ઇસુદાન ગઢવીએ કર્યા C.R.પાટિલ પર પ્રહાર !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 15:12:39

સુરતમાં રત્ન કલાકારો આપનો પ્રચાર કરવા પર નોકરીથી કાઢી મૂકવાની ધમકી આપનાર ઉધ્યોગપતિનું કાલે સી આર.પાટિલના હાથે ભાજપમાં પ્રવેશ કારયો. જેને લઈને AAPના નેતા ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી સાથે પાટિલ પર પ્રહાર કર્યા.

ઈસુદાન ગઢવીએ કહ્યું કે, હિરા ઉદ્યોગ વેપારીનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં વેપારી કારીગરોને ધમકી આપતો હતો કે તમે જો ફોનમાં કેજરીવાલનું સ્ટેટસ રાખશો તો હું તમને છૂટા કરી દઈશ. હિરા કર્મચારીઓ માંડ તેમનું ઘર ચલાવતા હોય ત્યારે હિરા વેપારીએ આવી ધમકી આવી અને ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલે ટ્વીટ કરીને સન્માન કર્યાનું જણાવ્યું ત્યારે ગુજરાતના ગરીબ, વંચિતોમાં નિરાશા ફેલાઈ ગઈ. આપણા દેશમાં લોકતંત્રમાં કોને મત આપવો, કોની વિચારધારા રાખવી તેની સ્વતંત્રતા છે. લોકતંત્રમાં નોકરીથી કાઢવાની વાત કરી એટલે પાટીલને મજા આવી.

 

વિજય નાયરની ધરપકડ પર પ્રતિક્રિયા

ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેજરીવાલ પર વિશ્વાસ વધી રહ્યો છે, એનાથી ડરીને ગુજરાતમાં કેજરીવાલ ડિસ્ટર્બ થાય. તેના માટે કેજરીવાલના એક સામાન્ય કાર્યકર વિજય નાયરની CBI ધરપકડ કરી છે. સ્ટ્રેટર્જી પ્લાનિંગમાં વિજય નાયરે પંજાબમાં ચૂંટણી જીતાડી ગુજરાતમાં પણ વિજય નાયર સ્ટ્રેટર્જી પ્લાનર હતા લિકર પોલિસી સાથે તેમનું કંઈ લેવા દેવા નથી. તે કોઈ પોસ્ટ પર પણ નથી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.