AAPના ધારાસભ્ય Chaitar Vasavaના પત્નીની ધરપકડ બાદ બગડી તબિયત, Isudan Gadhviએ લીધી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-11-08 13:12:09

થોડા દિવસો પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. જ્યારથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારથી ચૈતર વસાવા ફરાર છે. ચૈતર વસાવાની ધરપકડ કરવા માટે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ચૈતર વસાવા તો ફરાર છે પરંતુ તેમની પત્નીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ચૈતર વસાવા મામલે રોજે નવી અપડેટ આવી રહી છે. ત્યારે આજે અપડેટ આવ્યા કે જે પત્નીની ધરપકડ કરવામાં આવી છે તેમની તબિયત લથડી છે અને હોસ્પિટલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેતા શકુંતલા વસાવાની તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમની ખબર અંતર પૂછવા માટે ઈસુદાન ગઢવી હોસ્પિટલ પહોંચ્યા હતા. 

ચૈતર વસાવાના પત્નીની બગડી તબિયત 

ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તેમની ધરપકડ કરવા માટે તેમની શોધખોળ કરી રહી છે કારણ કે જ્યારથી તેમના વિરૂદ્ધ કેસ દાખલ થયો છે ત્યારથી તે ફરાર છે. ચૈતર વસાવાની ધરપકડ તો નથી થઈ પરંતુ તેમના પત્નીની ધરપકડ પોલીસે કરી લીધી હતી. આ કેસમાં રોજે નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. ડેડિયાપાડા યુવરાજસિંહ જઈ રહ્યા હતા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા હતા. ત્યારે આજે આ મામલે નવી અપડેટ સામે આવી છે જેમાં તેમના પત્ની જે પોલીસ કસ્ટડીમાં હતા તેમની તબિયત લથડી છે. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈસુદાન ગઢવીએ હોસ્પિટલમાં દાખલ થયેલા શકુંતલા વસાવાની મુલાકાત લીધી હતી. 


અલગ અલગ જગ્યાઓ પર આપના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ   

એક બાજુ ચૈતર વસાવાની પત્નીની તબિયત લથડી તો આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી રાજપીપળા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા. ત્યાં તેમણે ફરી એકવાર કહ્યું કે ટાઇગર અભી ડરા નહીં. એટલું જ નહીં ચૈતર વસાવા પર થયેલો કેસ પાછો ખેચવા રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી હતી. ગઈકાલે બનાસકાંઠાના અમીરગઢમાં પણ આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને મામલતદારને આવેદન પત્ર સોંપવામાં આવ્યો હતો.  હવે આ મુદ્દો દિન પ્રતિદિન ઉગ્ર બનતો જઈ રહ્યો છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.