40 લાખ રૂપિયા ચૂકવીને સરકારી નોકરીએ લાગતા યુવાનો મુદ્દે AAP નેતા ઈસુદાન ગઢવીએ CMને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-02-28 18:21:57

આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ જાડેજાએ રાજ્યમાં ભરતી પરીક્ષા દરમિયાન ચાલતી ગોલમાલનો પર્દાફાસ કરવા માટે ગઈ કાલે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં તેમણે એક યુવકનો ભાંડો ફોડ્યો હતો. તેમણે કહ્યું કે મયુર તડવી નામનો એક યુવક કોઈ પરીક્ષા કે ફિઝિકલ ટેસ્ટ વગર જ કરાઈ સ્થિત પોલીસ એકેડેમીમાં PSIની ટ્રેનિંગ લઈ રહ્યો છે. તેમના આ નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે.



ઈસુદાન ગઠવીએ CMને લખ્યો પત્ર


આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં આપે સીધો આરોપ લગાવ્યો કેટલાક યુવાનો લાગતાવળગતાઓને 40 લાખ રૂપિયા ચૂકવીને નોકરીએ લાગ્યા છે. આ બાબત જ લાખો યુવાનોના સપનાઓ સાથે સીધી રમત છે. યુવાનોના ભવિષ્ય સાથે આવી રમત બિલકુલ ચલાવી લેવાય નહીં.


AAPએ કરી આ માંગણીઓ


1- પરીક્ષા વગર જ પાલીમ લેતા તાલીમાર્થીઓને હટાવવામાં આવે.


2- હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવે


3- આ SITની ટીમ 2014 બાદ તમામ પેપર લીક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તપાસ કરે.


4-SITની તપાસમાં જેમના નામો આવે તેમની સામે  તાત્કાલિક આકરી કાર્યવાહી કરવામાં આવે.


5- પેપર લીક અને નોકરી આપવાના કૌંભાંડોના તમામ કેસો ચોક્કસ સમય મર્યાદામાં પુરા કરવા માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે અને તે કોર્ટમાં આવા જ કેસો ચલાવવામાં આવે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.