AAPના ધારાસભ્ય Chaitar Vasavaના પત્નીની ધરપકડ બાદ બગડી તબિયત, Isudan Gadhviએ લીધી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-11-08 13:12:09

થોડા દિવસો પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. જ્યારથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારથી ચૈતર વસાવા ફરાર છે. ચૈતર વસાવાની ધરપકડ કરવા માટે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ચૈતર વસાવા તો ફરાર છે પરંતુ તેમની પત્નીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ચૈતર વસાવા મામલે રોજે નવી અપડેટ આવી રહી છે. ત્યારે આજે અપડેટ આવ્યા કે જે પત્નીની ધરપકડ કરવામાં આવી છે તેમની તબિયત લથડી છે અને હોસ્પિટલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેતા શકુંતલા વસાવાની તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમની ખબર અંતર પૂછવા માટે ઈસુદાન ગઢવી હોસ્પિટલ પહોંચ્યા હતા. 

ચૈતર વસાવાના પત્નીની બગડી તબિયત 

ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તેમની ધરપકડ કરવા માટે તેમની શોધખોળ કરી રહી છે કારણ કે જ્યારથી તેમના વિરૂદ્ધ કેસ દાખલ થયો છે ત્યારથી તે ફરાર છે. ચૈતર વસાવાની ધરપકડ તો નથી થઈ પરંતુ તેમના પત્નીની ધરપકડ પોલીસે કરી લીધી હતી. આ કેસમાં રોજે નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. ડેડિયાપાડા યુવરાજસિંહ જઈ રહ્યા હતા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા હતા. ત્યારે આજે આ મામલે નવી અપડેટ સામે આવી છે જેમાં તેમના પત્ની જે પોલીસ કસ્ટડીમાં હતા તેમની તબિયત લથડી છે. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈસુદાન ગઢવીએ હોસ્પિટલમાં દાખલ થયેલા શકુંતલા વસાવાની મુલાકાત લીધી હતી. 


અલગ અલગ જગ્યાઓ પર આપના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ   

એક બાજુ ચૈતર વસાવાની પત્નીની તબિયત લથડી તો આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી રાજપીપળા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા. ત્યાં તેમણે ફરી એકવાર કહ્યું કે ટાઇગર અભી ડરા નહીં. એટલું જ નહીં ચૈતર વસાવા પર થયેલો કેસ પાછો ખેચવા રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી હતી. ગઈકાલે બનાસકાંઠાના અમીરગઢમાં પણ આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને મામલતદારને આવેદન પત્ર સોંપવામાં આવ્યો હતો.  હવે આ મુદ્દો દિન પ્રતિદિન ઉગ્ર બનતો જઈ રહ્યો છે.      



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.