લો બોલો! હવે આ રીતે બ્લેકના વ્હાઈટ કરી નાખે છે રૂપિયા, પાર્ટી ઉભી કરો, અને જાતે જ ફંડ આપો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 14:28:19

પોલિટિકલ ફંડિંગ મામલે ભારતના 100 જેટલા સ્થળો પર આયકર વિભાગે દરો઼ડા પાડ્યા છે. હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. ગુજરાતના અનેક સ્થળો પર પણ આયકર વિભાગે દરોડા પાડ્યા છે. આજે વહેલી સવારે અમદાવાદના સિલ્વર ઑક યુનિવર્સિટીમાં અને 2022ની વિધાનસભા ચૂંટણી લડી રહેલી ગરવી ગુજરાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહ ઠાકોરના અસારવા ખાતેના ઘરે પણ ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. અમદાવાદના સીજી રોડ પરના સીએ ફર્મમાં પણ રેડ પડી હતી. આ સિવાય રાજસ્થાન સરકારના ગૃહમંત્રીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. 

શા માટે આયકર વિભાગે દરોડા પાડ્યા?


જમાવટ મીડિયાને મળતી માહિતી મુજાબ પોલિટિકલ ફંડિંગ એટલે કે રાજકીય રીતે ચૂંટણી લડવામાં જે રૂપિયા ભેગા કરાતા હોય છે અને રાજકીય પાર્ટીના ભંડોળમાં એકત્રિત કરાતા હોય છે તેવા સ્થાનો પર આયકર વિભાગે દરોડા પાડ્યા છે. પ્રાથમીક મળી હતી કે સિલ્વર ઑક યુનિવર્સિટીના મુખ્ય વ્યક્તિએ ચોક્કસ પાર્ટીને ફંડ આપ્યું હતું. સમગ્ર મામલાને ધ્યાને રાખી ચૂંટણી પહેલા ચોક્કસ રાજકીય પક્ષને ટેકો ના પહોંચે તેના માટે દરોડા પાડવામાં આવ્યા હતા.  


પોલિટીકલ ફંડીંગ નહીં, પૈસા બ્લેકના વ્હાઈટ કરવાનો સંભવિત ખેલ

કેટલીય મોટી કંપની અને લોકો હવે ટેક્સ બચાવવાના નામે ફેક પાર્ટી ઉભી કરે છે, અને પોતાની જ ઉભી કરેલી પાર્ટીને ફંડ કરે છે, આના કારણે પૈસા બ્લેકના વ્હાઈટ થઈ જાય અને પોતાની પાસે જ રહે, જો કે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ધ્યાને આ વાત આવતા એમણે તરત જ કાર્યવાહ શરૂ કરી છે, દેશભરમાં 100થી વધુ જગ્યાએ આ દરોડા પડી રહ્યા છે 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.