Tamil Naduમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, વરસાદી પાણી અનેક ઘરોમાં ઘૂસ્યા સર્જાઈ પૂર જેવી સ્થિતિ, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-12-18 12:07:27

શિયાળાની સિઝનમાં દેશના અનકે રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. દેશના અનેક રાજ્યોમાં ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તમિલનાડુમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જેને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાતી તૂફાન મિચૌંગની અસર હજી પણ ગઈ નથી. રવિવારે અને સોમવાર વહેલી સવારે વરસાદ થયો જેને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તાઓ પર તેમજ અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

 

હવામાન વિભાગે એલર્ટ કર્યું જાહેર 

એક તરફ દેશના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે તો બીજી તરફ દેશનો દક્ષિણ વિસ્તાર મેઘ તાંડવ સહન કરવા મજબૂર બન્યો છે. દેશના દક્ષિણી રાજ્યોમાં ભારે વરસાદ આવ્યો છે અને તબાહી મચાવી રહ્યો છે. હવામાન વિભાગે તમિલનાડુંમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રસ્તા પર પાણી ભરાઈ ગયું છે અને લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગની ચેતવણીને પગલે અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. 


શિયાળામાં તમિલનાડુમાં પડી રહ્યો છે ભારે વરસાદ!

થોડા સમય પહેલા મિચૌંગ વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડાની અસર આપણે ત્યાંના વાતાવરણ પર પણ દેખાઈ હતી. આપણે ત્યાં તો વાવાઝોડાની અસર ઓછી હતી પરંતુ દેશના દક્ષિણ રાજ્યો પર ચક્રવાતની ગંભીર અસર પડી હતી. ચક્રવાતને કારણે ભારે વરસાદનો સામનો ત્યાંના લોકોને કરવો પડ્યો હતો ત્યારે હજી પણ એવી સ્થિતિ છે ત્યાંની. શિયાળાના સમયમાં તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જશે તેવી સ્થિતિ છે. વરસાદને કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ઉપરાંત અનેક જગ્યાઓ પર શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


આ જગ્યાઓ માટે હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગ અનુસાર દક્ષિણ તમિલનાડુમાં ઘણી જગ્યાએ, ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં એક કે બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી અને તેનકાસી જિલ્લામાં એક કે બે જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદને લઈને રાજ્યના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.