પ્રજાના પ્રશ્નો મુદ્દે બોલવુ તો છે પણ ભાજપમાં હોદ્દો છે એટલે ચુપ રહેવુ પડે છે શું આ હકીકત છે? જુઓ અંદરની વાતો


  • Published By :
  • Published Date : 2024-09-03 13:24:19

સોશિયલ મીડિયા તમે જ્યારે ખોલશો તો તમને તૂટેલા રસ્તા. તૂટેલા બ્રિજ જ દેખાશે.. માત્ર વિસ્તારો બદલાય છે પરંતુ બ્રિજ તૂટવાની પરિસ્થિતિ નથી બદલાતી.  ગુજરાતમાં એવું કોઈ શહેર કે નગર નથી બચ્યું જ્યાં રોડ પર ખાડા ન હોય. ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું માથાનો દુઃખાવો બની ગયું છે. જે અંતર કાપતા અડધો કલાક લાગે ત્યાં હાલ બેથી ત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે..કારણ છે ખાડામાં ગુજરાત...હા, એટલા ખાડા કે વાહનો દોડી નથી શક્તા. આવુ અમે રોજ કહી છીએ અને એવું પુછીએ છીએ કે આ પ્રજાના પ્રતિનિધીઓને ખબર નહીં પડતી હોય... દેખાતુ નહીં હોય.. ચિંતા નહીં થતી હોય... તો જવાબ મળ્યો આજે ખબર બધાને છે દરેક હોદ્દેદારને છે પણ ડર છે એમને કે બોલશે તો હકાલપટ્ટી થઈ જશે તો?

વરસાદે મોટા મોટા દાવાઓની પોલ ખોલી! 

વરસાદે તો વિરામ લીધો અને ફરી પાછો શરુ પણ થઈ ગયો... પણ દરેક વરસાદ સરકારના મોટા મોટા દાવાઓની પોલ ખોલે છે...ગુજરાતનું કોઈ શહેર કે ગામ નથી બચ્યું  જ્યાં રોડ પર ખાડા ન હોય. ગુજરાતમાં ખાડાઓએ જે સામ્રાજ્ય જમાવ્યું છે તેનાથી પ્રજા પરેશાન છે. પણ તંત્રને તેની જરા પણ ચિંતા નથી. રાજ્યના કોઈપણ શહેરના કોઈપણ રોડ પર જાવ ત્યાં  તમને ચંદ્રની સપાટી જોવા મળશે... રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, દ્વારકા કોઈપણ વિસ્તારમાં એટલા મોટા ખાડા હશે કે વાહનો ડાન્સ કરતા હશે અને તેના પર બેઠેલા લોકોના મણકા ચીંસો પાડતા હશે... બિસ્માર રસ્તો કાપતા હવે તો કલાકો નીકળી જાય છે.... અમને એવું થાય કે, એક પણ અધિકારી કે વિભાગને આ ખાડાની જરા પણ ચિંતા નથી.



ભ્રષ્ટાચારની બધાને ખબર છે પણ કોઈ બોલતું નથી!

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ જેનાથી ખબર પડી કે ચિંતા તો છે પણ સૌથી મોટી વાત ડર છે... જો બોલે તો નેતાઓ કોર્પોરેટરો, કાર્યકરો ગ્રુપમાં અંદરોઅંદર છુપો આક્રોશ વ્યક્ત કરે.. કેમ કે જાહેરમાં બોલ્યા તો મરાઈ ગયા.... ભયંકર ખાડા, બદ્દતર રસ્તા અને તેમાં ચાલતા ભ્રષ્ટાચારની બધાને ખબર છે પણ જાહેરમાં સ્વીકારતા ડર લાગે છે એટલે અંદરોઅંદર રોષ ઠાલવી દે. જાહેરમાં બોલે તો ફાયર થઈ જાય.... 



બે પોસ્ટ સામે આવી છે જેમાં....

સુરતમાં ભાજપના વોર્ડ ગ્રુપમાં કાર્યકરો અંદરોઅંદર આક્રોશ ઠાલવી રહ્યાં છે. બે પોસ્ટ સામે આવી જેમાંથી એકમાં લખ્યું છે કે, ચુંટણી એટલે જ ચરણમાં થાય છે... પહેલા નેતાઓ તમારા ચરણે અને પછી તમે એટલે કે જનતા તેમના ચરણે... તો બીજો કાર્યકર લખી રહ્યો છે કે,આપણને ગધેડા સમજે છે, કામ કરે એને વોટ આપજો.... તો એ જ ગ્રુપમાં કોઈએ ફોટા પણ મુક્યા છે જ્યાં ભયંકર ખાડા પડ્યા છે.. નીચે એનું લોકેશન પણ લખ્યું છે કે, આ બધા ફોટા એલપી સવાણી સ્કૂલથી વિરસાવરકર સર્કલ સુધીના છે... 



