Tamil Naduમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, વરસાદી પાણી અનેક ઘરોમાં ઘૂસ્યા સર્જાઈ પૂર જેવી સ્થિતિ, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-12-18 12:07:27

શિયાળાની સિઝનમાં દેશના અનકે રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. દેશના અનેક રાજ્યોમાં ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તમિલનાડુમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જેને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાતી તૂફાન મિચૌંગની અસર હજી પણ ગઈ નથી. રવિવારે અને સોમવાર વહેલી સવારે વરસાદ થયો જેને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તાઓ પર તેમજ અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

 

હવામાન વિભાગે એલર્ટ કર્યું જાહેર 

એક તરફ દેશના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે તો બીજી તરફ દેશનો દક્ષિણ વિસ્તાર મેઘ તાંડવ સહન કરવા મજબૂર બન્યો છે. દેશના દક્ષિણી રાજ્યોમાં ભારે વરસાદ આવ્યો છે અને તબાહી મચાવી રહ્યો છે. હવામાન વિભાગે તમિલનાડુંમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રસ્તા પર પાણી ભરાઈ ગયું છે અને લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગની ચેતવણીને પગલે અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. 


શિયાળામાં તમિલનાડુમાં પડી રહ્યો છે ભારે વરસાદ!

થોડા સમય પહેલા મિચૌંગ વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડાની અસર આપણે ત્યાંના વાતાવરણ પર પણ દેખાઈ હતી. આપણે ત્યાં તો વાવાઝોડાની અસર ઓછી હતી પરંતુ દેશના દક્ષિણ રાજ્યો પર ચક્રવાતની ગંભીર અસર પડી હતી. ચક્રવાતને કારણે ભારે વરસાદનો સામનો ત્યાંના લોકોને કરવો પડ્યો હતો ત્યારે હજી પણ એવી સ્થિતિ છે ત્યાંની. શિયાળાના સમયમાં તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જશે તેવી સ્થિતિ છે. વરસાદને કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ઉપરાંત અનેક જગ્યાઓ પર શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


આ જગ્યાઓ માટે હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગ અનુસાર દક્ષિણ તમિલનાડુમાં ઘણી જગ્યાએ, ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં એક કે બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી અને તેનકાસી જિલ્લામાં એક કે બે જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદને લઈને રાજ્યના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.