મોરબી હોનારતને પગલે, 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક પાળવાનો લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-11-01 08:46:40

મોરબી હોનારતને કારણે સમગ્ર ગુજરાત શોકમાં ડૂબી ગયું છે. બેસતા વર્ષના દિવસે ખુલ્લો મુકાયેલો ઝુલતો બ્રિજ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં તણાઈને મરી ગયા. આ ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગર ખાતે પીએમની અધ્યક્ષતામાં હાઈ લેવલ મિટીંગ યોજાઈ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક પાળવામાં આવશે.આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક 

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. તે પહેલા દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન ભાજપનો પ્રચાર કરવા ગુજરાત આવ્યા છે પરંતુ મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે તેમણે પોતાના થોડા કાર્યક્રમો રદ્દ કર્યા હતા. ત્યારે મોરબીમાં બનેલી ઘટનાને પગલે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી હતી. મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના શોકમાં 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે. તેમજ સરકારી કાર્યક્રમો, સત્કાર કાર્યક્રમો યોજાશે નહિ.


મોરબી ઘટનાને લઈ ભાવુક થયા હતા પીએમ મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બપોર બાદ મોરબીની મુલાકાત લેવાના છે. સોમવારે આયોજીત કાર્યક્રમોમાં તેમણે મોરબીમાં બનેલી ઘટના વિશે દુખ વ્યક્ત કર્યું હતું. કેવડિયા તેમજ બનાસકાંઠામાં સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે તેમની સંવેદના મૃતકોના પરિવાર સાથે છે. મન મક્કમ કરી તેઓ આ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.