સત્તા મેળવવા ચૂપ રહેવું પડે છે? 

આ પ્રજાલક્ષી પ્રશ્નો છે પણ જાહેરમાં ચર્ચા કોણ કરે... બીજો એક ફોટો એમની ચેટનો આવ્યો જેમાં લખ્યું છે કે, વોર્ડ સંગઠનની ટીમ ક્યાં છે. માત્ર ચૂંટણીમાં પ્રજા પાસે વોટ માંગવા જ જવાનું અમારે આ બાબતે કેમ કોઈ બહાર નથી આવતું... કોઈ ચું કે ચા કેમ નથી કરતું... અને એ પોસ્ટના નીચે એક સરસ મજાનું સિમ્બોલ છે જે દર્શાવે છે મૌન રહેવાનું... અર્થાત બોલશો તો હક્કાલપટ્ટી પાકી.. જો સત્તા જોઈતી હોય તો ચુપ રહેવું પડે... પણ અમે તો કહીએ છીએ કે એક વખત બધાએ હિંમત કરીને કોર્પોરેટર, ધારાસભ્યો, સાંસદો પાસે જવુ જોઈએ. આ હાલત તો બધા શહેરોની છે. જાગી જાવ હજૂ. બદલાવ આવે કે ન આવે પણ જનતા તરીકે સારુ લાગશે.... ક્યાં સુધી ચુપ રહેશો... 




નાગરિકો ક્યાં સુધી ચૂર રહેશે?

શું આપણને એ પણ ખબર નથી ? કે આપણે ખુદ આપણા પગ પર જ કુહાડો મારીએ છીએ !!શું પીંજરા સાથે પક્ષી નો એટલો બધો લગાવ કે તાદાત્મ્ય સધાય ગયેલ છે કે એ પક્ષીને ખુલ્લા આકાશમાં ઉડાડી દેવા છતાં તે ફરીથી પીંજરામાં પુરાઈ જવા વારંવાર પરત આવે છે ? પિંજરામાં રહેતો માણસ હવે  પીંજરામાં જીવવા એક્સપર્ટ બની ગયો. એના વખાણ-સન્માન- કદર પણ પિંજરામાં રહેવાના  અનુભવી લોકો જ કરશે. પીએચડી ની પદવીઓ પણ આપશે.. કોણ આપશે ? પિંજરા વાસીઓ જ આપશે . આવા સન્માન થી હવે તે જીવ કદી પિંજરું છોડશે નહિ.. એ નારા લગાવશે કે ગર્વસે કહો હમ ગોલ્ડન પિંજરે મૈં હૈ !!..પણ હવે એડજસ્ટ થવાનું છોડી દો... સોનાનું કે રુપાનુ.. પિંજરું તે પિંજરું.. ભલે હિરલે જડેલ.. ભલે મોતી થી મઢેલ .. પણ ઈ.. પિંજરું તે પિંજરું..... સુધરવાની ઉત્ક્રાંતિ અને અલ્ટીમેટ ફ્રીડમ નું સત્ય જાણવાની તક માત્ર મનુષ્ય જીવનમાં છે.... આપણે કહીએ છીએ કે ભ્રષ્ટાચાર છાપરે ચઢીને પોકારે છે... તો એને છાપરે ચઢવાની સીડી કોણે આપી.... 




જો હમણાં નહીં બોલીએ તો ઘણું મોડું થઈ જશે!

ભ્રષ્ટાચારીઓને રાજકારણમાંથી હાંકી કાઢવામાં આવે અને દેશહિત-લોકહિત વિચારતા નેતાઓ ભારતના રાજકારણમાં આવે. પરંતુ સવાલ એ છે કે રાજકારણમાંથી જે ભ્રષ્ટાચારીઓને હાંકી કાઢવાની વાતો થઇ રહી છે, એ ભ્રષ્ટાચારી નેતાઓ આવ્યા છે ક્યાંથી?! નેતા નામની આ પ્રજાતિ કંઇ લેબોરેટરીમાં ઉત્પન્ન થયેલી નથી. એ લોકો આપણી જ વચ્ચેથી આવ્યા છે ને! આપણે જ એમને ચૂંટીને મોકલ્યા છે. એ લોકો આપણું જ પ્રતિનિધિત્વ કરે છે અને માટે એ આપણું જ પ્રતિબિંબ પાડે છે. એક સમાજ તરીકે, દેશની જનતા તરીકે સ્વીકારવા જેવી બાબત એ છે કે આપણું રાજકારણ ભ્રષ્ટાચારીઓથી ખદબદે છે કારણ કે એમને ચૂંટનારા આપણે પણ એટલા જ ભ્રષ્ટ છીએ. 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.