આવનાર દિવસોમાં Gujaratમાં વધશે ઠંડી! જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-12-06 10:26:35

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. માવઠાને કારણે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. માવઠાને કારણે જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે. માવઠાના રાઉન્ડે વાતાવરણમાં ફેરફાર કર્યો પરંતુ હવે માવઠાની અસર ગુજરાતમાં ઓછી થઈ રહી છે જેને કારણે ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. જેમ જેમ તાપમાનનો પારો ગગડી રહ્યો છે તેમ તેમ કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં નોંધાઈ હતી. વર્તમાન સિઝનનું સૌથી નીચું તાપમાન 10.4 ડિગ્રી નલિયામાં નોંધાયું. 

ફરી ઠંડીનો ચમકારો: આગામી દિવસોમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધશે –  Gujaratmitra Daily Newspaper

તાપમાનનો પારો ગગડ્યો અને વધ્યું ઠંડીનું પ્રમાણ!

ગુજરાતના વાતાવરણમાં આવતા પલટાની સીધી અસર ખેડૂતો પર પડતી હોય છે. જો વધારે વરસાદ પડે તો પણ ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવે તો કોઈ વખત ઓછો વરસાદ પડે તો પણ ખેડૂતોને રડવાનો વારો આવે. ચોમાસાની સિઝન દરમિયાન વરસાદ કેવો પડશે તે અંગેની ચિંતા ખેડૂતોને સતાવતી હોય છે પરંતુ કમોસમી વરસાદ પણ ખેડૂતોને પાયમાલ કરી નાખે છે. માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચે છે. ત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે આવનાર દિવસોમાં માવઠું નહીં આવે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ ઠંડીનો ચમકારો રાજ્યમાં વધશે. તાપમાનનો પારો ગગડી શકે છે જેને કારણે હાડ થિજવતી ઠંડીની અહેસાસ આવનાર દિવસોમાં થઈ શકે છે. 


આવનાર દિવસોમાં વધી શકે છે ઠંડીનું જોર!

ધીમે ધીમે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ત્યારે ગુજરાતમાં ગઈકાલે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો 10.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. તાપમાનમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આવનાર દિવસોમાં અમદાવાદનું તાપમાન 14થી 16 ડિગ્રી સુધી પહોંચી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી સપ્તાહમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

ક્યાં કેટલી ઠંડી પડી તે અંગેની વાત કરીએ તો નલિયાનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું. ભુજનું તાપમાન 15.2 ડિગ્રી, રાજકોટમાં 16.6 ડિગ્રી, કંડલામાં 18.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 17.0, અમરેલીનું તાપમાન 18.2, સુરતનું તાપમાન 20.7 ડિગ્રી, પોરબંદરનું 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજી પણ વધી શકે છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.