40 લાખ રૂપિયા ચૂકવીને સરકારી નોકરીએ લાગતા યુવાનો મુદ્દે AAP નેતા ઈસુદાન ગઢવીએ CMને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-02-28 18:21:57

આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ જાડેજાએ રાજ્યમાં ભરતી પરીક્ષા દરમિયાન ચાલતી ગોલમાલનો પર્દાફાસ કરવા માટે ગઈ કાલે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં તેમણે એક યુવકનો ભાંડો ફોડ્યો હતો. તેમણે કહ્યું કે મયુર તડવી નામનો એક યુવક કોઈ પરીક્ષા કે ફિઝિકલ ટેસ્ટ વગર જ કરાઈ સ્થિત પોલીસ એકેડેમીમાં PSIની ટ્રેનિંગ લઈ રહ્યો છે. તેમના આ નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે.



ઈસુદાન ગઠવીએ CMને લખ્યો પત્ર


આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં આપે સીધો આરોપ લગાવ્યો કેટલાક યુવાનો લાગતાવળગતાઓને 40 લાખ રૂપિયા ચૂકવીને નોકરીએ લાગ્યા છે. આ બાબત જ લાખો યુવાનોના સપનાઓ સાથે સીધી રમત છે. યુવાનોના ભવિષ્ય સાથે આવી રમત બિલકુલ ચલાવી લેવાય નહીં.


AAPએ કરી આ માંગણીઓ


1- પરીક્ષા વગર જ પાલીમ લેતા તાલીમાર્થીઓને હટાવવામાં આવે.


2- હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવે


3- આ SITની ટીમ 2014 બાદ તમામ પેપર લીક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તપાસ કરે.


4-SITની તપાસમાં જેમના નામો આવે તેમની સામે  તાત્કાલિક આકરી કાર્યવાહી કરવામાં આવે.


5- પેપર લીક અને નોકરી આપવાના કૌંભાંડોના તમામ કેસો ચોક્કસ સમય મર્યાદામાં પુરા કરવા માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે અને તે કોર્ટમાં આવા જ કેસો ચલાવવામાં આવે.




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.