લો બોલો! હવે આ રીતે બ્લેકના વ્હાઈટ કરી નાખે છે રૂપિયા, પાર્ટી ઉભી કરો, અને જાતે જ ફંડ આપો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 14:28:19

પોલિટિકલ ફંડિંગ મામલે ભારતના 100 જેટલા સ્થળો પર આયકર વિભાગે દરો઼ડા પાડ્યા છે. હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. ગુજરાતના અનેક સ્થળો પર પણ આયકર વિભાગે દરોડા પાડ્યા છે. આજે વહેલી સવારે અમદાવાદના સિલ્વર ઑક યુનિવર્સિટીમાં અને 2022ની વિધાનસભા ચૂંટણી લડી રહેલી ગરવી ગુજરાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહ ઠાકોરના અસારવા ખાતેના ઘરે પણ ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. અમદાવાદના સીજી રોડ પરના સીએ ફર્મમાં પણ રેડ પડી હતી. આ સિવાય રાજસ્થાન સરકારના ગૃહમંત્રીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. 

શા માટે આયકર વિભાગે દરોડા પાડ્યા?


જમાવટ મીડિયાને મળતી માહિતી મુજાબ પોલિટિકલ ફંડિંગ એટલે કે રાજકીય રીતે ચૂંટણી લડવામાં જે રૂપિયા ભેગા કરાતા હોય છે અને રાજકીય પાર્ટીના ભંડોળમાં એકત્રિત કરાતા હોય છે તેવા સ્થાનો પર આયકર વિભાગે દરોડા પાડ્યા છે. પ્રાથમીક મળી હતી કે સિલ્વર ઑક યુનિવર્સિટીના મુખ્ય વ્યક્તિએ ચોક્કસ પાર્ટીને ફંડ આપ્યું હતું. સમગ્ર મામલાને ધ્યાને રાખી ચૂંટણી પહેલા ચોક્કસ રાજકીય પક્ષને ટેકો ના પહોંચે તેના માટે દરોડા પાડવામાં આવ્યા હતા.  


પોલિટીકલ ફંડીંગ નહીં, પૈસા બ્લેકના વ્હાઈટ કરવાનો સંભવિત ખેલ

કેટલીય મોટી કંપની અને લોકો હવે ટેક્સ બચાવવાના નામે ફેક પાર્ટી ઉભી કરે છે, અને પોતાની જ ઉભી કરેલી પાર્ટીને ફંડ કરે છે, આના કારણે પૈસા બ્લેકના વ્હાઈટ થઈ જાય અને પોતાની પાસે જ રહે, જો કે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ધ્યાને આ વાત આવતા એમણે તરત જ કાર્યવાહ શરૂ કરી છે, દેશભરમાં 100થી વધુ જગ્યાએ આ દરોડા પડી રહ્યા છે 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.