દેશના અનેક રાજ્યોમાં વરસી રહ્યો છે વરસાદ! Tamil Naduમાં વરસી કુદરતી આફત, જાણો કયા રાજ્યોમાં વરસી શકે છે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-11-22 10:25:44

એક તરફ ભારતના અનેક રાજ્યોમાં ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં વરસાદી ઝાપટું વરસી રહ્યું છે. મૌસમ વિભાગે દેશના અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુમાં તો ભારે વરસાદ વરસી રહ્યો છે. ઈરોડ વિસ્તારમાં એટલો જોરદાર વરસાદ થયો કે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી ઝાપટાના વીડિયો સામે આવ્યા છે. તે ઉપરાંત કેરળના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. 

તમિલનાડુમાં વરસ્યો ધોધમાર વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ 22 નવેમ્બરે તમિલનાડુ, દક્ષિણ કર્ણાટક તેમજ કેરળના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 23 નવેમ્બરે પણ દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પુડુચેરીના અનેક ભાગોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


દિલ્હીમાં પ્રદૂષણને કાબુમાં લાવવા માટે પાડવાનો હતો કૃત્રિમ વરસાદ! 

મહત્વનું છે કે એક તરફ દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વધી રહી છે તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. વધારે પ્રદૂષણને ધ્યાનમાં રાખી દિલ્હીમાં કૃત્રિમ રીતે વરસાદ કરવાની વિચારણા ચાલી રહી હતી પરંતુ કુદરતી રીતે ત્યાં વરસાદ વરસ્યો હતો જેને કારણે વાયુ પ્રદૂષણ ઘટ્યું હતું. પરંતુ ફરી એક વખત દિલ્હીની હવા ઝેરીલી બની રહી છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.