Loksabha Election પહેલા Rahul Gandhi Gujaratના પ્રવાસે, Bharat Jodo Nyay Yatraમાં જોવા મળશે Isudan Gadhvi,Gopal Italia, Chaitar Vasava


  • Published By :
  • Published Date : 2024-03-07 16:04:39

ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે જેમાં અનેક રાજ્યો કવર થઈ જાય અને અનેક બેઠકો પણ કવર થઈ જાય. મણિપુરથી આ યાત્રાનો પ્રારંભ થયો છે અને આ યાત્રા આજે ગુજરાતમાં આવવાની છે. એક તરફ કોંગ્રેસનું સંગઠન નબળું પડી રહ્યું છે તો બીજી બાજુ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત આવી રહી છે. એવી માહિતી સામે આવી છે કે આ યાત્રામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો, કાર્યકર્તાઓ પણ જોડાવાના છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને ફોન કર્યો હતો અને યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું.

  

આમ આદમી પાર્ટીના નેતાઓ, લોકસભા ઉમેદવારો દેખાશે યાત્રામાં 

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની 26 બેઠકો માટે ગઠબંધન થયું છે. 24 બેઠકો પર કોંગ્રેસ લડશે અને બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે. આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યાત્રામાં સામેલ થયા છે. આમ આદમી પાર્ટીને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવા માટે કોંગ્રેસ તરફથી આમંત્રણ મળ્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી ચૈતર વસાવા સહિતના નેતાઓ દેખાઈ શકે છે. 



ચૈતર વસાવા જોડાવાના છે ભારત જોડો ન્યાય યાત્રામાં 

ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ દેખાવાના છે. જમાવટની ટીમે જ્યારે ચૈતર વસાવાને પૂછ્યું કે તેઓ ભારત જોડો ન્યાયમાં જોડાવાના છે કે નહીં? તો તેમણે જવાબ આપ્યો કે તે આ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે. મહત્વનું છે કે ગઠબંધન થયા બાદ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર નહીં પરંતુ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. ત્યારે જોવાનું રહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં કમાલ કરી શકે છે કે નહીં?   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે