Loksabha Election પહેલા Rahul Gandhi Gujaratના પ્રવાસે, Bharat Jodo Nyay Yatraમાં જોવા મળશે Isudan Gadhvi,Gopal Italia, Chaitar Vasava


  • Published By :
  • Published Date : 2024-03-07 16:04:39

ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે જેમાં અનેક રાજ્યો કવર થઈ જાય અને અનેક બેઠકો પણ કવર થઈ જાય. મણિપુરથી આ યાત્રાનો પ્રારંભ થયો છે અને આ યાત્રા આજે ગુજરાતમાં આવવાની છે. એક તરફ કોંગ્રેસનું સંગઠન નબળું પડી રહ્યું છે તો બીજી બાજુ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત આવી રહી છે. એવી માહિતી સામે આવી છે કે આ યાત્રામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો, કાર્યકર્તાઓ પણ જોડાવાના છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને ફોન કર્યો હતો અને યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું.

  

આમ આદમી પાર્ટીના નેતાઓ, લોકસભા ઉમેદવારો દેખાશે યાત્રામાં 

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની 26 બેઠકો માટે ગઠબંધન થયું છે. 24 બેઠકો પર કોંગ્રેસ લડશે અને બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે. આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યાત્રામાં સામેલ થયા છે. આમ આદમી પાર્ટીને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવા માટે કોંગ્રેસ તરફથી આમંત્રણ મળ્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી ચૈતર વસાવા સહિતના નેતાઓ દેખાઈ શકે છે. 



ચૈતર વસાવા જોડાવાના છે ભારત જોડો ન્યાય યાત્રામાં 

ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ દેખાવાના છે. જમાવટની ટીમે જ્યારે ચૈતર વસાવાને પૂછ્યું કે તેઓ ભારત જોડો ન્યાયમાં જોડાવાના છે કે નહીં? તો તેમણે જવાબ આપ્યો કે તે આ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે. મહત્વનું છે કે ગઠબંધન થયા બાદ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર નહીં પરંતુ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. ત્યારે જોવાનું રહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં કમાલ કરી શકે છે કે નહીં?   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.