વાત ખરાબ લાગશે છે પણ વાત સાચી છે... એક મેગા ડ્રાઈવ માધ્યમિક શાળાની બહાર પણ થવી જોઈએ!


  • Published By :
  • Published Date : 2023-07-28 16:32:00

તથ્ય પટેલની વાતો અકસ્માત બાદ દરેક જગ્યાઓ પર થઈ રહી છે. 10 નિર્દોષ લોકોના મોત તથ્ય પટેલની ગાડી નીચે આવતા થયા હતા. આ ઘટના બાદ પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ થઈ કરવામાં આવી, જેમાં હેલ્મેટ વગર, લાઈસન્સ વગરના લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નબીરાઓને તેમજ કાયદા તોડનાર લોકોને કાયદાનું ભાન થાય તે માટે આ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. રસ્તા પર પોલીસનો મેળાવડો જોવા મળતો હોય છે પરંતુ એક વાત કરવી છે કે જો માધ્યમિક શાળાની બહાર જ્યારે શાળા છૂટતી હોય ત્યારે તપાસ કરવામાં આવે ત્યારે અનેક એવા વિદ્યાર્થીઓ મળશે જે નિયમોનો ભંગ કરતા દેખાશે. જો તેમને હમણાંથી કાયદાનું ભાન કરાવામાં આવે તો તે તથ્ય પટેલ થતાં અટકી શકે છે.


આપણા બાપ-દાદાના જમાનામાં.... 

એક જમાનો હતો જ્યારે લોકો ચાલતા પોતાની શાળાએ પહોંચતા હતા. ધીમે ધીમે જેમ માણસની પ્રગતિ થઈ તેમ શાળાએ તે સાયકલ લઈને જતા થયા. આ જમાનો હતો જે કદાચ આપણા બાપ-દાદાએ જીવ્યો હશે. તે વખતે કાયદાનો ભંગ કરવો બહુ મોટો ગુન્હો ગણાતો હતો. પરંતુ ધીમે ધીમે સમય વધુ બદલાયો, આપણને સ્કૂલે મૂકવા આપણા માતા પિતા આવતા થયા. લાવા લઈ જવાની જવાબદારી માતા પિતાએ ઉઠાવી. 


માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વાહનો ચલાવતા દેખાય છે. 

પરંતુ હવે તો સમય એકદમ ફાસ્ટ થઈ ગયો છે. કોઈની પાસે સમય નથી, દરેક પોતાની લાઈફમાં બીજી થઈ ગયા છીએ. હવે તો એવો સમય આવી ગયો છે જ્યારે માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ શાળાએ ટુ વ્હીલર્સ લઈને આવતા થયા છે. જે વિદ્યાર્થીઓ વાહન ચલાવે છે તેમની ઉમર 18 વર્ષની નથી હોતી. તો પણ તેમના પરિવારના સભ્યો, તેમના માતા પિતા તેમને ગાડીની ચાવી પકડાવી દેતા હોય છે. અને પરિણામે તથ્ય જેવા બાળકો સમાજમાં જન્મે છે. જેમને કાયદાનો કોઈ ડર ન હોય. 


જો શાળા આગળ ડ્રાઈવ કરવામાં આવે તો... 

પોલીસ આવા કાયદા ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે ત્યારે જો સ્કૂલ આગળ આવી કાર્યવાહી કરવામાં આવે તો અનેક બાળકો કાયદાનો ભંગ કરતા નજરે પડશે. લાઈસન્સ વગરના, નાની ઉંમરે ડ્રાઈવ કરતા ઢગલો બાળકો મળી આવશે. અનેક વખત અમે કહેતા હોઈએ છે કે તથ્ય પટેલ કરતા વધુ કડક કાર્યવાહી તેના પિતા વિરૂદ્ધ કરવી જોઈએ. કારણ કે કાયદાનો ભંગ કરતા માતા પિતા જ શીખવાડતા હોય છે. 


નાનપણીથી જ આપણે કાયદાનો ભંગ કરતા બાળકને શિખવાડીએ છીએ.. 

બાળકોને વ્હેકીલ ચલાવતા જોઈ એક જ વાત યાદ આવે છે કે નાનપણથી જ માતા પિતા, સમાજ બાળકોને કાયદો તોડતા શીખવાડે છે, અને પછી જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે આપણે તથ્ય પટેલને શોધતા રહીએ છીએ. આજે નાની લાગતી વાત ગમે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. જો હમણાંથી જ બાળકોને કાયદાનું ભાન કરાવવામાં આવે તો ભવિષ્યમાં તેઓ તથ્ય પટેલ નહીં થાય. ખબર છે આ સમાચાર વાંચી અનેક લોકોને ખોટું લાગશે પરંતુ આ વાત સત્ય છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.