Loksabha Election પહેલા Rahul Gandhi Gujaratના પ્રવાસે, Bharat Jodo Nyay Yatraમાં જોવા મળશે Isudan Gadhvi,Gopal Italia, Chaitar Vasava


  • Published By :
  • Published Date : 2024-03-07 16:04:39

ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે જેમાં અનેક રાજ્યો કવર થઈ જાય અને અનેક બેઠકો પણ કવર થઈ જાય. મણિપુરથી આ યાત્રાનો પ્રારંભ થયો છે અને આ યાત્રા આજે ગુજરાતમાં આવવાની છે. એક તરફ કોંગ્રેસનું સંગઠન નબળું પડી રહ્યું છે તો બીજી બાજુ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત આવી રહી છે. એવી માહિતી સામે આવી છે કે આ યાત્રામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો, કાર્યકર્તાઓ પણ જોડાવાના છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને ફોન કર્યો હતો અને યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું.

  

આમ આદમી પાર્ટીના નેતાઓ, લોકસભા ઉમેદવારો દેખાશે યાત્રામાં 

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની 26 બેઠકો માટે ગઠબંધન થયું છે. 24 બેઠકો પર કોંગ્રેસ લડશે અને બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે. આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યાત્રામાં સામેલ થયા છે. આમ આદમી પાર્ટીને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવા માટે કોંગ્રેસ તરફથી આમંત્રણ મળ્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી ચૈતર વસાવા સહિતના નેતાઓ દેખાઈ શકે છે. 



ચૈતર વસાવા જોડાવાના છે ભારત જોડો ન્યાય યાત્રામાં 

ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ દેખાવાના છે. જમાવટની ટીમે જ્યારે ચૈતર વસાવાને પૂછ્યું કે તેઓ ભારત જોડો ન્યાયમાં જોડાવાના છે કે નહીં? તો તેમણે જવાબ આપ્યો કે તે આ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે. મહત્વનું છે કે ગઠબંધન થયા બાદ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર નહીં પરંતુ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. ત્યારે જોવાનું રહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં કમાલ કરી શકે છે કે નહીં?   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.