Dhiraj Prasad Sahuને ત્યાં પડેલી IT Raid હજી પણ યથાવત, કર્મચારીઓને પૈસા ગણવા માટે બોલાવાયા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-11 13:14:12

ઈન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘરે દરોડા પાડ્યા હતા. રેડ થોડા સમયની અંદર પતી જશે તેવું લાગતું હતું પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ નીકળી. એટલા બધા પૈસા રેડ દરમિયાન મળી આવ્યા કે કેટલા રૂપિયા પકડાયા તેનો આંકડો હજી સુધી નથી મળ્યો. જે પૈસા મળી આવ્યા છે તેને ગણવા માટે 80 લોકોની ટીમ કામ કરી રહી છે પરંતુ વધારાની ટીમ બોલાવવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. અંદાજીત 200 લોકોની ટીમને બોલાવવામાં આવી છે. 370કરોડની આસપાસ તો રૂપિયા ગણાઈ ગયા છે અને હજી તો અનેક બોક્સમાં પડેલા પૈસા ગણવાના બાકી છે. હજી સુધી પાંચ દિવસ તો પૂર્ણ થઈ ગયા છે કેસને ગણતા ગણતા.

₹353 crore cash seized from IT raids on Odisha liquor firm - Hindustan Times

80 જેટલા કર્મચારીઓ કરી રહ્યા છે નોટોની ગણતરી 

અલગ અલગ જગ્યાઓ પર ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે. છાપેમારી દરમિયાન અનેક વખત પૈસા, સોનું વગેરે જેવી વસ્તુઓ પણ મળી આવતી હોય છે. કેટલાનો મુદ્દામાલ મળી આવ્યો તે અંગેની જાણકારી ગણતરી કર્યા બાદ આપવામાં આવે છે. અનેક વખત નેતાઓને ત્યાં, સાંસદોને ત્યાં, ધારાસભ્યો, બિઝનેસમેનને ત્યાં દરોડા પાડવામાં આવતા હોય છે. 6 દિવસ પહેલા ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુને ત્યાં દરોડા પાડ્યા હતા. અલગ અલગ ઠેકાણાઓ પરથી કેસ નળી આવ્યા હતા. 300 કરોડની રોકડ તો ગણાઈ ગઈ છે પરંતુ હજી આ ગણતરી ચાલી રહી છે. અલગ અલગ બેંકોના 80 જેટલા કર્મચારીઓ પૈસા ગણવાનું કામ કરી રહ્યા છે. પૈસા ગણવા માટે મશીનો પણ બોલાવવામાં આવ્યા છે. 

IT Raid On Dhiraj Prasad Sahu 353 Crore Cash Recovered 3 Bank 40 Currency  Counting Machines See Photos Know More Updates | IT Raid On Dhiraj Prasad  Sahu: 3 बँकांचे कर्मचारी अन्

આ ઘટના પર કોંગ્રેસે સાધ્યું મૌન! 

કોંગ્રેસના સાંસદને ત્યાંથી કરોડો રૂપિયા મળી આવ્યા જેને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નિવેદન સામે આવ્યા છે. કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક તરફ ભાજપના નેતાઓ આને લઈ કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ આ કેસથી દૂર ભાગી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે આ મામલામાં તેમની પાર્ટીનું કઈ લેવા દેવા નથી. કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિબંદરમે કહ્યું કે ભાજપ આ કેસને કોઈ કારણો વગર કોંગ્રેસ સાથે જોડી રહી છે. જો બેહિસાબી પૈસા મળી આવે તો તે સંબંધિત વ્યક્તિની પૂછપરછ કરવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીને તેમજ તેના કોઈ પણ સાંસદને આનાથી કોઈ લેવા દેવા નથી.  

અમિત શાહે આપી પ્રતિક્રિયા 

આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના એક સાંસદના ઘરમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા, પરંતુ આખું INDIA  ગઠબંધન આ ભ્રષ્ટાચાર પર મૌન છે. અને જ્યારે મોદી સરકાર તેમનો ભ્રષ્ટાચાર પકડે છે, ત્યારે આ લોકો એજન્સીઓના દુરુપયોગનો પ્રચાર કરે છે. સંસદ બહાર ભાજપના સાંસદોએ આને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.