AAPના ધારાસભ્ય Chaitar Vasavaના પત્નીની ધરપકડ બાદ બગડી તબિયત, Isudan Gadhviએ લીધી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-11-08 13:12:09

થોડા દિવસો પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. જ્યારથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારથી ચૈતર વસાવા ફરાર છે. ચૈતર વસાવાની ધરપકડ કરવા માટે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ચૈતર વસાવા તો ફરાર છે પરંતુ તેમની પત્નીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ચૈતર વસાવા મામલે રોજે નવી અપડેટ આવી રહી છે. ત્યારે આજે અપડેટ આવ્યા કે જે પત્નીની ધરપકડ કરવામાં આવી છે તેમની તબિયત લથડી છે અને હોસ્પિટલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેતા શકુંતલા વસાવાની તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમની ખબર અંતર પૂછવા માટે ઈસુદાન ગઢવી હોસ્પિટલ પહોંચ્યા હતા. 

ચૈતર વસાવાના પત્નીની બગડી તબિયત 

ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તેમની ધરપકડ કરવા માટે તેમની શોધખોળ કરી રહી છે કારણ કે જ્યારથી તેમના વિરૂદ્ધ કેસ દાખલ થયો છે ત્યારથી તે ફરાર છે. ચૈતર વસાવાની ધરપકડ તો નથી થઈ પરંતુ તેમના પત્નીની ધરપકડ પોલીસે કરી લીધી હતી. આ કેસમાં રોજે નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. ડેડિયાપાડા યુવરાજસિંહ જઈ રહ્યા હતા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા હતા. ત્યારે આજે આ મામલે નવી અપડેટ સામે આવી છે જેમાં તેમના પત્ની જે પોલીસ કસ્ટડીમાં હતા તેમની તબિયત લથડી છે. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈસુદાન ગઢવીએ હોસ્પિટલમાં દાખલ થયેલા શકુંતલા વસાવાની મુલાકાત લીધી હતી. 


અલગ અલગ જગ્યાઓ પર આપના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ   

એક બાજુ ચૈતર વસાવાની પત્નીની તબિયત લથડી તો આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી રાજપીપળા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા. ત્યાં તેમણે ફરી એકવાર કહ્યું કે ટાઇગર અભી ડરા નહીં. એટલું જ નહીં ચૈતર વસાવા પર થયેલો કેસ પાછો ખેચવા રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી હતી. ગઈકાલે બનાસકાંઠાના અમીરગઢમાં પણ આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને મામલતદારને આવેદન પત્ર સોંપવામાં આવ્યો હતો.  હવે આ મુદ્દો દિન પ્રતિદિન ઉગ્ર બનતો જઈ રહ્યો છે.      



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી