Dhiraj Prasad Sahuને ત્યાં પડેલી IT Raid હજી પણ યથાવત, કર્મચારીઓને પૈસા ગણવા માટે બોલાવાયા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-11 13:14:12

ઈન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘરે દરોડા પાડ્યા હતા. રેડ થોડા સમયની અંદર પતી જશે તેવું લાગતું હતું પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ નીકળી. એટલા બધા પૈસા રેડ દરમિયાન મળી આવ્યા કે કેટલા રૂપિયા પકડાયા તેનો આંકડો હજી સુધી નથી મળ્યો. જે પૈસા મળી આવ્યા છે તેને ગણવા માટે 80 લોકોની ટીમ કામ કરી રહી છે પરંતુ વધારાની ટીમ બોલાવવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. અંદાજીત 200 લોકોની ટીમને બોલાવવામાં આવી છે. 370કરોડની આસપાસ તો રૂપિયા ગણાઈ ગયા છે અને હજી તો અનેક બોક્સમાં પડેલા પૈસા ગણવાના બાકી છે. હજી સુધી પાંચ દિવસ તો પૂર્ણ થઈ ગયા છે કેસને ગણતા ગણતા.

₹353 crore cash seized from IT raids on Odisha liquor firm - Hindustan Times

80 જેટલા કર્મચારીઓ કરી રહ્યા છે નોટોની ગણતરી 

અલગ અલગ જગ્યાઓ પર ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે. છાપેમારી દરમિયાન અનેક વખત પૈસા, સોનું વગેરે જેવી વસ્તુઓ પણ મળી આવતી હોય છે. કેટલાનો મુદ્દામાલ મળી આવ્યો તે અંગેની જાણકારી ગણતરી કર્યા બાદ આપવામાં આવે છે. અનેક વખત નેતાઓને ત્યાં, સાંસદોને ત્યાં, ધારાસભ્યો, બિઝનેસમેનને ત્યાં દરોડા પાડવામાં આવતા હોય છે. 6 દિવસ પહેલા ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુને ત્યાં દરોડા પાડ્યા હતા. અલગ અલગ ઠેકાણાઓ પરથી કેસ નળી આવ્યા હતા. 300 કરોડની રોકડ તો ગણાઈ ગઈ છે પરંતુ હજી આ ગણતરી ચાલી રહી છે. અલગ અલગ બેંકોના 80 જેટલા કર્મચારીઓ પૈસા ગણવાનું કામ કરી રહ્યા છે. પૈસા ગણવા માટે મશીનો પણ બોલાવવામાં આવ્યા છે. 

IT Raid On Dhiraj Prasad Sahu 353 Crore Cash Recovered 3 Bank 40 Currency  Counting Machines See Photos Know More Updates | IT Raid On Dhiraj Prasad  Sahu: 3 बँकांचे कर्मचारी अन्

આ ઘટના પર કોંગ્રેસે સાધ્યું મૌન! 

કોંગ્રેસના સાંસદને ત્યાંથી કરોડો રૂપિયા મળી આવ્યા જેને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નિવેદન સામે આવ્યા છે. કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક તરફ ભાજપના નેતાઓ આને લઈ કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ આ કેસથી દૂર ભાગી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે આ મામલામાં તેમની પાર્ટીનું કઈ લેવા દેવા નથી. કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિબંદરમે કહ્યું કે ભાજપ આ કેસને કોઈ કારણો વગર કોંગ્રેસ સાથે જોડી રહી છે. જો બેહિસાબી પૈસા મળી આવે તો તે સંબંધિત વ્યક્તિની પૂછપરછ કરવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીને તેમજ તેના કોઈ પણ સાંસદને આનાથી કોઈ લેવા દેવા નથી.  

અમિત શાહે આપી પ્રતિક્રિયા 

આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના એક સાંસદના ઘરમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા, પરંતુ આખું INDIA  ગઠબંધન આ ભ્રષ્ટાચાર પર મૌન છે. અને જ્યારે મોદી સરકાર તેમનો ભ્રષ્ટાચાર પકડે છે, ત્યારે આ લોકો એજન્સીઓના દુરુપયોગનો પ્રચાર કરે છે. સંસદ બહાર ભાજપના સાંસદોએ આને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.