ઇસુદાન ગઢવીએ કર્યા C.R.પાટિલ પર પ્રહાર !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 15:12:39

સુરતમાં રત્ન કલાકારો આપનો પ્રચાર કરવા પર નોકરીથી કાઢી મૂકવાની ધમકી આપનાર ઉધ્યોગપતિનું કાલે સી આર.પાટિલના હાથે ભાજપમાં પ્રવેશ કારયો. જેને લઈને AAPના નેતા ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી સાથે પાટિલ પર પ્રહાર કર્યા.

ઈસુદાન ગઢવીએ કહ્યું કે, હિરા ઉદ્યોગ વેપારીનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં વેપારી કારીગરોને ધમકી આપતો હતો કે તમે જો ફોનમાં કેજરીવાલનું સ્ટેટસ રાખશો તો હું તમને છૂટા કરી દઈશ. હિરા કર્મચારીઓ માંડ તેમનું ઘર ચલાવતા હોય ત્યારે હિરા વેપારીએ આવી ધમકી આવી અને ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલે ટ્વીટ કરીને સન્માન કર્યાનું જણાવ્યું ત્યારે ગુજરાતના ગરીબ, વંચિતોમાં નિરાશા ફેલાઈ ગઈ. આપણા દેશમાં લોકતંત્રમાં કોને મત આપવો, કોની વિચારધારા રાખવી તેની સ્વતંત્રતા છે. લોકતંત્રમાં નોકરીથી કાઢવાની વાત કરી એટલે પાટીલને મજા આવી.

 

વિજય નાયરની ધરપકડ પર પ્રતિક્રિયા

ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેજરીવાલ પર વિશ્વાસ વધી રહ્યો છે, એનાથી ડરીને ગુજરાતમાં કેજરીવાલ ડિસ્ટર્બ થાય. તેના માટે કેજરીવાલના એક સામાન્ય કાર્યકર વિજય નાયરની CBI ધરપકડ કરી છે. સ્ટ્રેટર્જી પ્લાનિંગમાં વિજય નાયરે પંજાબમાં ચૂંટણી જીતાડી ગુજરાતમાં પણ વિજય નાયર સ્ટ્રેટર્જી પ્લાનર હતા લિકર પોલિસી સાથે તેમનું કંઈ લેવા દેવા નથી. તે કોઈ પોસ્ટ પર પણ નથી.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .