Congress સાંસદને ત્યાં IT Raid ચોથા દિવસે પણ યથાવત! રેડ દરમિયાન મળી આવેલા પૈસાનો આંકડો પહોંચ્યો 300 કરોડ નજીક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-09 16:30:47

આયકર વિભાગે થોડા દિવસો પહેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુને ત્યાં રેડ કરી હતી. ઓડિશા અને રાંચી સ્થિત તેમના ઘરે, ઓફિસે સહિતની જગ્યાઓ પર છાપેમારી કરી હતી. રેડ જ્યારે કરી ત્યારે એટલી બધી નોટો મળી આવી જેને જોઈ આંખો પહોળીની પહોળી રહી ગઈ. એટલી બધી નોટો મળી આવી કે ગણવા માટે મશીનનો ઉપયોગ કરવો પડ્યો. એટલી બધી નોટો હતી કે મશીનો પણ બગડી ગયા. છાપેમારી દરમિયાન મળી આવેલી નોટોનો આંકડો 300 કરોડની આસપાસ પહોંચી ગયો છે. આ આંકડો હજી પણ વધી શકે છે તેવું લાગી રહ્યું છે અને 500 કરોડને પાર આ આંકડો પહોંચી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. 

રેડ દરમિયાન મળી આવ્યા 290 કરોડ રૂપિયા! 

ઝારખંડ રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘરે તેમજ ઓફિસમાં ઈન્કમ ટેક્સે રેડ કરી. એવું લાગતું હતું કે થોડા સમયની અંદર આ રેડની કામગીરી પૂર્ણ થઈ જશે પરંતુ અનેક દિવસો પૂર્ણ થયા તો પણ હજી રેડ યથાવત છે. આ રેડ શરૂ થયેલા ત્રણ દિવસ પૂર્ણ થઈ ગયા છે આજે પણ આ આ કાર્યવાહી ચાલી રહી છે. ઘણો સમય પસાર થઈ ગયો છે પરંતુ હજી પણ આ રેડ ચાલી રહી છે. નોટોના બંડલો મળી રહ્યા છે. રેડ દરમિયાન મળેલી રકમની વાત કરીએ તો આ આંકડો 300 કરોડની આસપાસ પહોંચવા આવ્યો છે. 290 કરોડને પાર તો હમણાંથી આ આંકડો પહોંચી ગયો છે. હજી પણ પૈસાને લઈ શોધખોળ ચાલી રહી છે. રેડ હજી પણ નથી પૂર્ણ થઈ. પીએમ મોદીએ પણ આ મામલે કટાક્ષ કરતી એક ટ્વિટ કરી છે. 

Rs 200 crore recovered in I-T raids at premises linked to Congress MP; Modi  says 'every penny will be returned to public' | India News - The Indian  Express

Income Tax raids Congress MP Dheeraj Sahu premises in Odisha, crores of  money seized - India Today

500 કરોડને પાર પણ પહોંચી શકે છે આ આંકડો!

સાંસદ પાસેથી એટલી બધી નોટો મળી આવી કે પૈસા ગણવા માટે 30થી 40 જેટલા મશીનો મંગાવ્યા પડ્યા. નકદ ઉપરાંત જ્વેલેરીની સૂટકેસ પણ મળી આવી છે તેવી માહિતી સામે આવી છે. 6 ડિસેમ્બરથી શરૂ થયેલી આ રેડ આજે એટલે કે 9 ડિસેમ્બરે પણ ચાલી રહી છે. મશીનો તો મંગાવ્યા પરંતુ તે પણ બગડી ગયા છે. આ રેડમાં ઈન્કમટેક્સ વિભાગના 100 જેટલા કર્મચારીઓ કામે લાગેલા છે. એવી પણ માહિતી સામે આવી છે કે 136 જેટલી બેગો છે જેનું કાઉન્ટિંગ હજી બાકી છે. 176 જેટલી બેગોમાંથી માત્ર 40 બેગોના જ પૈસા ગણવામાં આવ્યા છે હજી બીજી બધી બેગોનું કાઉન્ટિંગ બાકી છે તેવી માહિતી સામે આવી છે. આ આંકડો 500 કરોડને પાર પહોંચી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી છે. ત્યારે પૈસાની ગણતરી પૂર્ણ થાય તે બાદ ખબર પડે કે કેટલા પૈસા સાંસદને ત્યાંથી મળી આવ્યા. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.