મોરબી હોનારતને પગલે, 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક પાળવાનો લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-11-01 08:46:40

મોરબી હોનારતને કારણે સમગ્ર ગુજરાત શોકમાં ડૂબી ગયું છે. બેસતા વર્ષના દિવસે ખુલ્લો મુકાયેલો ઝુલતો બ્રિજ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં તણાઈને મરી ગયા. આ ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગર ખાતે પીએમની અધ્યક્ષતામાં હાઈ લેવલ મિટીંગ યોજાઈ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક પાળવામાં આવશે.આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક 

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. તે પહેલા દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન ભાજપનો પ્રચાર કરવા ગુજરાત આવ્યા છે પરંતુ મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે તેમણે પોતાના થોડા કાર્યક્રમો રદ્દ કર્યા હતા. ત્યારે મોરબીમાં બનેલી ઘટનાને પગલે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી હતી. મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના શોકમાં 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે. તેમજ સરકારી કાર્યક્રમો, સત્કાર કાર્યક્રમો યોજાશે નહિ.


મોરબી ઘટનાને લઈ ભાવુક થયા હતા પીએમ મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બપોર બાદ મોરબીની મુલાકાત લેવાના છે. સોમવારે આયોજીત કાર્યક્રમોમાં તેમણે મોરબીમાં બનેલી ઘટના વિશે દુખ વ્યક્ત કર્યું હતું. કેવડિયા તેમજ બનાસકાંઠામાં સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે તેમની સંવેદના મૃતકોના પરિવાર સાથે છે. મન મક્કમ કરી તેઓ આ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.