Congress સાંસદને ત્યાં IT Raid ચોથા દિવસે પણ યથાવત! રેડ દરમિયાન મળી આવેલા પૈસાનો આંકડો પહોંચ્યો 300 કરોડ નજીક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-09 16:30:47

આયકર વિભાગે થોડા દિવસો પહેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુને ત્યાં રેડ કરી હતી. ઓડિશા અને રાંચી સ્થિત તેમના ઘરે, ઓફિસે સહિતની જગ્યાઓ પર છાપેમારી કરી હતી. રેડ જ્યારે કરી ત્યારે એટલી બધી નોટો મળી આવી જેને જોઈ આંખો પહોળીની પહોળી રહી ગઈ. એટલી બધી નોટો મળી આવી કે ગણવા માટે મશીનનો ઉપયોગ કરવો પડ્યો. એટલી બધી નોટો હતી કે મશીનો પણ બગડી ગયા. છાપેમારી દરમિયાન મળી આવેલી નોટોનો આંકડો 300 કરોડની આસપાસ પહોંચી ગયો છે. આ આંકડો હજી પણ વધી શકે છે તેવું લાગી રહ્યું છે અને 500 કરોડને પાર આ આંકડો પહોંચી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. 

રેડ દરમિયાન મળી આવ્યા 290 કરોડ રૂપિયા! 

ઝારખંડ રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘરે તેમજ ઓફિસમાં ઈન્કમ ટેક્સે રેડ કરી. એવું લાગતું હતું કે થોડા સમયની અંદર આ રેડની કામગીરી પૂર્ણ થઈ જશે પરંતુ અનેક દિવસો પૂર્ણ થયા તો પણ હજી રેડ યથાવત છે. આ રેડ શરૂ થયેલા ત્રણ દિવસ પૂર્ણ થઈ ગયા છે આજે પણ આ આ કાર્યવાહી ચાલી રહી છે. ઘણો સમય પસાર થઈ ગયો છે પરંતુ હજી પણ આ રેડ ચાલી રહી છે. નોટોના બંડલો મળી રહ્યા છે. રેડ દરમિયાન મળેલી રકમની વાત કરીએ તો આ આંકડો 300 કરોડની આસપાસ પહોંચવા આવ્યો છે. 290 કરોડને પાર તો હમણાંથી આ આંકડો પહોંચી ગયો છે. હજી પણ પૈસાને લઈ શોધખોળ ચાલી રહી છે. રેડ હજી પણ નથી પૂર્ણ થઈ. પીએમ મોદીએ પણ આ મામલે કટાક્ષ કરતી એક ટ્વિટ કરી છે. 

Rs 200 crore recovered in I-T raids at premises linked to Congress MP; Modi  says 'every penny will be returned to public' | India News - The Indian  Express

Income Tax raids Congress MP Dheeraj Sahu premises in Odisha, crores of  money seized - India Today

500 કરોડને પાર પણ પહોંચી શકે છે આ આંકડો!

સાંસદ પાસેથી એટલી બધી નોટો મળી આવી કે પૈસા ગણવા માટે 30થી 40 જેટલા મશીનો મંગાવ્યા પડ્યા. નકદ ઉપરાંત જ્વેલેરીની સૂટકેસ પણ મળી આવી છે તેવી માહિતી સામે આવી છે. 6 ડિસેમ્બરથી શરૂ થયેલી આ રેડ આજે એટલે કે 9 ડિસેમ્બરે પણ ચાલી રહી છે. મશીનો તો મંગાવ્યા પરંતુ તે પણ બગડી ગયા છે. આ રેડમાં ઈન્કમટેક્સ વિભાગના 100 જેટલા કર્મચારીઓ કામે લાગેલા છે. એવી પણ માહિતી સામે આવી છે કે 136 જેટલી બેગો છે જેનું કાઉન્ટિંગ હજી બાકી છે. 176 જેટલી બેગોમાંથી માત્ર 40 બેગોના જ પૈસા ગણવામાં આવ્યા છે હજી બીજી બધી બેગોનું કાઉન્ટિંગ બાકી છે તેવી માહિતી સામે આવી છે. આ આંકડો 500 કરોડને પાર પહોંચી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી છે. ત્યારે પૈસાની ગણતરી પૂર્ણ થાય તે બાદ ખબર પડે કે કેટલા પૈસા સાંસદને ત્યાંથી મળી આવ્યા. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.