટે એક મોટી સફળતા હશે. હું આ મિશનને શક્ય બનાવવા માટે તેમના સમર્થન અને માર્ગદર્શન માટે સમગ્ર ટીમનો આભાર માનું છું.


કેવી રીતે આદિત્ય એલ-1 પહોંચશે સૂર્ય સુધી? 

લોન્ચ થયાના 63 મિનીટ 19 સેકેન્ડ બાદ રોકેટે આદિત્ય એલ-1ને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં છોડ્યું હતું. એક અનુમાન પ્રમામણે આદિત્યયાન 4 મહિના પછી લેગ્રેન્જ પોઈન્ટ એટલે કે એલ-1 પોઈન્ટ પર પહોંચશે. સૂર્યના અભ્યાસ માટે આ પોઈન્ટ એટલા માટે સિલેક્ટ કરવામાં છે કારણ કે આ પોઈન્ટ પર ગ્રહણની અસર નથી થતી. સુર્યયાન 16 દિવસ સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેશે અને પાંચ વખત ફાયરિંગ થ્રસ્ટર્સ દ્વારા તેને ફાયરિંગ કરવામાં આવશે અને તે ભ્રમણકક્ષા વધારશે  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે