દેશના અનેક રાજ્યોમાં વરસી રહ્યો છે વરસાદ! Tamil Naduમાં વરસી કુદરતી આફત, જાણો કયા રાજ્યોમાં વરસી શકે છે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-11-22 10:25:44

એક તરફ ભારતના અનેક રાજ્યોમાં ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં વરસાદી ઝાપટું વરસી રહ્યું છે. મૌસમ વિભાગે દેશના અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુમાં તો ભારે વરસાદ વરસી રહ્યો છે. ઈરોડ વિસ્તારમાં એટલો જોરદાર વરસાદ થયો કે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી ઝાપટાના વીડિયો સામે આવ્યા છે. તે ઉપરાંત કેરળના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. 

તમિલનાડુમાં વરસ્યો ધોધમાર વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ 22 નવેમ્બરે તમિલનાડુ, દક્ષિણ કર્ણાટક તેમજ કેરળના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 23 નવેમ્બરે પણ દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પુડુચેરીના અનેક ભાગોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


દિલ્હીમાં પ્રદૂષણને કાબુમાં લાવવા માટે પાડવાનો હતો કૃત્રિમ વરસાદ! 

મહત્વનું છે કે એક તરફ દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વધી રહી છે તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. વધારે પ્રદૂષણને ધ્યાનમાં રાખી દિલ્હીમાં કૃત્રિમ રીતે વરસાદ કરવાની વિચારણા ચાલી રહી હતી પરંતુ કુદરતી રીતે ત્યાં વરસાદ વરસ્યો હતો જેને કારણે વાયુ પ્રદૂષણ ઘટ્યું હતું. પરંતુ ફરી એક વખત દિલ્હીની હવા ઝેરીલી બની રહી છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે