દેશના અનેક રાજ્યોમાં વરસી રહ્યો છે વરસાદ! Tamil Naduમાં વરસી કુદરતી આફત, જાણો કયા રાજ્યોમાં વરસી શકે છે વરસાદ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-22 10:25:44

એક તરફ ભારતના અનેક રાજ્યોમાં ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં વરસાદી ઝાપટું વરસી રહ્યું છે. મૌસમ વિભાગે દેશના અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુમાં તો ભારે વરસાદ વરસી રહ્યો છે. ઈરોડ વિસ્તારમાં એટલો જોરદાર વરસાદ થયો કે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી ઝાપટાના વીડિયો સામે આવ્યા છે. તે ઉપરાંત કેરળના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. 

તમિલનાડુમાં વરસ્યો ધોધમાર વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ 22 નવેમ્બરે તમિલનાડુ, દક્ષિણ કર્ણાટક તેમજ કેરળના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 23 નવેમ્બરે પણ દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પુડુચેરીના અનેક ભાગોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


દિલ્હીમાં પ્રદૂષણને કાબુમાં લાવવા માટે પાડવાનો હતો કૃત્રિમ વરસાદ! 

મહત્વનું છે કે એક તરફ દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વધી રહી છે તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. વધારે પ્રદૂષણને ધ્યાનમાં રાખી દિલ્હીમાં કૃત્રિમ રીતે વરસાદ કરવાની વિચારણા ચાલી રહી હતી પરંતુ કુદરતી રીતે ત્યાં વરસાદ વરસ્યો હતો જેને કારણે વાયુ પ્રદૂષણ ઘટ્યું હતું. પરંતુ ફરી એક વખત દિલ્હીની હવા ઝેરીલી બની રહી છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.



ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બીજી એક ઘટના મોરબીમાં બની હતી. મચ્છુ નદીમાં ન્હાવા માટે યુવાનો ગયા હતા જેમાંથી ત્રણ લોકો ડૂબી ગયા હતા.

રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે,

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ, જામનગન જેવી અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો સારૂ પરિણામ લાવી શકે છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.