ISROએ સફળતા પૂર્વક લોન્ચ કર્યું આદિત્ય-એલ 1, સાંભળો ઈસરોના વૈજ્ઞાનિકોએ શું કહ્યું Aditya L1 લોન્ચ થયા પછી?


  • Published By :
  • Published Date : 2023-09-02 18:20:57

થોડા દિવસોની અંદર જ ભારતે બીજી સફળતા હાંસલ કરી છે. 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3એ સોફ્ટ લોન્ચિંગ કર્યું હતું અને આજે સૂર્ય વિશે માહિતી મેળવવા માટે આદિત્ય એલ-1 મિશન લોન્ચ કરાયું છે. સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટાથી PSLV XL રોકેટની મદદથી આદિત્ય એલ-1ને લોન્ચ કરવામાં આવ્યું હતું. સૂર્યનું પરિક્ષણ કરવા માટે આ મિશન ઘણું મહત્વનું માનવામાં આવે છે. 15 લાખ કિલોમીટરનું અંતર કાપી સૂર્યયાન સૂર્યના લૈંગ્રેંજિયન-1 પોઈન્ટ પર પહોંચશે. અને અહીંયા સુધી પહોંચવા માટે આદિત્ય એલ-1ને 125 દિવસ લાગશે. 

મિશન લોન્ચ થયા બાદ છલકાઈ વૈજ્ઞાનિકોની ખુશી 

આદિત્ય એલ-1ના લોન્ચ થયા પછી મિશન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ મિશનના નિર્દેશક નિગાર શાજીએ કહ્યું હતું કે આ સપનું સાકાર થવા જેવું છે. મને બેહદ ખુશી છે કે આદિત્ય એલ-1ને પીએસએલવી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આદિત્ય એલ-1એ પોતાની 125 દિવસની યાત્રા શરૂ કરી દીધી છે. એકવાર આદિત્ય L-1 કાર્યરત થઈ જાય, તે દેશ અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય માટે એક મોટી સફળતા હશે. હું આ મિશનને શક્ય બનાવવા માટે તેમના સમર્થન અને માર્ગદર્શન માટે સમગ્ર ટીમનો આભાર માનું છું.


કેવી રીતે આદિત્ય એલ-1 પહોંચશે સૂર્ય સુધી? 

લોન્ચ થયાના 63 મિનીટ 19 સેકેન્ડ બાદ રોકેટે આદિત્ય એલ-1ને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં છોડ્યું હતું. એક અનુમાન પ્રમામણે આદિત્યયાન 4 મહિના પછી લેગ્રેન્જ પોઈન્ટ એટલે કે એલ-1 પોઈન્ટ પર પહોંચશે. સૂર્યના અભ્યાસ માટે આ પોઈન્ટ એટલા માટે સિલેક્ટ કરવામાં છે કારણ કે આ પોઈન્ટ પર ગ્રહણની અસર નથી થતી. સુર્યયાન 16 દિવસ સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેશે અને પાંચ વખત ફાયરિંગ થ્રસ્ટર્સ દ્વારા તેને ફાયરિંગ કરવામાં આવશે અને તે ભ્રમણકક્ષા વધારશે  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.