Media Lineમાં પાછા આવશે Isudan Gadhvi! ટીવી ચેનલ પર કરી શકે છે મહામંથન જેવો કાર્યક્રમ, આવી અટકળો વચ્ચે તેમણે શું કરી ટ્વિટ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-25 16:49:22

મીડિયા ઈન્ડસ્ટ્રીમાં બેક્રિંગ ન્યુઝની રાહ જોવાતી હોય છે એમાં પણ રાજકારણીઓની હલચલ પર, તેમના ટ્વિટ પર નજર રહેતી હોય છે. રાજકારણથી જો કોઈ બ્રેકિંગ ન્યુઝ આવતા હોય તો તે ચર્ચાનો વિષય બનતા હોય છે. ત્યારે આજે સવારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને લઈ એક સમાચાર આવ્યા. રાજકારણમાં જોડાય તે પહેલા ઈસુદાન ગઢવી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ન્યુઝ ચેનલ સાથે ઈસુદાન ગઢવી જોડાઈ શકે છે અને ડિબેટ શો પણ કરી શકે છે.  

ન્યુઝ ઈન્ડસ્ટ્રીમાં ફરી પાછા આવી શકે છે ઈસુદાન ગઢવી

ન્યુઝ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી જોઈન કરી. પત્રકાર તરીકે તેઓ લોકોના પ્રશ્નોનો મુદ્દો ઉઠાવતા હતા પોતાના મહામંથન કાર્યક્રમમાં. પરંતુ આમ આદમી પાર્ટીમાં જોડાયા તે બાદ તેમણે મીડિયા લાઈન છોડી દીધી હતી. રાજકારણમાં સક્રિય થઈ ગયા અને તે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા. આ બધા વચ્ચે આજે એવી માહિતી સામે આવી કે ફરી એક વખત ઈસુદાન ગઢવી પત્રકારની ભૂમિકામાં જોવા મળી શકે છે. એક ન્યુઝ ચેનલમાં તેઓ મહામંથન જેવો કાર્યક્રમ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.   

અફવાઓ વચ્ચે ઈસુદાન ગઢવીએ કરી ટ્વિટ - ટાઈગર અભી જીંદા હેં!

આવી વાતો, આવી અટકળો ચાલી રહી હતી ત્યારે ઈસુદાન ગઢવીએ એક ટ્વિટ કરી હતી. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું કે ટાઈગરે બે ડગલા પાછળ ભર્યા હોય તો લોકો એવું વિચારતા થઈ ગયા હોય કે ટાઈગર ડરી ગયો છે! કદાચ એમને એ અંદાજ નહીં હોય કે ટાઈગર બે ડગલાં પાછળ ભરે તો સમજવું કે એ વધુ જોમ અને જુસ્સા સાથે હુમલો કરવાની પેરવીમાં પણ હોય! ટાઈગર અભી જિંદા હૈ! 


રાજનીતિ છોડવાનો કોઈ સવાલ જ નથી - ઈસુદાન ગઢવી 

આ ટ્વિટ બાદ એવી અટકળોએ જોર પકડ્યું કે શું ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે. એવી પણ ચર્ચાઓ થવા લાગી કે શું રાજકારણમાં આવ્યા પછી ઈસુદાન ગઢવીના ડગલા પાછળ પડ્યા છે વગેરે વગેરે.... આ હજી અટકળો ચાલી રહી હતી ત્યારે વધુ એક ટ્વિટ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી જેમાં તેમણે લખ્યું કે હું આમ આદમી પાર્ટીનો અધ્યક્ષ છું અને રહીશ! રાજનીતિ લોકોની સેવા માટે પસંદ કરી છે અને એ છોડવાનો કોઈ સવાલ જ નથી! અને મરતા દમ સુધી અન્યાયની સામે રાજનીતિમાં રહીને લડવાનો છું! ટાઈગર અભી જિંદા હૈં!    

Kerala: Congress, BJP Oppose Speaker's Comments on Pseudo Science, CPI(M)  Refutes Allegations of Hurting Religious Beliefs | NewsClick

શું ડિબેટમાં જોડે બેસશે ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તા? 

મહત્વનું છે કે જો ટીવી ચેનલમાં ઈસુદાન ગઢવી ડિબેટ શો કરે છે તો શું ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તા ડિબેટ શોમાં બેસશે? રાજનીતિ અને પત્રકારત્વ બંને એક સાથે કરશે ઈસુદાન ગઢવી? જો આ અટકળો સાચી હોય તો જોવું એ રહ્યું કે કઈ ચેનલ સાથે જોડાય છે તે જોવું રહ્યું.  



ગુજરાતના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે... એપ્રિલ મહિનામાં ભારે તાપ સહન કરવો પડ્યો હતો અને મે મહિનામાં ગરમી સહન કરવી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે...

વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

વિજાપુર વિધાનસભાના બીજેપી નેતા સી.જે.ચાવડા અને જયરાજસિંહ પરમાર દ્વારા અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો છે. જ રાત્રે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે સમગ્ર વિસ્તારના મહિલા ભજન મંડળો બોલાવી સત્સંગનો કાર્યક્રમ યોજ્યો હતો..

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.