Gujaratમાં વધશે ઠંડી! જાણો ઠંડીને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-25 11:34:31

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે. તાપમાનનો પારો ગગડતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં આ ઠંડી વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે. મહત્વનું છે કે શિયાળાની શરૂઆત થતાં જ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો હતો. 

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ગરમીની સાથે માવઠાનું જોર વધશે, એપ્રિલ-મેમાં શું  થશે?

આગામી દિવસોમાં ગગડશે તાપમાનનો પારો 

શિયાળાની શરૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. એવું માનવામાં આવતું હતું કે ફરી એક વખત માવઠાનો માર સહન કરવા ખેડૂતોએ તૈયાર રહેવું પડશે પરંતુ તે આગાહી મહદઅંશે ખોટી સાબિત થઈ. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર! આગામી 48 કલાકમાં ઠૂંઠવાઈ જવાય તેવી ઠંડી પડશે,  જાણો શું છે હવામાન વિભાગની આગાહી | Get ready for the killer cold! It will  be freezing cold

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

અંબાલાલ કાકાની આગાહી મુજબ આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. નવા વર્ષની શરૂઆતમાં નલિયાનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું જઈ શકે છે તેવી આગાહી હવામાન આગાહીકાર દ્વારા કરવામાં આવી છે. ન માત્ર ગુજરાતમાં પણ દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી, ડીસાનું તાપમાન 12.6 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું. સુરતનું તાપમાન 17.6, ભાવનગરનું તાપમાન 16.8 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 18.4 નોંધાયું હતું. 14.4 ડિગ્રી તાપમાનનો પારો રાજકોટનો પહોંચ્યો હતો જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું.  




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.