Gujaratમાં વધશે ઠંડી! જાણો ઠંડીને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-25 11:34:31

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે. તાપમાનનો પારો ગગડતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં આ ઠંડી વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે. મહત્વનું છે કે શિયાળાની શરૂઆત થતાં જ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો હતો. 

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ગરમીની સાથે માવઠાનું જોર વધશે, એપ્રિલ-મેમાં શું  થશે?

આગામી દિવસોમાં ગગડશે તાપમાનનો પારો 

શિયાળાની શરૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. એવું માનવામાં આવતું હતું કે ફરી એક વખત માવઠાનો માર સહન કરવા ખેડૂતોએ તૈયાર રહેવું પડશે પરંતુ તે આગાહી મહદઅંશે ખોટી સાબિત થઈ. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર! આગામી 48 કલાકમાં ઠૂંઠવાઈ જવાય તેવી ઠંડી પડશે,  જાણો શું છે હવામાન વિભાગની આગાહી | Get ready for the killer cold! It will  be freezing cold

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

અંબાલાલ કાકાની આગાહી મુજબ આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. નવા વર્ષની શરૂઆતમાં નલિયાનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું જઈ શકે છે તેવી આગાહી હવામાન આગાહીકાર દ્વારા કરવામાં આવી છે. ન માત્ર ગુજરાતમાં પણ દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી, ડીસાનું તાપમાન 12.6 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું. સુરતનું તાપમાન 17.6, ભાવનગરનું તાપમાન 16.8 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 18.4 નોંધાયું હતું. 14.4 ડિગ્રી તાપમાનનો પારો રાજકોટનો પહોંચ્યો હતો જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.