Tamil Naduમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, વરસાદી પાણી અનેક ઘરોમાં ઘૂસ્યા સર્જાઈ પૂર જેવી સ્થિતિ, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-12-18 12:07:27

શિયાળાની સિઝનમાં દેશના અનકે રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. દેશના અનેક રાજ્યોમાં ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તમિલનાડુમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જેને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાતી તૂફાન મિચૌંગની અસર હજી પણ ગઈ નથી. રવિવારે અને સોમવાર વહેલી સવારે વરસાદ થયો જેને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તાઓ પર તેમજ અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

 

હવામાન વિભાગે એલર્ટ કર્યું જાહેર 

એક તરફ દેશના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે તો બીજી તરફ દેશનો દક્ષિણ વિસ્તાર મેઘ તાંડવ સહન કરવા મજબૂર બન્યો છે. દેશના દક્ષિણી રાજ્યોમાં ભારે વરસાદ આવ્યો છે અને તબાહી મચાવી રહ્યો છે. હવામાન વિભાગે તમિલનાડુંમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રસ્તા પર પાણી ભરાઈ ગયું છે અને લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગની ચેતવણીને પગલે અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. 


શિયાળામાં તમિલનાડુમાં પડી રહ્યો છે ભારે વરસાદ!

થોડા સમય પહેલા મિચૌંગ વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડાની અસર આપણે ત્યાંના વાતાવરણ પર પણ દેખાઈ હતી. આપણે ત્યાં તો વાવાઝોડાની અસર ઓછી હતી પરંતુ દેશના દક્ષિણ રાજ્યો પર ચક્રવાતની ગંભીર અસર પડી હતી. ચક્રવાતને કારણે ભારે વરસાદનો સામનો ત્યાંના લોકોને કરવો પડ્યો હતો ત્યારે હજી પણ એવી સ્થિતિ છે ત્યાંની. શિયાળાના સમયમાં તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જશે તેવી સ્થિતિ છે. વરસાદને કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ઉપરાંત અનેક જગ્યાઓ પર શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


આ જગ્યાઓ માટે હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગ અનુસાર દક્ષિણ તમિલનાડુમાં ઘણી જગ્યાએ, ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં એક કે બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી અને તેનકાસી જિલ્લામાં એક કે બે જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદને લઈને રાજ્યના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.