40 લાખ રૂપિયા ચૂકવીને સરકારી નોકરીએ લાગતા યુવાનો મુદ્દે AAP નેતા ઈસુદાન ગઢવીએ CMને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-02-28 18:21:57

આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ જાડેજાએ રાજ્યમાં ભરતી પરીક્ષા દરમિયાન ચાલતી ગોલમાલનો પર્દાફાસ કરવા માટે ગઈ કાલે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં તેમણે એક યુવકનો ભાંડો ફોડ્યો હતો. તેમણે કહ્યું કે મયુર તડવી નામનો એક યુવક કોઈ પરીક્ષા કે ફિઝિકલ ટેસ્ટ વગર જ કરાઈ સ્થિત પોલીસ એકેડેમીમાં PSIની ટ્રેનિંગ લઈ રહ્યો છે. તેમના આ નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે.



ઈસુદાન ગઠવીએ CMને લખ્યો પત્ર


આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં આપે સીધો આરોપ લગાવ્યો કેટલાક યુવાનો લાગતાવળગતાઓને 40 લાખ રૂપિયા ચૂકવીને નોકરીએ લાગ્યા છે. આ બાબત જ લાખો યુવાનોના સપનાઓ સાથે સીધી રમત છે. યુવાનોના ભવિષ્ય સાથે આવી રમત બિલકુલ ચલાવી લેવાય નહીં.


AAPએ કરી આ માંગણીઓ


1- પરીક્ષા વગર જ પાલીમ લેતા તાલીમાર્થીઓને હટાવવામાં આવે.


2- હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવે


3- આ SITની ટીમ 2014 બાદ તમામ પેપર લીક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તપાસ કરે.


4-SITની તપાસમાં જેમના નામો આવે તેમની સામે  તાત્કાલિક આકરી કાર્યવાહી કરવામાં આવે.


5- પેપર લીક અને નોકરી આપવાના કૌંભાંડોના તમામ કેસો ચોક્કસ સમય મર્યાદામાં પુરા કરવા માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે અને તે કોર્ટમાં આવા જ કેસો ચલાવવામાં આવે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.