વાત ખરાબ લાગશે છે પણ વાત સાચી છે... એક મેગા ડ્રાઈવ માધ્યમિક શાળાની બહાર પણ થવી જોઈએ!


  • Published By :
  • Published Date : 2023-07-28 16:32:00

તથ્ય પટેલની વાતો અકસ્માત બાદ દરેક જગ્યાઓ પર થઈ રહી છે. 10 નિર્દોષ લોકોના મોત તથ્ય પટેલની ગાડી નીચે આવતા થયા હતા. આ ઘટના બાદ પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ થઈ કરવામાં આવી, જેમાં હેલ્મેટ વગર, લાઈસન્સ વગરના લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નબીરાઓને તેમજ કાયદા તોડનાર લોકોને કાયદાનું ભાન થાય તે માટે આ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. રસ્તા પર પોલીસનો મેળાવડો જોવા મળતો હોય છે પરંતુ એક વાત કરવી છે કે જો માધ્યમિક શાળાની બહાર જ્યારે શાળા છૂટતી હોય ત્યારે તપાસ કરવામાં આવે ત્યારે અનેક એવા વિદ્યાર્થીઓ મળશે જે નિયમોનો ભંગ કરતા દેખાશે. જો તેમને હમણાંથી કાયદાનું ભાન કરાવામાં આવે તો તે તથ્ય પટેલ થતાં અટકી શકે છે.


આપણા બાપ-દાદાના જમાનામાં.... 

એક જમાનો હતો જ્યારે લોકો ચાલતા પોતાની શાળાએ પહોંચતા હતા. ધીમે ધીમે જેમ માણસની પ્રગતિ થઈ તેમ શાળાએ તે સાયકલ લઈને જતા થયા. આ જમાનો હતો જે કદાચ આપણા બાપ-દાદાએ જીવ્યો હશે. તે વખતે કાયદાનો ભંગ કરવો બહુ મોટો ગુન્હો ગણાતો હતો. પરંતુ ધીમે ધીમે સમય વધુ બદલાયો, આપણને સ્કૂલે મૂકવા આપણા માતા પિતા આવતા થયા. લાવા લઈ જવાની જવાબદારી માતા પિતાએ ઉઠાવી. 


માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વાહનો ચલાવતા દેખાય છે. 

પરંતુ હવે તો સમય એકદમ ફાસ્ટ થઈ ગયો છે. કોઈની પાસે સમય નથી, દરેક પોતાની લાઈફમાં બીજી થઈ ગયા છીએ. હવે તો એવો સમય આવી ગયો છે જ્યારે માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ શાળાએ ટુ વ્હીલર્સ લઈને આવતા થયા છે. જે વિદ્યાર્થીઓ વાહન ચલાવે છે તેમની ઉમર 18 વર્ષની નથી હોતી. તો પણ તેમના પરિવારના સભ્યો, તેમના માતા પિતા તેમને ગાડીની ચાવી પકડાવી દેતા હોય છે. અને પરિણામે તથ્ય જેવા બાળકો સમાજમાં જન્મે છે. જેમને કાયદાનો કોઈ ડર ન હોય. 


જો શાળા આગળ ડ્રાઈવ કરવામાં આવે તો... 

પોલીસ આવા કાયદા ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે ત્યારે જો સ્કૂલ આગળ આવી કાર્યવાહી કરવામાં આવે તો અનેક બાળકો કાયદાનો ભંગ કરતા નજરે પડશે. લાઈસન્સ વગરના, નાની ઉંમરે ડ્રાઈવ કરતા ઢગલો બાળકો મળી આવશે. અનેક વખત અમે કહેતા હોઈએ છે કે તથ્ય પટેલ કરતા વધુ કડક કાર્યવાહી તેના પિતા વિરૂદ્ધ કરવી જોઈએ. કારણ કે કાયદાનો ભંગ કરતા માતા પિતા જ શીખવાડતા હોય છે. 


નાનપણીથી જ આપણે કાયદાનો ભંગ કરતા બાળકને શિખવાડીએ છીએ.. 

બાળકોને વ્હેકીલ ચલાવતા જોઈ એક જ વાત યાદ આવે છે કે નાનપણથી જ માતા પિતા, સમાજ બાળકોને કાયદો તોડતા શીખવાડે છે, અને પછી જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે આપણે તથ્ય પટેલને શોધતા રહીએ છીએ. આજે નાની લાગતી વાત ગમે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. જો હમણાંથી જ બાળકોને કાયદાનું ભાન કરાવવામાં આવે તો ભવિષ્યમાં તેઓ તથ્ય પટેલ નહીં થાય. ખબર છે આ સમાચાર વાંચી અનેક લોકોને ખોટું લાગશે પરંતુ આ વાત સત્ય છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.