Media Lineમાં પાછા આવશે Isudan Gadhvi! ટીવી ચેનલ પર કરી શકે છે મહામંથન જેવો કાર્યક્રમ, આવી અટકળો વચ્ચે તેમણે શું કરી ટ્વિટ?


  • Published By :
  • Published Date : 2023-10-25 16:49:22

મીડિયા ઈન્ડસ્ટ્રીમાં બેક્રિંગ ન્યુઝની રાહ જોવાતી હોય છે એમાં પણ રાજકારણીઓની હલચલ પર, તેમના ટ્વિટ પર નજર રહેતી હોય છે. રાજકારણથી જો કોઈ બ્રેકિંગ ન્યુઝ આવતા હોય તો તે ચર્ચાનો વિષય બનતા હોય છે. ત્યારે આજે સવારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને લઈ એક સમાચાર આવ્યા. રાજકારણમાં જોડાય તે પહેલા ઈસુદાન ગઢવી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ન્યુઝ ચેનલ સાથે ઈસુદાન ગઢવી જોડાઈ શકે છે અને ડિબેટ શો પણ કરી શકે છે.  

ન્યુઝ ઈન્ડસ્ટ્રીમાં ફરી પાછા આવી શકે છે ઈસુદાન ગઢવી

ન્યુઝ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી જોઈન કરી. પત્રકાર તરીકે તેઓ લોકોના પ્રશ્નોનો મુદ્દો ઉઠાવતા હતા પોતાના મહામંથન કાર્યક્રમમાં. પરંતુ આમ આદમી પાર્ટીમાં જોડાયા તે બાદ તેમણે મીડિયા લાઈન છોડી દીધી હતી. રાજકારણમાં સક્રિય થઈ ગયા અને તે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા. આ બધા વચ્ચે આજે એવી માહિતી સામે આવી કે ફરી એક વખત ઈસુદાન ગઢવી પત્રકારની ભૂમિકામાં જોવા મળી શકે છે. એક ન્યુઝ ચેનલમાં તેઓ મહામંથન જેવો કાર્યક્રમ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.   

અફવાઓ વચ્ચે ઈસુદાન ગઢવીએ કરી ટ્વિટ - ટાઈગર અભી જીંદા હેં!

આવી વાતો, આવી અટકળો ચાલી રહી હતી ત્યારે ઈસુદાન ગઢવીએ એક ટ્વિટ કરી હતી. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું કે ટાઈગરે બે ડગલા પાછળ ભર્યા હોય તો લોકો એવું વિચારતા થઈ ગયા હોય કે ટાઈગર ડરી ગયો છે! કદાચ એમને એ અંદાજ નહીં હોય કે ટાઈગર બે ડગલાં પાછળ ભરે તો સમજવું કે એ વધુ જોમ અને જુસ્સા સાથે હુમલો કરવાની પેરવીમાં પણ હોય! ટાઈગર અભી જિંદા હૈ! 


રાજનીતિ છોડવાનો કોઈ સવાલ જ નથી - ઈસુદાન ગઢવી 

આ ટ્વિટ બાદ એવી અટકળોએ જોર પકડ્યું કે શું ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે. એવી પણ ચર્ચાઓ થવા લાગી કે શું રાજકારણમાં આવ્યા પછી ઈસુદાન ગઢવીના ડગલા પાછળ પડ્યા છે વગેરે વગેરે.... આ હજી અટકળો ચાલી રહી હતી ત્યારે વધુ એક ટ્વિટ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી જેમાં તેમણે લખ્યું કે હું આમ આદમી પાર્ટીનો અધ્યક્ષ છું અને રહીશ! રાજનીતિ લોકોની સેવા માટે પસંદ કરી છે અને એ છોડવાનો કોઈ સવાલ જ નથી! અને મરતા દમ સુધી અન્યાયની સામે રાજનીતિમાં રહીને લડવાનો છું! ટાઈગર અભી જિંદા હૈં!    

Kerala: Congress, BJP Oppose Speaker's Comments on Pseudo Science, CPI(M)  Refutes Allegations of Hurting Religious Beliefs | NewsClick

શું ડિબેટમાં જોડે બેસશે ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તા? 

મહત્વનું છે કે જો ટીવી ચેનલમાં ઈસુદાન ગઢવી ડિબેટ શો કરે છે તો શું ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તા ડિબેટ શોમાં બેસશે? રાજનીતિ અને પત્રકારત્વ બંને એક સાથે કરશે ઈસુદાન ગઢવી? જો આ અટકળો સાચી હોય તો જોવું એ રહ્યું કે કઈ ચેનલ સાથે જોડાય છે તે જોવું રહ્યું.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.