Gujaratમાં વધશે ઠંડી! જાણો ઠંડીને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-25 11:34:31

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે. તાપમાનનો પારો ગગડતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં આ ઠંડી વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે. મહત્વનું છે કે શિયાળાની શરૂઆત થતાં જ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો હતો. 

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ગરમીની સાથે માવઠાનું જોર વધશે, એપ્રિલ-મેમાં શું  થશે?

આગામી દિવસોમાં ગગડશે તાપમાનનો પારો 

શિયાળાની શરૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. એવું માનવામાં આવતું હતું કે ફરી એક વખત માવઠાનો માર સહન કરવા ખેડૂતોએ તૈયાર રહેવું પડશે પરંતુ તે આગાહી મહદઅંશે ખોટી સાબિત થઈ. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર! આગામી 48 કલાકમાં ઠૂંઠવાઈ જવાય તેવી ઠંડી પડશે,  જાણો શું છે હવામાન વિભાગની આગાહી | Get ready for the killer cold! It will  be freezing cold

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

અંબાલાલ કાકાની આગાહી મુજબ આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. નવા વર્ષની શરૂઆતમાં નલિયાનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું જઈ શકે છે તેવી આગાહી હવામાન આગાહીકાર દ્વારા કરવામાં આવી છે. ન માત્ર ગુજરાતમાં પણ દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી, ડીસાનું તાપમાન 12.6 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું. સુરતનું તાપમાન 17.6, ભાવનગરનું તાપમાન 16.8 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 18.4 નોંધાયું હતું. 14.4 ડિગ્રી તાપમાનનો પારો રાજકોટનો પહોંચ્યો હતો જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું.  




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.