મોરબી હોનારતને પગલે, 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક પાળવાનો લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-11-01 08:46:40

મોરબી હોનારતને કારણે સમગ્ર ગુજરાત શોકમાં ડૂબી ગયું છે. બેસતા વર્ષના દિવસે ખુલ્લો મુકાયેલો ઝુલતો બ્રિજ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં તણાઈને મરી ગયા. આ ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગર ખાતે પીએમની અધ્યક્ષતામાં હાઈ લેવલ મિટીંગ યોજાઈ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક પાળવામાં આવશે.આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક 

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. તે પહેલા દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન ભાજપનો પ્રચાર કરવા ગુજરાત આવ્યા છે પરંતુ મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે તેમણે પોતાના થોડા કાર્યક્રમો રદ્દ કર્યા હતા. ત્યારે મોરબીમાં બનેલી ઘટનાને પગલે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી હતી. મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના શોકમાં 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે. તેમજ સરકારી કાર્યક્રમો, સત્કાર કાર્યક્રમો યોજાશે નહિ.


મોરબી ઘટનાને લઈ ભાવુક થયા હતા પીએમ મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બપોર બાદ મોરબીની મુલાકાત લેવાના છે. સોમવારે આયોજીત કાર્યક્રમોમાં તેમણે મોરબીમાં બનેલી ઘટના વિશે દુખ વ્યક્ત કર્યું હતું. કેવડિયા તેમજ બનાસકાંઠામાં સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે તેમની સંવેદના મૃતકોના પરિવાર સાથે છે. મન મક્કમ કરી તેઓ આ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે.      



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .