દેશના અનેક રાજ્યોમાં વરસી રહ્યો છે વરસાદ! Tamil Naduમાં વરસી કુદરતી આફત, જાણો કયા રાજ્યોમાં વરસી શકે છે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-11-22 10:25:44

એક તરફ ભારતના અનેક રાજ્યોમાં ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં વરસાદી ઝાપટું વરસી રહ્યું છે. મૌસમ વિભાગે દેશના અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુમાં તો ભારે વરસાદ વરસી રહ્યો છે. ઈરોડ વિસ્તારમાં એટલો જોરદાર વરસાદ થયો કે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી ઝાપટાના વીડિયો સામે આવ્યા છે. તે ઉપરાંત કેરળના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. 

તમિલનાડુમાં વરસ્યો ધોધમાર વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ 22 નવેમ્બરે તમિલનાડુ, દક્ષિણ કર્ણાટક તેમજ કેરળના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 23 નવેમ્બરે પણ દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પુડુચેરીના અનેક ભાગોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


દિલ્હીમાં પ્રદૂષણને કાબુમાં લાવવા માટે પાડવાનો હતો કૃત્રિમ વરસાદ! 

મહત્વનું છે કે એક તરફ દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વધી રહી છે તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. વધારે પ્રદૂષણને ધ્યાનમાં રાખી દિલ્હીમાં કૃત્રિમ રીતે વરસાદ કરવાની વિચારણા ચાલી રહી હતી પરંતુ કુદરતી રીતે ત્યાં વરસાદ વરસ્યો હતો જેને કારણે વાયુ પ્રદૂષણ ઘટ્યું હતું. પરંતુ ફરી એક વખત દિલ્હીની હવા ઝેરીલી બની રહી છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.