Media Lineમાં પાછા આવશે Isudan Gadhvi! ટીવી ચેનલ પર કરી શકે છે મહામંથન જેવો કાર્યક્રમ, આવી અટકળો વચ્ચે તેમણે શું કરી ટ્વિટ?


  • Published By :
  • Published Date : 2023-10-25 16:49:22

મીડિયા ઈન્ડસ્ટ્રીમાં બેક્રિંગ ન્યુઝની રાહ જોવાતી હોય છે એમાં પણ રાજકારણીઓની હલચલ પર, તેમના ટ્વિટ પર નજર રહેતી હોય છે. રાજકારણથી જો કોઈ બ્રેકિંગ ન્યુઝ આવતા હોય તો તે ચર્ચાનો વિષય બનતા હોય છે. ત્યારે આજે સવારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને લઈ એક સમાચાર આવ્યા. રાજકારણમાં જોડાય તે પહેલા ઈસુદાન ગઢવી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ન્યુઝ ચેનલ સાથે ઈસુદાન ગઢવી જોડાઈ શકે છે અને ડિબેટ શો પણ કરી શકે છે.  

ન્યુઝ ઈન્ડસ્ટ્રીમાં ફરી પાછા આવી શકે છે ઈસુદાન ગઢવી

ન્યુઝ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી જોઈન કરી. પત્રકાર તરીકે તેઓ લોકોના પ્રશ્નોનો મુદ્દો ઉઠાવતા હતા પોતાના મહામંથન કાર્યક્રમમાં. પરંતુ આમ આદમી પાર્ટીમાં જોડાયા તે બાદ તેમણે મીડિયા લાઈન છોડી દીધી હતી. રાજકારણમાં સક્રિય થઈ ગયા અને તે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા. આ બધા વચ્ચે આજે એવી માહિતી સામે આવી કે ફરી એક વખત ઈસુદાન ગઢવી પત્રકારની ભૂમિકામાં જોવા મળી શકે છે. એક ન્યુઝ ચેનલમાં તેઓ મહામંથન જેવો કાર્યક્રમ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.   

અફવાઓ વચ્ચે ઈસુદાન ગઢવીએ કરી ટ્વિટ - ટાઈગર અભી જીંદા હેં!

આવી વાતો, આવી અટકળો ચાલી રહી હતી ત્યારે ઈસુદાન ગઢવીએ એક ટ્વિટ કરી હતી. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું કે ટાઈગરે બે ડગલા પાછળ ભર્યા હોય તો લોકો એવું વિચારતા થઈ ગયા હોય કે ટાઈગર ડરી ગયો છે! કદાચ એમને એ અંદાજ નહીં હોય કે ટાઈગર બે ડગલાં પાછળ ભરે તો સમજવું કે એ વધુ જોમ અને જુસ્સા સાથે હુમલો કરવાની પેરવીમાં પણ હોય! ટાઈગર અભી જિંદા હૈ! 


રાજનીતિ છોડવાનો કોઈ સવાલ જ નથી - ઈસુદાન ગઢવી 

આ ટ્વિટ બાદ એવી અટકળોએ જોર પકડ્યું કે શું ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે. એવી પણ ચર્ચાઓ થવા લાગી કે શું રાજકારણમાં આવ્યા પછી ઈસુદાન ગઢવીના ડગલા પાછળ પડ્યા છે વગેરે વગેરે.... આ હજી અટકળો ચાલી રહી હતી ત્યારે વધુ એક ટ્વિટ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી જેમાં તેમણે લખ્યું કે હું આમ આદમી પાર્ટીનો અધ્યક્ષ છું અને રહીશ! રાજનીતિ લોકોની સેવા માટે પસંદ કરી છે અને એ છોડવાનો કોઈ સવાલ જ નથી! અને મરતા દમ સુધી અન્યાયની સામે રાજનીતિમાં રહીને લડવાનો છું! ટાઈગર અભી જિંદા હૈં!    

Kerala: Congress, BJP Oppose Speaker's Comments on Pseudo Science, CPI(M)  Refutes Allegations of Hurting Religious Beliefs | NewsClick

શું ડિબેટમાં જોડે બેસશે ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તા? 

મહત્વનું છે કે જો ટીવી ચેનલમાં ઈસુદાન ગઢવી ડિબેટ શો કરે છે તો શું ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તા ડિબેટ શોમાં બેસશે? રાજનીતિ અને પત્રકારત્વ બંને એક સાથે કરશે ઈસુદાન ગઢવી? જો આ અટકળો સાચી હોય તો જોવું એ રહ્યું કે કઈ ચેનલ સાથે જોડાય છે તે જોવું રહ્યું.  



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.